Home /News /bharuch /Bharuch: મા રેવાની જન્મ જયંતી, નદીનાં કિનારે 74 કરોડ તિર્થો, આ તપસ્વીઓ કર્યું હતું તપ

Bharuch: મા રેવાની જન્મ જયંતી, નદીનાં કિનારે 74 કરોડ તિર્થો, આ તપસ્વીઓ કર્યું હતું તપ

વિશ્વની જીવંત નદીનું બિરુદ ધરાવતી એકમાત્ર નર્મદાની પરિક્રમા થાય છે

માત્ર એક નર્મદા નદીની પરિક્રમા કરવામાં આવે છે. 1312 કિમી લાંબી નર્મદા નદીનાં કિનારે 74 કરોડ તિર્થો સ્થાન આવેલા છે. નર્મદા નદીને અમરત્વનું વરદાન મળેલું છે. સૃષ્ટિનાં વિનાશ બાદ પર નર્મદા નદી રહેશે. નદીનાં તટે અનેક તપસ્વીઓએ તપ કર્યાં છે.

વધુ જુઓ ...

Aarti Machhi, Bharuch: શિવપુત્રી રેવાનો વિવિધ વેદો, પુરાણોમાં જન્મનો ઉલ્લેખ કરાયો છે. નર્મદા પ્રાગટય વિશે સર્વોસામાન્ય વર્ણવાયેલી કથા મુજબ એક સમયે બ્રહ્મા , વિષ્ણુ , મહેશ સહિત સમસ્ત દેવતાઓને સૃષ્ટિ કાર્યમાં વિવિધ કારણોથી પાપ લાગી ગયુ હતુ. મહાદેવજી પ્રસન્ન થતાં તેમના શરીરમાંથી નીકળેલી એક બુંદમાંથી એક સુંદર કન્યાનું પ્રાગટય થયુ હતુ.


કન્યાના દિવ્ય તેજથી દેવતાઓનું તેજ પણ ફીક્કુ પડી ગયુ હતુ. દેવતાઓએ આશ્ચર્યચકિત થઈને મહાદેવજીને કન્યાનુ નામ પુછતા તેમણે કહ્યુ હતુ કે , મારી જટામાંથી ઉતપન્ન થયા હોવાથી એમનુ નામ જટાશંકરી અને કલ્પકલ્પાંત સુધી ક્ષય નહીં હોવાથી એટલે અમર હોવાથી તે કન્યાનું નામ નર્મદા તરીકે પ્રસિધ્ધ થશે.




રેવાનાં કિનારે 74 કરોડ તિર્થો આવેલા છે


સૃષ્ટિના વિનાશ બાદ પણ અનંતકાળ સુધી નર્મદા નદી નિરંતર ખળખળ વહેતી રહેવાનું વરદાન ભગવાન વિષ્ણુ અને શંકર તરફથી પ્રાપ્ત થયું છે. ઉદગમ સ્થાન અમરકંટકથી લઈ સમુદ્ર સંગમ 1312 કિલોમીટરમાં ભાડભૂત સુધી નર્મદા નદીના પ્રવાહમાં બંન્ને કાંઠે 74 કરોડ તીર્થો આવેલા છે.



વિશ્વની એક માત્ર એવી નદી છે જેની પરિક્રમા થાય છે. નર્મદા મૈયાને વિશ્વની એકમાત્ર જીવંત નદીનું બિરૂદ પણ મળ્યું છે. ગુજરાત , મધ્યપ્રદેશ , મહારાષ્ટ્ર અને રાજસ્થાનની વીજળી અને પાણી માટે નદીને જીવાદોરી ગણવામાં આવે છે.



રેવા તટે તપ કરનાર તપસ્વીઓ



નર્મદા તટે ઈન્દ્ર , કુબેર , વરૂણ , યમ , અગ્નિ , વાયુ મેઘ , ગણેશ , રામ - લક્ષ્મણ , જાંબુવન , હનુમાન , નલ - નીલ , બ્રહ્મા , વિષ્ણુ સહિતના તમામ દેવતાઓએ તપ કર્યુ છે . જયારે કશ્યપ , અત્રિ , નારદ , વશિષ્ટ , પીપલાદ , કદમ , દધીચી , માર્કન્ડેય , સનત કુમાર , નચિકેતા , સાંદિલ્ય , માંડવ , કપીલ , આદી મહર્ષિઓએ રેવા તટે શિવલીંગ સ્થાપીને તપસ્યા કરી છે.


 


નર્મદા નદી અનેક રસપ્રદ નામોથી ઓળખાય છે



નર્મદા નદી મંદ મંદ ગતિથિ વહેવાના કારણે મંદાકીની , ભારતના દક્ષિણ ભાગમાં વહેતી હોવાના પગલે દક્ષિણગંગા ,ત્રણેય લોકમાં સમસ્ત પ્રાણીઓના પાપ સમાપ્ત કરવાના કારણે વિપાશા , શંકરની જટામાંથી ઉત્પન્ન થયા હોવાથી જટાશંકરી સહિતના નામથી ઓળખાય છે. નર્મદા મૈયા મોટા મોટા પહાડોને તોડીને તેને રવા જેવા બનાવી દેવાના કારણે એમનુ નામ રેવા થયુ હતુ.

First published:

Tags: Bharuch, Local 18, Narmada

विज्ञापन