Home /News /bharuch /Bharuch : કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં થતી ગાંઠ કોબીજનું ભરૂચમાં સફળ વાવેતર, શું છે ગાંઠ કોબીજ?
Bharuch : કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં થતી ગાંઠ કોબીજનું ભરૂચમાં સફળ વાવેતર, શું છે ગાંઠ કોબીજ?
કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં જોવા મળતી ગાંઠ કોબીજનું પ્રથમ વખત જિલ્લામાં સફળ વાવેતર કરી કૃષિ યુનિવર્સિટી કેમ્પસે સફળતા મેળવી છે. સફેદ અને જાંબલી રંગની કોબીજનું વાવેતર કરવામાં આવ્યું છે.
કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં જોવા મળતી ગાંઠ કોબીજનું પ્રથમ વખત જિલ્લામાં સફળ વાવેતર કરી કૃષિ યુનિવર્સિટી કેમ્પસે સફળતા મેળવી છે. સફેદ અને જાંબલી રંગની કોબીજનું વાવેતર કરવામાં આવ્યું છે.
Aarti Machhi, Bharuch : ભારતના મુગટ સમા જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ઉગતી નોલખોલ એટલે કે ગાંઠ કોબીજનું બિયારણ લાવી ભરૂચમાં સૈા પ્રથમ વાવેતર કરવામાં આવ્યું છે. ગાંઠ કોબીજ ઉત્તર-યુરોપિયન મુળની શાકભાજી છે. ગંઠકોબી દક્ષિણ એશિયાના વિવિધ દેશો સહિત સમગ્ર વિશ્વમાં તેનું વાવેતર ક્ષેત્ર દિન પ્રતિદિન વધવા લાગ્યું છે. નોલખોલનો ભારતના ઉત્તરિય રાજ્ય કાશ્મીરમાં ખૂબ જ વ્યાપક પણે ઉપયોગમાં લેવાય છે. નોલખોલએ શિયાળા જેવી ઠંડી ઋતુમાં થતુ શાકભાજી છે.
ગાંઠ કોબીજ માટેની ભૌગાલીક વિશેષતા
આ અંગે કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી કેમ્પસ ભરૂચ ખાતે ફરજ બજાવતા શાકભાજી વિજ્ઞાનના નિષ્ણાત પ્રો.પી.એમ.સાંખલાએ જણાવ્યું હતું કે, ગાંઠ કોબીજ ઓછા જાણીતા શાકભાજીમાંથી એક છે. ગુજરાતની આબોહવાકીય પરિસ્થિતિ તદ્દન અલગ હોવા ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં શિયાળાની ઋતુમાં ઠંડીનું પ્રમાણ ઓછું હોવા છતાં ગાંઠ કોબીજની વિવિધ જાતો કાશ્મીર અને હિમાચલ પ્રદેશથી લાવી અને તેનું વાવેતર કરવામાં આવ્યું છે.
ગાંઠ કોબીજના પ્રકાર ગાંઠ કોબીજની મુખ્યત્વે બે પ્રકારની જાતોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સફેદ અને જાંબલી રંગની જાતોનો સમાવેશ થાય છે.
દેશમાં અન્ય ક્યાં વાવેતર થાય છે દેશના અન્ય ઘણા રાજ્યોમાં પણ ગાંઠ કોબીજનું વાવેતર થાય છે. ભારતમાં કાશ્મીર,પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, આસામ, ઉત્તરપ્રદેશ, પંજાબ અને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં ગાંથ કોબીજ ઉગાડવામાં આવે છે.
કેન્સર વિરોધી ગુણધર્મો ધરાવે છે ગાંઠ કોબીજ ગાંઠકોબીમાં તેનિયાસિન, પાયરિડોક્સિન, થિયામિન, પેન્ટોથેનિક એસિડ અને વિટામિન બી-કોમ્પ્લેક્સનો ઉત્તમ સ્ત્રોત છે. આ ઉપરાંત તેના નોબમાં રહેલા તત્વો જેમ કે કોપર, કેલ્શિયમ, પોટેશિયમ, મેંગેનીઝ, આયર્ન અને ફોસ્ફરસ સ્ત્રોતોનું પ્રમાણ વધુ પ્રમાણમાં હોય છે. તેમાં રહેલ સલ્ફોરાફેન તત્વ કે જે કેન્સર વિરોધી ગુણધર્મો ધરાવે છે. જાંબલી રંગના નોલખોલમાં એન્થોસાયનીનનું પ્રમાણ ભરપૂર હોય છે. જે મગજ, હૃદય અને આંખોને ફાયદો કરે છે.