Home /News /anand /Anand: રસોડામાં રહેલી આ ઔષધીય દરેક બીમારીમાં રામબાણ, જાણો તેના ફાયદો

Anand: રસોડામાં રહેલી આ ઔષધીય દરેક બીમારીમાં રામબાણ, જાણો તેના ફાયદો

લસણનો ફાયદો

લસણ માત્ર ભોજનમાં સ્વાદ માટે જ નથી.લસણના સેવનથી અનેક બીમારીમાં રાહત મળે છે.શરદી,તાવ, હદયની બીમારી, પાચનશક્તિ,કેન્સર સહિતની અનેક બીમારીમાં ફાયદો થાય છે.લસણ એ દરેક બીમારીમાં રામબાણ ઈલાજ છે.

Salim Chauhan, Anand, લસણ મોટા ભાગે દરેક રાજ્યોમાં થાય છે. લસણનો શાક્ભાજી બનાવવામાં ઉપયોગ થતો હોવાથી દરેકના ઘરમાં હોય છે.આપણે તેને ખોરાકમાં સ્વાદ અને ટેસ્ટી બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ,પરંતુ તે ટેસ્ટી હોવાની સાથે અનેક ઔષધીય ગુણો ધરાવે છે,જેના લીધે અનેક રોગ પણ તેના લીધે અટકે છે અને થયેલા રોગોના ઈલાજમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. જેને અંગ્રેજીમાં GARLIC કહેવામાં આવે છે.

લસણના ઉપયોગ કઈ બીમારીમાં અને સમસ્યામાં રાહત થાય

શરદી: શિયાળામાં ઠંડીના કારણે શરદી અને તાવ આવી ગયા હોય તો તે લોકોએ શેકેલા લસણની કળીઓને ઔષધી તરીકે સેવન કરવાથી તાવ અને શરદી મટે છે. લસણની ચા અને ખાલી પેટે ખાવાથી બીમારીથી રાહત મળે છે.

હ્રદયની બીમારી: લસણમાં આવેલું એલીસીન હ્રદય સાથે જોડાયેલી બીમારીઓ સામે લડે છે. એલીસીન શરીરમાં કોલેસ્ટેરોલની માત્રાને ઓછી કરે છે અને ખરાબ કોલેસ્ટેરોલના ઓક્સિકરણને રોકે છે અને દરરોજ શેકેલા લસણનું સેવન કરવાથી પ્લેટલેટ્સના એકત્રીકરણને ઓછુ કરીને લોહીના કણોને જામી જતા રોકે છે, તળેલું લસણ હાઈબ્લડપ્રેસરની બીમારીથી રાહત આપે છે

રોગપ્રતિકારક શક્તિ: રોગ અને બીમારી સામે લડવા માટે ઈમ્યુનીટીને મજબુત કરવા માટે લસણ ખુબ જ ઉપયોગી છે. દરરોજ મધ સાથે શેકેલા લસણનું સેવન કરવાથી ઈમ્યુનીટી વધારી શકાય છે. જેના લીધે અનેક રોગો સામે લડવાની તાકાત મળે છે.લસણમાં વિટામીન સી, બી 6 અને સેલેનીયમ અને મેંગેનીઝ જેવા ખનિજ દ્રવ્યો હોય છે, જેના લીધે રોગપ્રતિકારક શક્તિ વધે છે.

ગાંઠિયો વા: લસણમાં આવેલા સોજો દુર કરવાના અને દુ:ખાવો દુર કરવાના ગુણો હોવાથી લસણની કળીઓ તળીને વા થયેલા દુ:ખાવા અને ગાંઠ પર લગાવવાથી સોજો ઉતરે છે અને દુ:ખાવો મટે છે. લસણમાં એકડાયલીલ ડાઈસ્ફાઈડ નામનું તત્વ હોય છે જે હાનીકારક એન્જાઈમને દુર રાખે છે.

કીડની બીમારી: શેકેલા લસણનું સેવન કરવાથી શરીરમાં આવેલા બીનજરૂરી ટોક્સીન બહાર નીકળી જાય છે. આ શરીરનું ફ્રેસ થઇ જવું કીડની અને લીવર માટે શ્રેષ્ઠ છે. લસણની તળેલી બે કળીઓ ખાવાથી કીડની અને લીવરની બીમારીઓ દુર ભાગે છે.પેટની ગડબડ,પેટ ખરાબ થાય તો અને પેટમાં કોઈ ઇન્ફેકશન લાગી ગયું હોય તો તળેલું લસણ ખાવાથી ફાયદો થાય છે. શેકેલા લસણથી પેટમાં દુ:ખવું, બળવું, ઉલટી અને પેટની ખરાબી દુર થઈ જશે.

કેન્સર: લસણમાં એન્ટી કાર્સીનોજિનકએલીમેન્ટ મળી આવે છે. એ એલિમેન્ટ પ્રોસ્ટેટ કેન્સરની સમસ્યાથી બચાવવા માટે ખુબ જ મદદ કરે છે. શેકેલા લસણનું સેવન શરીરમાં ગરમાહટ લાવે છે અને ઠંડી સામે રક્ષણ આપે છે. આ સાથે તે બ્રેસ્ટ કેન્સરથી પણ શરીરને બચાવે છે.

વજન ઘટાડવા :ખાવા પીવાની અસલી મજા શિયાળામાં જ આવે છે,જેના લીધે આ સમય દરમિયાન ઘણા લોકોનું વજના વધી જાય છે અને ઘણી કોશિશ કરવા છતાં વજન કંટ્રોલમાં થતું નથી. જયારે તળેલું લસણ શરીરમાં થર્મોજેનેસીસને વધારે છે, એટલા માટે તે વજનને ઘટાડવામાં ઉપયોગી છે.

પાચનશક્તિ: પાચનશક્તિ વધારવા માટે તળેલું લસણ રામબાણ ઔષધી છે. તેમાં ફાયબર હોય છે જે પાચનશક્તિને વધારવા માટે ઉપયોગી છે, પાચનશક્તિ વધારવાની સામે અપચો અને કબજિયાત જેવી સમાંસ્યાને પણ દુર કરે છે.

અસ્થમા: અસ્થમામાં દર્દીઓ માટે તળેલું લસણ ખુબ જ રામબાણ ઈલાજ છે, દરરોજ દૂધ સાથે શેકેલા લસણની બે કળીઓ લેવાથી અસ્થમા (દમ) નિયંત્રણમાં રહે છે. લસણ એન્ટી બાયોટિક અને એન્ટી વાયરલ હોવાથી કફ અને ઉધરસ જેવી શ્વાસની બીમારી દુર કરે છે. કફ દુર કરવામાં રાહત મળતી હોવાથી અસ્થમામાં રાહત થાય છે.

કાનમાં દુખાવો: કાનમાં જીવજંતુ ઘુસવાથી કે ઠંડી, ઉધરસ, ચેપ લાગવાથી કે કાનમાં ભેજ ઘટી જવાથી, રસી નીકળવાથી કે કોઈ કારણસર કાનમાં દુ:ખાવો થાય છે,આ દુ:ખાવાના ઈલાજ તરીકે લસણની બે કળીઓ લઈને તેના ઉપરની છાલો કે ફોતરા ઉખાડીને તળવાના વાસણમાં તેલ નાખીને ગરમ કર્યા બાદ તેમાં આ કળીઓ નાખીને તળીને તે તેલ નાકમાં નાખવાથી કાનનો દુ:ખાવો અને રસી અને જીવજંતુ ઘૂસ્યું હોય તો બહાર નીકળે છે.આમ અનેક રોગો સામે લડવા લસણ કારગર સાબિત થાય છે.
First published:

Tags: Anand, GARLIC, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો