Nilesh Rana Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. વારે ઘડીએ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અનેક મોટી આફતનો સામનો કરતા હોય છે.જેમાં અનાવૃષ્ટિ,અતિવૃષ્ટિ તો ક્યારેક ઇયળોનો ઉપદ્રવ તેમજ કુદરતના કહેરનો પણ ખેડૂતો સામનો કરે છે. જોકે તાજેતરમાં જ કમોસમી કરા સાથે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પાકોને મોટું નુકસાન થવા પામ્યું હતું. અને વરસાદ બાદ આજે કાંકરેજ પંથકના અનેક ગામોમાં છેલ્લા 15 દિવસથી ઇયળનો ઉપદ્રવ થવાથી ખેડૂતોને મોટું નુકસાન થવા પામી રહ્યો છે. ખેડૂતો શું જણાવી રહ્યા છે તે જાણીએ.
બનાસકાંઠા જિલ્લાના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ખેતી અને પશુપાલનના વ્યવસાયથીજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે.પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક પછી એક મોટી આફતોનો સામનો કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે એક પછી એક મોટી આફત આવતી હોય છે.જેમાં અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ તીડ પ્રકોપ તેમજ ઇયળનો ઉપદ્રવ આવી તમામ આફતોથી બનાસકાંઠા જિલ્લો હજુમી રહ્યો છે.
તાજેતરમાં જ ખેડૂતોએ બટાટા,રાયડો,રાજગરો, જીરું જેવા પાકોનું ઉત્પાદન લઈ રહ્યા હતા. અને હવામાન વિભાગે કમોસમી વરસાદ થવાની આગાહી કરી હતી અને બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકામાં કરા સાથે કમોસમી વરસાદ થવાના કારણે બનાસકાંઠા જિલ્લામાં ખેતીના પાકોને મોટું નુકસાન થવા પામ્યું હતું. વરસાદથી થોડો ઘણો બચેલો પાક પણ હવે ઇયળોના કારણે નાશ થવા પામી રહ્યો છે.
કાંકરેજના અનેક ગામોમાં ઇયળનો ઉપદ્રવ.બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ પંથકમાં આવેલા નાનોટા,ખોડા, શિહોરી,આકોલી,ખેમાંણા,રવીયાણા ઉચરપી સહિત આજુબાજુના ગામોમાં ભર ઉનાળે કમોસમી વરસાદ બાદ એકાએક ઇયળ નો લાખો સંખ્યામાં ઉપદ્રવ વધતા ખેડૂતોના પાકમાં મોટું નુકસાન થવા પામી રહ્યું છે.
આ વિસ્તારના ખેડૂતો જણાવી રહ્યા છે કે છેલ્લા 15 દિવસથી વરસાદ બાદ ઇયળનો ઉપદ્રવ વધવાના કારણે ખેડૂતોનો ખેતરમાં બચેલો પાક જેમાં એરંડા,તમાકુ,બાજરી,વરિયાળી,શાકભાજી સહિતના પાકોને ઇયળોના ઝુંડના કારણે તમામ પાક નષ્ટ થવા પામી રહ્યો છે. જેથી ખેડૂતો જણાવી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે ખેતીવાડી વિભાગ દ્વારા આ વિસ્તારની મુલાકાત લઈ ઇયળોના ઉપદ્રવ ને નિયંત્રણ લાવવા માટે દવાઓનો છંટકાવ કરે તો આ વિસ્તારમાં બચેલો પાક હવે બચી શકે તેમ છે. નહિતર આ વિસ્તારમાં ઇયળો ના કારણે તમામ પાક નષ્ટ થવા પામશે.
15 દિવસથી જમવા તેમજ પશુઓને ઘાસચારો ખવડાવવા મુશ્કેલી.
કાંકરેજના નાનોટા,ખોડા,શિહોરી,આકોલી, ગામના ખેડૂતો જણાવી રહ્યા છે કે છેલ્લા 15 દિવસથી ઇયળોના ઉપદ્રવના કારણે રહેવું જમવાનું બનાવવા પણ મુશ્કેલી સર્જાઈ રહી છે. તેમજ પશુઓને ઘાસચારો ખવડાવવામાં પણ મુશ્કેલી સર્જાઈ રહી છે. અને પાકને પણ મોટું નુકસાન થવા પામી રહ્યું છે.જેથી તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા આ વિસ્તારની મુલાકાત લઈ ઇયળોના ઉપદ્રવ ને નિયંત્રણ લાવવા પ્રયાસો કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.