Home /News /bharuch /Bharuch: અહીંના નોટીફાઈડ વિસ્તારમાં 29 દિવસ પાણી કાપ; જાણો કારણ

Bharuch: અહીંના નોટીફાઈડ વિસ્તારમાં 29 દિવસ પાણી કાપ; જાણો કારણ

X
3

3 કલાકનો રહેણાંકમાં અને ઇન્ડસ્ટ્રીઝમાં 17 કલાકનો પાણીકાપ લદાયો

અંકલેશ્વરના નોટીફાઈડ વિસ્તારમાં ઉકાઈ નહેરના સમારકામના કારણે 29 દિવસનો પાણી કાપ મૂકવામાં આવ્યો છે. નોટીફાઈડ રહેણાંક વિસ્તારમાં 2 પાળીના બદલે હવે એક પાળીમાં પાણી મળશે. ત્રણ કલાકનો પાણી કાપ રહેણાંકમાં અને ઇન્ડસ્ટ્રીઝમાં 16 કલાકનો પાણી કાપ મુકાયો છે.

વધુ જુઓ ...
Aarti Machhi, Bharuch: ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ દ્વારા નહેરોના સમારકામ અને નવીનીકરણને લઇ પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે 29 દિવસનું શટડાઉન લેવામાં આવ્યું છે. 25 ડિસેમ્બર 2022 થી 25 જાન્યુઆરી 2023 સુધી નહેર સંપૂર્ણ બંધ રહેવાના કારણે જળ સંકટ સર્જાઈ શકે. નહેર વિભાગ દ્વારા શટડાઉન 5 દિવસ પાછળ ઠેરવીને ઔદ્યોગિક , રહેણાંક અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી આપી દેવામાં આવ્યું છે.

શિયાળે લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવશે


અંકલેશ્વર નોટીફાઈડ અને પાલિકા પાસે 30 દિવસના જ પાણી સ્ટોરેજની કેપેસીટી છે. જે વચ્ચે જો શટડાઉન લંબાઈ તો ભરશિયાળે લોકોને પાણી માટે વલખા મારવા પડી શકે. નોટીફાઈડ તળાવમાં હાલ પાણીનું લેવલ 20.45 આર .એલ. એટલે કે 4.95 મીટર સુધી છે.



ઔદ્યોગિક વિસ્તારમાં 40 એમ.એલ.ડી પાણી જરૂરિયાત પ્રતિ દિવસ હોય છે. જો કે નહેર વિભાગ દ્વારા જરૂરિયાત કરતા ઓછું પાણી આપવામાં આવે છે. જેને લઇ વધારાના પાણીની જરૂરિયાત વર્ષોથી નોટીફાઈડ વિસ્તાર ને સતાવી રહી છે.



ઉદ્યોગોને 24 કલાકના બદલે 7 કલાક પાણી અપાશે


પાછલા વર્ષોના બોધપાઠ લઇ નોટીફાઈડ નિર્દિષ્ટ વિસ્તારમાં ઉદ્યોગોને 24 કલાકના બદલે સવારે 10 થી સાંજે 5 કલાક સુધી એટલે 7 કલાક પાણી આપવામાં આવશે અને 17 કલાકનો પાણીનો કાપ આપવામાં આવ્યો છે. રહેણાંક વિસ્તારમાં સવારે 3 અને સાંજે 3 કલાક એમ 6 કલાક પાણી આપવામાં આવતું હતું.



હવે એક ટાઈમમાં સવારે 6 થી 9 કલાક અપાશે. હાલ ઔદ્યોગિક વસાહતમાં ક્રિસમસ વેકેશન અને વૈશ્વિક મંદી વચ્ચે રીસેસન ચાલી રહ્યું છે. જેને લઇ 70 % ઉદ્યોગો મંદ પડ્યા છે. વચ્ચે પાણી જરૂરિયાત ઓછી રહેતા ઔદ્યોગિક વસાહતમાં આવેલી કંપનીમાં સમસ્યા નહિવત જોવા મળશે.

First published:

Tags: Bharuch, Industries, Local 18, Ukai Dam