Home /News /bhavnagar /Bhavnagar: મા ચામુડાનું ઊંચા કોટડા, કાળિયો ભીલ જ્યાં ખજાનો રાખતો એ કોઠી આજે પણ છે!
Bhavnagar: મા ચામુડાનું ઊંચા કોટડા, કાળિયો ભીલ જ્યાં ખજાનો રાખતો એ કોઠી આજે પણ છે!
માતાજીના મંદિરની પાસે જ દરિયો આવેલો છે જેથી મોટી સંખ્યામાં લોકો આવે છે
ગોહિલવાડનાં શક્તિ ર્તીથોમાં ઉંચુસ્થાન ધરાવતાં ઉંચા કોટડા વાળીમાં ચામુંડાનું દેવસ્થાન વિશેષ મહિમા ધરાવે છે. અહીં ચૈત્ર માસ દરમિયાન દૂરદૂરથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો સહપરિવાર લાપસી-પ્રસાદની માનતા પરિપૂર્ણ કરવાઉમટી પડે છે
Dhruvik, gondaliya, Bhavngar : ભાવનગર જીલ્લાના મહુવા તાલુકામાં સાગર તટે ઊંચાકોટડા ગામ નજીક ટેકરી પર ”ગઢ કોટડા” તરીકે ઓળખાતા ચામુંડા માતાજીના આ સ્થાનકનો અનેરો ઇતિહાસ રહેલો છે. ગોહિલવાડનાં શક્તિ ર્તીથોમાં ઉંચુસ્થાન ધરાવતાં ઊંચા કોટડા વાળીમાં ચામુંડાનું દેવસ્થાન વિશેષ મહિમા ધરાવે છે. અહીં ચૈત્ર માસ દરમિયાન દૂરદૂરથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો સહપરિવાર લાપસી-પ્રસાદની માનતા પરિપૂર્ણ કરવાઉમટી પડે છે. જેની સુવિધા માટે આ તીર્થના ટ્રસ્ટી મંડળદ્વારા વિશેષ વ્યવવસ્થા યોજવામાં આવે છે. તો ચાલો જાણીયે ઉંચા કોટડાનો ઇતિહાસ.
કેવો છે આ મંદિરનો ઇતિહાસ
લોક વાયકા પ્રમાણે વર્ષો પહેલા મારવાડમાં જહાજીભીલ અને તેમના પત્ની વાલબાઈ કુળદેવીમાં ચામુંડાની ભક્તિભાવથી આરાધના અને પૂજા કરતા. એમની ભક્તિ અને શ્રદ્ધાથી માતાજી પ્રસન્ન થઇ જહાજી ભીલ સાથે વેણે વાતું કરતાં. સમય જતા મારવાડની ધરતીમાં ત્રણ ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યા. ત્યારે જહાજી ભીલને માલઢોરની ચિંતા થવા લાગી એટલે તેને માતાજીને પ્રાથના કરી પ્રાથના સાંભળી માતાજીએ જહાજી ભીલને કાઠિયાવાડની ધરતી ઉપર દરિયા બાજુ જવાનું કહ્યું. ત્યારે જહાજી ભીલ મારવાડમાંથી નીકળીને કાઠિયાવાડમાં ગોહિલવાડની ધરતી ઉપર ગઢ કોટડા આવે છે. અહીં આવીને જહાજી ભીલ માતાજીના આ સ્થાનકે નિત્ય પૂજા અર્ચના કરે છે.
જહાજી ભીલને શેરમાટીની ખોટ હતી એટલે માતાજીએ તેમના ભક્તિભાવથી પ્રસન્ન થઇને પુત્ર પ્રાપ્તિ ના આશીર્વાદ આપ્યા. સમય જતા તેમની પત્નીને સારા દિવસો જવા લાગ્યા પણ પુત્રનો જન્મ થાય એ પહેલાજ જહાજી ભીલનું મૃત્યુ થયું. સમય જતા તેમની ઘરે પુત્રનો જન્મ થયો જેનું નામ માતાજીના આશીર્વાદથી કાળીયો ભીલ રાખ્યું, પુત્રના જન્મ પછી જહાજી ભીલના પત્નીનું પણ મૃત્યુ થાય છે. આ સમયે કુળની દેવી ચામુંડા માતાજી સ્વયં આવીને કાળીયા ભીલને લઇ જાય છે અને તેને હમીર આહિરના નેહડે મૂકી આવે છે. હમીર આહિર આશરા ધર્મનું પાલનકરીને કાળીયા ભીલને મોટો કરે છે. નાનપણથીજ માં ચામુંડા કાળીયા ભીલ સાથે વેણે વાતું કરે છે અને ડગલેને પગલે માતાજી તેનું રક્ષણ કરે છે. આમ કરતા કરતાકાળીયો ભીલ મોટો થાય છે. સમય જતા કાળિયો ભીલ માતાજીને પ્રાથના કરે છે કે હે માં મારે આ દરિયા ઉપર રાજ કરવું છે અને એની ઉપર ચાલતા વહાણોને લૂંટવા છે. ત્યારે માતાજી તેને પ્રસન્ન થઇ કહે છે હે કાળીયા તું વહાણો લૂંટ તો ભલે લૂંટ પણ યાદ રાખજે ખાલી અધર્મીનુ જ વ્હાણ લૂંટજે કોઈ ધર્મીને લૂંટતો નહીં, અને મારી રજા લીધા વગર ક્યારેય દરિયામાં જતો નહીં.
આમ કરતા કરતા કાળિયો ભીલ માતાજીની રજા લઇને ઘણા બધા વહાણો લૂંટે છે અને લૂંટેલો માલ બધો કોઠીમાં રાખે છે. એક વખત કાળિયો ભીલ દરિયામાં વહાણ લૂંટવા જાય છે અને માતાજીની રજા માંગે છે પણ માતાજી એને જવાની ના પડે છે. ત્યારે કાળિયોભીલના પાડવા છતાં પણ દરિયામાં વહાણ લૂંટવા જાય છે. અને ફિરંગીઓ તેને પકડીને કેદ કરે છે. પછી જેલમાં બેઠો બેઠો કાળિયો ભીલ માતાજી પાસે માફી માંગે છે અને માતાજીને પ્રાથના કરે છે કે હે મારાકુળની દેવી માં ચામુંડા મેં તમારી વાત ન માની અને ભૂલ કરી છે. માતાજી મને માફ કરજો. માતાજી તેની પ્રાથના સ્વીકારી તેને માફ કરે છે અને કાળીયા ભીલને ફિરંગીઓની કેદમાંથી છોડાવે છે. અને પછી કાળિયોભીલ હંમેશના માટે વહાણોને લૂંટવાનું છોડી નેમાતાજીની ભક્તિ કરે છે.
આજની તારીખે ઉંચા કોટડામાં હાલ કાળીયા ભીલની કોઠીઓ મોજુદ જોવા મળે છે. એક એવી પણ લોકમાન્યતા છે કે વર્ષો પહેલા ખાંડીયા અને ત્રિશુલ પંદરદિવસ ચોટીલાના ડુંગરે અને પંદર દિવસ ઉંચા કોટડા માતાજીએ રહેતું. સમય જતા આ જગ્યાનું મહત્વ વધતા આસપાસનાં અનેક ગામોનાં ભાવિકો અને ભીલ સમાજ શ્રદ્ધાથી ચામુંડામાની બાધા-આખડી રાખી મનોકામનાપૂર્ણ થતાં આ સ્થાનકે આસ્થાપૂર્વક નિવેદ્ય, લાપસી,ખીચડી વગેરે પ્રસાદ માટે આવવા લાગ્યા જેથી તેનું મહાત્મ્ય ચોમેર વૃદ્ધિ પામવા લાગ્યું.
ચૈત્ર માસમાં નવરાત્રિને કારણે આ તીર્થનો મહિમા એટલો વૃદ્ધિ પામેલો છે કે દૂર દૂરથી જુદાજુદા વાહનો,પદયાત્રીઓનો પ્રવાહ અવિરત વધતો ગયો. સ્થાનિક આગેવાનો અને સેવક સમુદાય દ્વારા શ્રી ચામુંડા શક્તિપીઠ ઊંચા કોટડા વ્યવસ્થા મંડળ’ બનાવી સં.૨૦૩૪માં આ સ્થાનકનો જીણોદ્ધાર કરાવી પુરાતન સ્થાનક જાળવી રાખી બાજુમાં ભવ્ય મંદિર, યજ્ઞ શાળા,ભોજન શાળા, યાત્રિક ઉતારા, સહિત અનેકવિધ સુવિધાઓ ઊભી કરાઈ છે.
ઉંચા કોટડા જવા માટે વાહનોની સુવિધા
સાથે સાથે ઊંચા કોટડા જવા માટે મુસાફરોને અગવડતા ન પડે તે માટે ભાવનગર એસટી ડેપો ખાતેથી પણ એસટી બસોની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. તથા તળાજા ડેપો ખાતેથી પણ એસટી બસ ની સુવિધાઓ છે અને સાથે સાથે મહુવાના એસટી ડેપો ખાતે પણ કોટડા જવા માટેની બસની સુવિધાઓ સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છેહનુમાન દાદા