Home /News /banaskantha /Deesa: 70 વર્ષીય મુસ્લિમ વૃદ્ધ પક્ષીઓની કરે છે અનોખી સેવા, અહીં પ્રવેશતા એવું લાગે જાણે પક્ષી ઘરમાં આવી ગયા, જુઓ Video

Deesa: 70 વર્ષીય મુસ્લિમ વૃદ્ધ પક્ષીઓની કરે છે અનોખી સેવા, અહીં પ્રવેશતા એવું લાગે જાણે પક્ષી ઘરમાં આવી ગયા, જુઓ Video

X
છેલ્લા

છેલ્લા 17 વર્ષથી પક્ષીઓની અનોખી સેવા કરી જીવદયાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

વડગામના રૂપાલ ગામના સિકંદર ભાઈ શેખ છેલ્લા 17 વર્ષથી પક્ષીઓને બચાવવાનું કાર્ય કરી અનોખી સેવા કરી રહ્યા છે.છેલ્લા 17 વર્ષથી પક્ષીઓની અનોખી સેવા કરી જીવદયાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના વડગામના રૂપાલ ગામે એક મુસ્લિમ સમાજના સિકંદરભાઈ છેલ્લા 17 વર્ષથી પક્ષીઓની અનોખી સેવા કરી રહ્યા છે. તેમના ઘરે તમામ પક્ષીઓને પોતાના ખર્ચે ચણ ખવડાવી સારસંભાળ રાખી જીવદયાનું  ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

એક તરફ રાજ્ય સહિત દેશભરમાં જ્યારે વૃક્ષોનું મોટા પાયે નિકંદન થઈ રહ્યું છે જેના કારણે વૃક્ષો પર નિર્ભર કરતા પક્ષીઓ અને પ્રાણીઓ નિરાધાર બની રહ્યા છે.તેઓની કાળજી લેવા કોઈ તૈયાર નથી. તેવા સમયમાં ચકલી સહિત અનેક પક્ષીઓને બચાવવા માટે વડગામના રૂપાલ ગામના 70 વર્ષીય મુસ્લિમ વૃદ્ધ  સિકંદરભાઈ છેલ્લા 17 વર્ષથી પક્ષીઓને બચાવવા માટે અનોખું કાર્ય કરી રહ્યા છે.



છેલ્લા 17 વર્ષથી 70 વર્ષીય વૃદ્ધ કરી રહ્યા છે અનોખી સેવા.

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના રૂપાલ ગામે રહેતા સિકંદર ભાઈ રાજુભાઈ શેખ ઉંમર વર્ષ 70 સિકંદર ભાઈનો પરિવાર એકદમ મધ્યમ વર્ગનો છે છેલ્લા 17 વર્ષથી સિકંદરભાઈ પક્ષીઓની અનોખી સેવા કરી રહ્યા છે તેમને જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી જંગલોમાં વૃક્ષનું આડેધડ નિકંદન થઈ રહ્યું છે.



જેથી જંગલો નાશ થઈ રહ્યા છે. અને જંગલોમાં રહેતા તમામ પક્ષીઓની હાલત દયનીય બની છે.જેથી તેઓ છેલ્લા 17 વર્ષથી પક્ષીઓને બચાવવા માટે ઘરે જ તેઓ માટે રહેવા અને ખાવાની વ્યવસ્થા કરી સેવાકીય પ્રવૃતિ કરી રહ્યા છે.



પોતાના ખર્ચે તમામ પક્ષીઓ માટે ચણ લાવી અનોખી સેવા કરે છે.

70 વર્ષીય સિકંદર ભાઈના ઘરે હાલ 200થી વધુ પક્ષીઓ વસવાટ કરી રહ્યા છે. હાલ તેઓના નિવાસ્થાને કબૂતર,મોર,પોપટ,સસલા સહિતના અનેક પશુ પક્ષીઓ રહે છે.



તેઓ મઘ્યમ વર્ગ પરીવાર ધરાવે છે. હાલ તેઓ પોતાનું ઘર ચલાવવા ભારે જહેમત કરે છે છતા પક્ષીઓની સેવા ચાલુ જ રાખે છે.



સિકંદર ભાઈ રોજ તમામ પક્ષીઓ માટે 5 કિલો પોતાના ખર્ચે ચણ લાવી ખવડાવી રહ્યા છે.અન્ય લોકોને પણ સિકંદર ભાઈએ જણાવ્યું હતું કે આજુબાજુમાં ખુલ્લી જગ્યાએ તેમજ તમારા ઘરે આગળ વૃક્ષોનું રોપણ કરો તો પક્ષીઓ સારી રીતે ઝાડ પર રહી શકે.તેમના આ અનોખા કાર્યને લઈને જિલ્લાના લોકો તેમના કાર્યને બિરદાવી રહ્યા છે.અત્યારે 70 વર્ષના વૃદ્ધ જીવદયા નું એક ઉદાહરણ પૂરું પાડી રહ્યા.
First published:

Tags: Banaskantha News, Birds, Local 18