Aarti Machhi, Bharuch: કૃષિ અર્થશાસ્ત્ર સંશોધન સમારોહ-2022 અંતર્ગત 30 મું વાર્ષિક સંમેલનનું આયોજન એગ્રીકલ્ચર ઈકોનોમીક્સ અને એગ્રીબીઝનેશ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શેર-એ-કાશ્મિર યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ ટેકનોલોજી ભારતના કાશ્મિર રાજ્યના પાટનગર જમ્મુ ખાતે કરવામાં આવ્યુ હતું.
ભારતમાંથી 300 જેટલા વૈજ્ઞાનિકો સહિત પ્રાધ્યાપકોએ ભાગ લીધો
આ 30 મા વાર્ષિક સંમેલનમાં પુરા ભારતમાંથી 300 જેટલા વૈજ્ઞાનિકો અને સંશોધનકાર તેમજ પ્રાધ્યાપકોએ ભાગ લીધો હતો.જેમાંથી કુલ 87 વૈજ્ઞાનિકો પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધામાં જોડાયા હતા. કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી, ભરૂચ કેમ્પસના અર્થશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક ડૉ. દિપા હિરામઠ પોસ્ટર પ્રેઝન્ટેશનની થીમ એગ્રીકલ્ચર રીસોર્સ મેનેજમેન્ટમાં જોડાઈને ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું.