ડીસા નગરપાલિકા દ્વારા આગામી 2047 સુધી પાણીની સમસ્યાનું હલ કર્યું.
ઉનાળાની શરૂઆત થતા જ બનાસકાંઠામાં પાણીની મોટી વિકટ સમસ્યા સર્જ્યા છે, જેથી સરકાર અને ડીસા નગરપાલિકા દ્વારા 80 કરોડના ખર્ચે શહેરીજોને પાણી આપવાનો પ્લાન તૈયાર કર્યો છે.
Nilesh Rana, Banaskantha: ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની તંગીનો સામનો કરતા ડીસા શહેર માટે નગરપાલિકાએ 2047 સુધી પાણીની સમસ્યાનો પ્રશ્ન હલ કરી દીધો છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે 80 કરોડ મંજુર કરી નર્મદાનું પાણી ઘર ઘર પહોંચાડવાનું આયોજન કર્યું છે.
બનાસકાંઠામાં ઉનાળાની શરૂઆત થતા મોટી પાણીની સમસ્યા સર્જાય છે.ત્યારે ડીસા નગરપાલિકા વિસ્તાર હાલ 6 કિમી વિસ્તારમાં પથરાઈ ચૂક્યું છે. અને દિનપ્રતિદિન શહેરનો વિકાસ થઈ રહ્યો છે. સાથે જ બનાસનદી પણ સૂકી ભટ્ટ થતાં રણ વિસ્તાર વધી રહ્યો છે. અને પાણીના તળ ઉંડા જઈ રહ્યા છે.
ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા શહેરીજનોને નર્મદાનું પાણી મળી રહે તે માટે સત્તાધારીઓએ સરકાર પાસે વિશેષ આયોજન માટે માંગણી કરી હતી. જે માંગણી ને ધ્યાને લઈ રાજ્ય અને કેન્દ્ર સરકારે અમૃતમ યોજના હેઠળ 64 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
અને બાકીની રકમ રાજ્ય સરકાર અને પાલિકા દ્વારા ઉમેરી કુલ 80 કરોડ રૂપિયાના ખર્ચે શહેરીજનોને પાણી આપવાનો પ્લાન તૈયાર થઈ ગયો છે. જેમાં ડીસા-પાટણ હાઇવે અને કાંટા રોડ પર એક એક કરોડ લીટરના બે પાણીના ટાંકા બનાવવામાં આવશે.
જે સમગ્ર ડીસાને પાણી પૂરું પાડશે. આ બન્ને ટાંકા મારફત આખા ડીસાને પાણી સમયસર મળી રહેશે. અત્યારે ડીસામાં 23 MLT પાણી મળે છે.
જે આગામી સમયમાં 35 MLT મળતું થશે એટલે કે 2047 સુધીની વસ્તી અને તેની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં લઇ આ યોજના બનાવવામાં આવી છે. અને એક વર્ષમાં આ યોજના પૂર્ણ થયા બાદ નર્મદાનું પાણી નગરજનોને મળતું થઈ જશે.
આ યોજના અંગે નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર એ જણાવ્યું હતું કે સરકારે 2047 સુધી પાણી ની સમસ્યા ન સર્જાય તે આયોજન કરી ગ્રાન્ટ આપી છે. અને એક વર્ષ માં નગરજનો ને ઘર ઘર સુધી નર્મદાનું પાણી મળતું થઈ જશે તે માટે નગરપાલિકા સહિત સરકાર કામગીરી કરી રહી છે.