Home /News /anand /Anand: આણંદના ખેડૂત હળદર અને આદુની ખેતી કરી થયા માલામાલ, પેટન્ટ પણ મળી

Anand: આણંદના ખેડૂત હળદર અને આદુની ખેતી કરી થયા માલામાલ, પેટન્ટ પણ મળી

આદુ અને હળદરની ખેતી

આણંદના બોરીયાવી ગામના એક સફળ ખેડૂતે હળદરની અને આદુ ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવી-દેશ -વિદેશમાં જાતે જ એક્સપોર્ટ કરી રહ્યા છે અને આણંદ કૃષિ યુનિ. ના માર્ગદર્શન હેઠળ બોરિયાવી નાં ખેડૂત દેવેશ પટેલે હળદર અને આદુ ની પેટન્ટ પણ મેળવી છે.

વધુ જુઓ ...
Salim Chauhan, Anand:  આણંદ જિલ્લાનાં ખેડૂત દેવેશભાઈ પટેલે હળદરની અને આદુ ઓર્ગેનિક પદ્ધતિ થી ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવી-દેશ-વિદેશમાં જાતે જ એક્સપોર્ટ કરી રહ્યા છે અને સારી આવક મેળવી રહ્યા છે. આ પ્રાકરની ખેતી કરી ખેડૂતો માટે દાખલો બેસાડ્યો છે. દેવેશભાઈએ હળદર અને આદુમાંથી આદુની દેસી સુઠ પાઉડર,પાઉડર, આદુ ચોકલેટ, ચા નો મસાલો, અને હળદર પાઉડર, હળદરનું અથાણું / હળદરનું જ્યુસ બનાવી સારી આવક મેળવી રહ્યા છે.આણંદ કૃષિ યુનિ. ના માર્ગદર્શન હેઠળ બોરિયાવી નાં ખેડૂત દેવેશ પટેલે હળદર અને આદુ ની પેટન્ટ પણ મેળવી લીધી છે.

આણંદના બોરીયાવી ગામના એક સફળ ખેડૂતે હળદરની અને આદુની ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવી-દેશ -વિદેશમાં જાતે જ એક્સપોર્ટ કરી રહ્યા છે. દેવેશભાઈ પટેલ પોતાની આગવી સુજ્બુજથી ઓર્ગેનિક આદુ અને હળદરની ખેતી કરી ઉત્તમ આવક મેળવી છે. દેવેશભાઈ પટેલની વાત કરવામાં આવે તો તેઓ પોતે કોમ્પ્યુટર ઈજનેરની ડિગ્રી ધરાવે છે.



બોરીયાવી ગામના ખેડૂત દ્વારા હળદર અને આદુનાં ઉત્પાદન કરી જાતે જ પ્રોડક્ટ જેવી કે આદુની દેસી સુઠપાઉડર, દેસીઆદુ પાઉડર, આદુ ચોકલેટ, ચા નો મસાલો, અનેહળદર પાવડર હળદરમાંથી સુંઠ /હળદરનું અથાણું હળદરનું જ્યુસ-કોરોનોની મહામારી વચ્ચે હળદરની કેપ્સુલ હળદરની ચોકલેટ અને ટરમરીક પોપ્સ, ટરમરીક  જેવી પ્રોડક્ટ એક્સપોર્ટ કરી ઉત્તમ આવક મેળવી રહ્યા છે.



આવનારા સમયમાં તેવો આદુ હળદર માંથી અશ્વગંધાનાં બિસ્કીટ પણ બનાવશે. સાથે સાથે કોન્ટ્રાક્ટ ફાર્મમિંગ જલોકિયા મરચું જેવી પ્રોડક્ટ પર કામ કરી રહ્યા છે. હળદરના અને આદુનાં પાકની એક એકરે માત્ર પોણા બે લાખનો ખર્ચ કરી ચાર લાખની આવક મેળવે છે.



દેવેશભાઈ દ્વારા હળદરના અને આદુનાં ઉત્પાદનની જો વાત કરવામાં આવે તો કોઈપણ કેમિકલ્સ કે પેસ્ટીસાઈડના ઉપયોગ વગર એક એકરે -ચાર કિવન્ટલ બિયારણ વપરાય છે. જેની કિંમત 80 હજાર થાય છે. જેમાં ખાતર -લેબરનો ખર્ચ મળી ટોટલ એક એકરે એક લાખ છોત્તેર હજાર જેટલો ખર્ચ થાય છે જેમાંથી 200 કિવન્ટલ ઉત્પાદન કરી હાલનું બજાર ભાવ 2500 રૂપિયા કિવન્ટલ એટલે છ લાખ પચ્ચીસ હજાર જેટલી માતબર આવક મેળવે છે જેમાં ચાર લાખ જેટલો ચોખ્ખો નફો કરી ઉત્તમ ખેડૂતની નામના મેળવી છે.



દેવેશભાઈ પટેલને સફળ ખેડૂત તરીકે રાજ્ય -કેન્દ્ર તેમજ ઇન્ટરનેશનલ એવોર્ડ થી નવાજવામાં આવ્યા છે .આજે તેમના ફાર્મ પર દેશ વિદેશના કૃષિ વૈજ્ઞાનિક વર્ષ દરમિયાન મુલાકાત લેતા હોય છે સાથે સાથે દેવેશભાઈ આણંદ કૃષિ યુનિર્વસિટી માં પણ કૃષિનું શિક્ષણ લેતા વિધાર્થીઓને પણ માર્ગદર્શન પૂરું પાડી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.આ ખેડૂતને મોટી રકમની નોકરી ઓફર હોવા છતા તેઓએ નોકરીની ઓફર સ્વીકારી ન હતી. અને ઓર્ગેનિક ખેતીમાંજ કઈક નવું કરવનું અને આગળ વધવાનું વિચાર્યું છે.હાલમાં  દેવેશ ઓર્ગેનિક ખેતી કરીને વર્ષે લાખો સુધીની કમાણી કરી રહ્યા છે.





દેવેશે આજથી 4 વર્ષ અગાઉ ઓર્ગેનિક ખેતી કરવાની શરૂઆત કરી હતી તેમજ હાલમાં તેઓ 7 એકર જમીન પર ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે.દેવેશ જણાવે છે કે, હળદરની કેપ્સ્યુલ બનાવવામાં 2 વર્ષ સુધી સંશોધન પર કામ કર્યું હતું. આની માટે આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી સલાહ તેમજ માર્ગદર્શન મેળવ્યું હતું.



બાદમાં આ કેપ્સ્યુલ બનાવી હતીહાલમાં દેવેશ 5,000 કેપ્સ્યુલ્સનું ઉત્પાદન કરી રહ્યા છે.દેવેશનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો તેમજ શરૂઆતમાં ખેતી કરવામાં ખુબ મુશ્કેલી પણ પડતી હતી.આજે 4 વર્ષના સમયગાળામાં ઓર્ગેનિક ખેતી કરી અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ સાબિત થયા છે.જેના લીધે અન્ય કેટલાક ખેડૂતો પણ ઓર્ગેનિક ખેતી કરવા પ્રેરિત થયા છે.



હળદર અને આદુની અન્ય પ્રોડક્ટ બનાવવા માટે દેવેશભાઈ દ્વારા જાતે અનેક આધુનિક મશીનો પણ વિકસાવ્યા છે સાથે સાથે અનેક લોકોને રોજીરોટી પણ આપી છે. પોતે ઓનલાઇન વેબસાઇટ દ્વારા ડાઇરેક્ટ ઓર્ડરો લઈ માર્કેટિંગ કરી પોતે બનાવેલ પ્રોડક્ટ સીધી ગ્રાહક પાસે પહોંચાડે છે.



અને સાથે સાથે દેશના ખેડૂત ને સોશિયલ મીડિયાનાં ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવી ખેતી પાકમા મૂલ્ય વૃદ્ધિ અને માર્કેટીંગ કરતા બધા ખેડૂતને પોતાના અનુભવ થકી માહિતગાર પણ કરે છે.અત્યારે જાંબુ ને હળદરનું કોમ્બિનેશન પ્રોડક્ટ ડાયાબીટીસ દર્દી માટે પણ ખાસ પ્રયોગ પર કામ કરી રહ્યા છે.



ખેડુતને બજાર ભાવના મળવા હોવાથી રાજ્યની સૌથી મોટી (એફ.પી.ઓ.) બનાવી છે જેનું નામ ધ વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર કો ઓપરેટીવ સોસાયટી લિ છે જે અમૂલ મોડલ કો ઓપરેટીંગ ના ધારા ધોરણ પર રિજિસ્ટેશન થયેલું છે.



આ સંસ્થા ખેડૂત ને બજાર આપવા માટે રચાઈ છે જેમાં ગુજરાત ના બધા ઓર્ગેનિક ખેડૂત આ મંડળી મા જોડાયા છે જેમાં અત્યારે 350 થી વધારે સભાસદો છે અને દેવેશ પટેલ આ સંસ્થા ના પ્રેસિડન્ટ છે.ગુજરાત નાં વિકાસશીલ ખેડૂત માટે દેવેશ ભાઈ પાસે માહિતી પણ મળી રહેશે.

સરનામું :

એગ્રિપિનયોર :દેવેશ પટેલ

સત્વ ઓર્ગેનિક, વૃંદાવન કોલ્ડ સ્ટોરેજ, નેશનલ હાઇવે નં 64, બોરીયાવી - 387310, જિલ્લો Anand, ગુજરાત

કોન્ટેક્ટ: 91 982 450 6878

ઇમેઇલ : satvaorganic@gmail.com

વેબસાઈટ:https://www.satvaorganic.com/
First published:

Tags: Anand, Gujarat farmer, Organic farming, Product, Turmeric