ભરૂચમાં આવેલી નારાયણ વિદ્યાલયના ડાયરેકટર ડો .ભગુભાઈ પ્રજાપતિને ઇન્ડોનેશિયાના બાલીમાં એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ડો.પ્રજાપતિએ 16 દેશનો શૈક્ષણિક પ્રવાસ કર્યો છે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક નિબંધ રજૂ કર્યા છે.
Aarti Machhi, Bharuch: ભરૂચમાં આવેલી નારાયણ વિદ્યાલયના ડાયરેકટર ડો. ભગુભાઈ પ્રજાપતિએ ઇન્ડોનેશિયાના બાલી ટાપુ ખાતે ઇન્ડો બાલીનેસ એચિવર એવોર્ડ ફોર એજ્યુકેશન એક્સેલન્સ પ્રાપ્ત કરી ભરૂચ અને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.બાલીના અધ્યક્ષ વાય.એન.સુકર્તા, પૂર્વ ડિપ્લોમેટ એમ્બેસેડર ડો. વી.બી.સોની અને ઓફીસ ઓફ કાઉન્સિલેટ જનરલ ઓફ ઇન્ડિયા ટુ બાલી વાઇસ ચાન્સેલર લૌકેશ કુમારની હાજરીમાં ડો. ભગુભાઈ પ્રજાપતિને ઇન્ડો બાલીનેસ એચિવર એવોર્ડ ફોર એજ્યુકેશન એક્સેલન્સનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ડો. ભગુભાઈ પ્રજાપતિની શિક્ષણના ક્ષેત્રે આગવી ઓળખ
13 વર્ષ શિક્ષક અને 22 વર્ષ આચાર્ય તરીકેનો બહોળો અનુભવ ધરાવતા ડો. ભગુભાઈ પ્રજાપતિ હાલ નારાયણ વિદ્યાલયમાં ડાયરેકટર તરીકે સેવા આપે છે. ડો. ભગુભાઈ પ્રજાપતિ શિક્ષણના ક્ષેત્રે એક આગવી ઓળખ ધરાવે છે. શૈક્ષણિક ક્ષેત્રે નવતર પ્રયોગો કરી શિક્ષણમાં પ્રાણ ફૂંકવાના તેમણે પ્રયાસો કર્યા છે.
ડો.ભગુ પ્રજાપતિ એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડથી તેમને સન્માનિત
શૈક્ષણિક હેતુસર અત્યાર સુધીમાં 16 જેટલા દેશોનો પ્રવાસ કર્યો છે. અનેક દેશોએ એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડથી તેમને સન્માનિત કર્યા છે. તાજેતરમાં ઇન્ડોનેશિયાના બાલી ટાપુ ખાતે એક એવોર્ડ સમારોહમાં એસોસિએશન ફોર ઇકોનોમિક ગ્રોથ દ્વારા ભારતના વિવિધ ક્ષેત્રના 16 જેટલા તજજ્ઞોને સન્માનિત કરાયા હતા.
બાલીમાં 80 ટકા હિન્દૂ ધર્મ સાથે જોડાયેલા લોકો
ડો. ભગુભાઈ પ્રજાપતિએ બાલી ટાપુ અંગે જણાવ્યું હતું કે,અખંડ ભારતના 15 જેટલા વિભાજન થયા હતા. તેમનો એક ભાગ એટલે બાલી છે. બાલીમાં 80 ટકા હિન્દૂ ધર્મ સાથે જોડાયેલા લોકો છે. બાલી ટાપુ ચારે તરફ અફાટ સમુદ્રની વચ્ચે અપાર કુદરતી સંપત્તિ ધરાવે છે. ભગવાન બુદ્ધ સહિત વિવિધ દેવ દેવીઓના અનેક વિશાળ મંદિરો અહીં જોવા મળે છે.લોકો શાંત અને શ્રધ્ધાળુ છે. બાલીમાં મોટા ભાગે હનુમાનજીની મૂર્તિઓ છે. જે જોતા રામાયણ કાળ સાથે બાલીનું જોડાણ હોય તેમ લાગે છે.