Home /News /anand /Anand: ગળતેશ્વરના પ્લેટિનમ વનના વૃક્ષોમાં દાંડી યાત્રાની ઝલક દેખાશે, આટલા હેક્ટરમાં ફેલાયલું છે વન

Anand: ગળતેશ્વરના પ્લેટિનમ વનના વૃક્ષોમાં દાંડી યાત્રાની ઝલક દેખાશે, આટલા હેક્ટરમાં ફેલાયલું છે વન

 ટી-તુલસી, નગોડના ઔષધિના છોડ અહી ઉગાડવામાં આવ્યાં છે. 

ખેડા જિલ્લાની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે પ્લેટિનમ વન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં રેડિયો વન, નમો વન, સરદાર વન આવેલા છે. તેમજ દાંડી યાત્રાની 22 પ્રતિકૃતિ વૃક્ષોનાં માધ્યમથી બતાવવામાં આવી છે.

Salim chauhan, Anand: ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં સ્થિત ગળતેશ્વર મહાદેવનું મંદીર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયના દર્શને આવતા ભાવિક ભક્તો કાળિયા ઠાકરના દર્શન કરીને ગળતેશ્વર મહાદેવ મંદીરના દર્શને અચૂક આવતા હોય છે.

ખેડા જિલ્લા વન વિભાગ દ્વારા ગળતેશ્વર તાલુકાના સરનાલ ગામે ગળતી નદીના કાંઠે ગળતેશ્વર મહાદેવ મંદિરના પાસે પ્લેટિનમ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. અનેકવિધ છોડ, ફુલો અને વૃક્ષોથી સજ્જ સુંદર ઉપવન પ્રકૃતિના ઉપાસકો માટે નિરાંત અને પ્રકૃતિ-પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

પ્લેટિનમ વનની મુખ્ય વિશેષતા

અંહી મહાત્મા ગાંધીની ઐતિહાસિક દાંડી યાત્રાના 22 સ્થળોની પ્રતિકૃતિ વૃક્ષોના માધ્યમથી બતાવવામાં આવી છે. આ ઉપરાંત અહીં સરદાર વનમાં સરદાર વલ્લભભાઈ પટેલની જીવંત વૃક્ષ-મૂર્તિ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. પ્લેટિનમ વનના આકર્ષણના કેન્દ્રો દાંડી યાત્રા સ્મૃતિ પથ પણ છે. હાલ 1 હેકટર ભૂમિમાં પથરાયેલા આ બાગમાં વિવિધ વૃક્ષો દ્વારા ગાંધીજીની દાંડીયાત્રાના સાબરમતી આશ્રમથી લઈને દાંડી સુધીના 22 સ્મારકોની પ્રતિકૃતિને આકાર આપવામાં આવ્યો છે.

વિવિધ વનની માહિતી મેળવો

રેંટિયો વન: આ વનમાં વિવિધ વનસ્પતિઓ દ્વારા ગાંધીજીના રેંટિયાની આરીઓનો આકાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત 75માં આઝાદી કા અમૃત મહોત્સવનું લખાણ પણ વિવિધ છોડ દ્વારા કરવામાં આવ્યુ છે.

નમો વડ: આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીની વિશિષ્ટ કામગીરી રૂપે અહીં 75 વડ ઉગાડવામાં આવ્યાં છે.

સરદાર વનઃ આ વનમાં વિવિધ વનસ્પતિઓ દ્વારા બનાવેલી દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ પર્યટકોનું ધ્યાન આકર્ષે છે.

ઓક્સિજન પાર્ક: અહીં શ્વાસનું મહત્વ સમજાવવા ફેફસાના આકારમાં આયુર્વેદિક વૃક્ષો અને વનસ્પતિ જેમ કે ટી-તુલસી, નગોડના ઔષધિના છોડ અહી ઉગાડવામાં આવ્યાં છે. મોટી સંખ્યામાં અહીં વૃક્ષો ઉગાડવામાં આવ્યાં છે.

આ ઉપરાંત, કાંચનાર, ચંપો, અને પીપળાના મોટી માત્રામાં ઉગેલા વૃક્ષો પ્લેટિનમ વનની રમણીયતા અને શાંતિમાં વૃદ્ધિ કરે છે. સાથે સાથે પ્લેટિનમ વનમાં નાના મોટા જીવો પ્રકૃતિની ગોદમાં આનંદથી રહે છે.



ખેડા જિલ્લા 21.05 ચો.કિમી જંગલ વિસ્તાર છે

સરકારની સામાજિક વનીકરણ યોજના અંતર્ગત પ્લેટિનમ વન પ્રોજેક્ટનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. 1969-70માં શરૂ કરવામાં આવેલી સામાજિક વનીકરણની યોજનાનો આશય બિન-જંગલ વિસ્તારમાં વૃક્ષારોપણ કરવાનો છે. ગુજરાત ફોરેસ્ટ સ્ટેટેસ્ટીક્સ વર્ષ 2020-21 મુજબ અત્યારે ખેડા જિલ્લા 21.05 ચો.કિમી જંગલ વિસ્તાર છે. ત્યારે વનીકરણ માટેના પ્લેટિનમ વન પ્રોજેકટની સફળતાનું મહત્વ અનેકગણુ વધી જાય છે.
First published:

Tags: Anand, Forests, Local 18, Tourist

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો