Home /News /banaskantha /Deesa: વ્યસન અને કુરિવાજોને ગામમાંથી દૂર કરવા  8 ગામના લોકોએ જૈન મુનિને આપ્યું વચન, જૂઓ Video

Deesa: વ્યસન અને કુરિવાજોને ગામમાંથી દૂર કરવા  8 ગામના લોકોએ જૈન મુનિને આપ્યું વચન, જૂઓ Video

X
છેલ્લા

છેલ્લા ઘણા સમયથી ચાલી આવતા કુરિવાજો અને વ્યસનના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યો હતો.

ડીસા તાલુકાનાં લુણપુર ગામમાં આજે જૈન સાધુ ભગવંતોની ઉપસ્થિતીમાં વ્યસન મુક્તિ યાત્રા નીકળી હતી. તેમજ અફીણ, દારૂનાં સેવન અને વેંચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.તેમજ ડીજે, ડાયરા જેવા ખોટા ખર્ચ બંધ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

Nilesh Rana, Banaskantha: બનાસકાંઠાના ડીસા તાલુકાના લુણપુર ગામે જૈન સાધુ ભગવંતોના આશીર્વાદથી 8 ગામનો સામૂહિક કુરિવાજો અને વ્યસનોનો તિલાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દરબાર-સોલંકી સમાજના હજારો લોકોએ સામૂહિક કુરિવાજોને જાકારો આપી વ્યસન મુક્ત થવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી.

લુણપુર ગામમાં વ્યસન્ મુક્તિ યાત્રા નીકળી

સમાજના યુવાનો દેશની રક્ષા કરે છે. હર હંમેશ ખડે પગે તૈયાર રહે છે. તેવા સોલંકી દરબાર સમાજમાં પણ છેલ્લા ઘણા સમયથી વ્યસન નામનું દુષણ ઘૂસી ગયું છે અને આ સમાજમાં છેલ્લા ઘણા સમયથી ચાલી આપતા કુરિવાજો અને વ્યસનના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યો હતો. ત્યારે જૈન સાધુ ભગવંતોના આશીર્વાદથી હવે ફરી પાછો આ સમાજ વ્યસન નથી દૂર થયો છે.

જેમાં આજે ડીસા તાલુકાના લુણપુર ગામે વ્યસન મુક્તિ યાત્રાનું આયોજન કરાયુ હતું. ત્યારબાદ નકળંગ ભગવાનના મંદિરે જાહેરસભા યોજાઇ હતી. જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળી, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, બાહદુરસિંહ વાઘેલા, પનસિંગ સોલંકી સહિત સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અફીણ, દારૂનાં સેવન અને વેંચાણ ઉપર પ્રતિબંધ

પૂજ્ય ગણીવાર્ય કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ વિજયજી મહારાજ સાહેબે લોકોને કુરીવાજો અને વ્યસનથી થતા નુકસાન અંગે ગહનપૂર્વક સમજાવ્યું હતું. ત્યારબાદ તમામ લોકોએ સામૂહિક કુરિવાજોને તિલાંજને આપી વ્યસનથી મુક્ત થવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી.

જેમાં લગ્ન, મરણ, દિવાળી કે બેસતા વર્ષ જેવા પ્રસંગમાં અફીણ ના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ, ગામમાં દારૂ પીવા કે વેચવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ, લગ્નમાં ડીજે કે રિસેપ્શન જેવા કુરિવાજો પણ બંધ કર્યા હતા, સાથે જ વરઘોડા અને ડાયરામાં પૈસા ઉછાળવા પર અને જુગાર રમવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવતી પ્રતિજ્ઞા લીધી હતી.
First published:

Tags: Banaskanatha, Jain, Local 18

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો