પશ્ચિમ બંગાળના કલકત્તાનાં શિક્ષિત દંપતીએ ભરૂચમાં નર્મદાનાં કિનારે આવેલા તીર્થોના દર્શન કર્યા છે. કલકત્તાનાં સાઉન મુખપાધ્યાયને પહેલથી જ મા નર્મદા પ્રત્યે લગાવ હતો. પહેલી વખત નર્મદાનાં દર્શન કર્યા ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં હતાં.
Aarti Machhi, Bharuch : કહેવાય છે કે દુનિયાના ગમે તે છેડા પર નર્મદા મૈયાના ભક્તો રહે છે. ભક્તોને દર્શન માટે મા નર્મદા તેઓને પોતાના તરફ આકર્ષે છે. બસ આવું જ કંઈક પશ્ચિમ બંગાળના કલકત્તા શહેરમાં રહેતા અને વ્યવસાયે પ્રોફેસર એવા સાઉન મુખપાધ્યાય સાથે થયું છે. તેઓ એક કોલેજમાં સ્પેનિશ લેંગ્વેજ ભણાવે છે. જેઓ નાના હતા તે સમયે તેઓના માતા-પિતા સાથે ભરૂચ જિલ્લામાં આવ્યા હતાં.
કોલેજના સમયે ટીવી કાર્યક્રમ નિહાળી નર્મદા મૈયા તરફ ખેંચાવ આવ્યો
સમય જતા તેઓ કોલેજમાં હતા, તે સમયે ટીવી પર ઓમકારેશ્વરના દર્શન નામનો એક કાર્યક્રમ નિહાળ્યો હતો. જે કાર્યક્રમને જોઈ નર્મદા મૈયા તરફ તેઓનો ખીંચાવ વધુ મજબૂત બન્યો હતો. બસ પછી તો શું થાય તેઓના લગ્ન થયા. તેઓના પતિના સંબંધી મધ્યપ્રદેશના અમરકંટક નજીક આવેલા બિલાસપુરમાં રહે છે. જ્યાં તેઓ પતિ સાથે ગયા હતા, તે સમયે ઓમકારેશ્વરથી પ્રથમ શરૂઆત થઈ નર્મદા મૈયાના દર્શન કરવાની. સાઉન મુખપાધ્યાય ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા, જાણે પોતાની માતાને મળતા હોય તેવો તેઓને આભાસ થયો હતો
સાઉન મુખપાધ્યાય તેઓ પોતાના પતિ સાથે ઓમકારેશ્વર, જબલપુરનો પ્રવાસ કર્યા. પછી ભરૂચ-અંકલેશ્વર આવાની તીવ્ર ઈચ્છાઓ વચ્ચે નર્મદા નદીના કિનારે આવેલ વિવિધ તીર્થોના દર્શન કરવા નીકળ્યા હતા. આ દંપતીએ 1950માં શૈલેન્દ્ર ઘોષલ શાસ્ત્રી લિખિત તપોભૂમિ નર્મદા પુસ્તકને વાંચી નર્મદા મૈયાના દર્શને નીકળ્યું છે.
એક પુસ્તકની પ્રેરણાથી દંપતીએ નર્મદા નદીના કાંઠે આવેલ તીર્થોના દર્શન કર્યા
તપોભૂમિ નર્મદાના પુસ્તકને સહારે દંપતી નર્મદા નદીના કાંઠે આવેલ તીર્થોના દર્શન કરી તેનું નોંધ લઈ રહ્યું છે. પુસ્તકના સમય બાદ હાલ બદલાવ જોવા મળી રહ્યો હોવાનું પણ દંપતી જણાવી રહ્યું છે.
તપોભૂમિ નર્મદા પુસ્તક 1950માં લખાયું પણ આજે તેના શબ્દો જીવંત
પુસ્તકમાં લખાયેલ શબ્દો મુજબનું વર્ણન જાણે કે, આજે જ પુસ્તક લખ્યું હોય તેવો આભાષ દંપતીને થઈ રહ્યો છે. નર્મદાની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓની વિશાળ સંખ્યા 73 વર્ષે આજે પણ એટલી જ માત્રામાં હોવાથી તેઓ જાણે પોતાની માતા પાસે આવ્યા હોય તેવો અનુભવ કરી રહ્યા છે.
નર્મદા નદીની પરિક્રમા રેવાના સાક્ષાત્કાર કરાવે
પુરાણોમાં કહેવાયું છે કે, નર્મદા નદીની પરિક્રમા રેવાના સાક્ષાત્કાર કરાવે છે.જેથી જ ગર્વમેન્ટ ઓફ ઈંડિયાના ટુરિઝ ગાઈડ સાઉન મુખપાધ્યાય નર્મદા મૈયાના અને નર્મદા નદીના કાંઠે આવેલ તીર્થોના દર્શન કરી પોતાની ખુશીમાં તરબોળ થયા છે.