Home /News /anand /Nadiad: પોષી પૂનમે સંતરામ મંદિરમાં 2 લાખ ટન બોર ઉછાળાશે, આટલા ભક્તો લાભ લેશે

Nadiad: પોષી પૂનમે સંતરામ મંદિરમાં 2 લાખ ટન બોર ઉછાળાશે, આટલા ભક્તો લાભ લેશે

સંતરામ મંદિર ખાતે વર્ષોની પરંપરા મુજબ 6 જાન્યુઆરીને પોષી પૂનમે બોર ઉછળશે.

નડિયાદના સંતરામ મંદિર ખાતે વર્ષોની પરંપરા મુજબ 6 જાન્યુઆરીને પોષી પૂનમે બોર ઉછાળ કરી ઉજવણી કરાશે. નડિયાદના વેપારીઓએ 2 લાખ બોરનું એડવાન્સ બુકિંગ કરાવ્યું છે, જે એક જ દિવસમાં વેચાઇ જશે.

Salim chauhan,Anand:  નડિયાદના સંતરામ મંદિર ખાતે વર્ષોની પરંપરા મુજબ 6 જાન્યુઆરીને પોષી પૂનમે બોર ઉછાળાશે. જેના માટે નડિયાદના વેપારીઓએ 2 લાખ ટન બોરનું એડવાન્સ બુકિંગ કરાવ્યું છે. જે એક જ દિવસમાં વેચાઇ જશે. બાળકો બોલતા ન હોય કે બોલવામાં તકલીફ પડતી હોય તેવા પરિવારો બોર ઉછાળવાની બાધા રાખતા હોય છે. પોષી પૂનમે થતાં બોરના ઉત્સવ બાદ શ્રદ્ધાળુઓ બોર ભેગા કરીને પ્રસાદી રૂપે લઇ જાય છે.

20 ટ્રક બોરનું એડવાન્સ બુકિંગ કરાવ્યું છે.

સ્થાનિક વેપારી વિજય તળપદાએ જણાવ્યું હતું કે, પોષી પૂનમના એક દિવસના વેપાર માટે વેપારીઓએ 20 ટ્રક બોરનું એડવાન્સ બુકિંગ કરાવ્યું છે. એક ટ્રક માં 10 હજાર કિલો બોર આવતા હોય છે. 2 લાખ કિલો બોરનું એડવાન્સ બુકિંગ વેપારીઓ દ્વારા કરી દેવાયું છે.

નડિયાદ સ્થિત શ્રીસંતરામ મંદિરમાં બારે માસ પરંપરાગત તહેવારોની ઉજવણી થાય છે.જેમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી ભક્તો આવતા હોય છે. ભક્તોની બોરની માંગને પહોંચી વળવા નડિયાદના વેપારીઓએ 2 લાખ કિલો બોરનું એડવાન્સ બુકીંગ કરાવી દીધું છે.

100 વર્ષ પૂર્વે પ્રથાનો પ્રારંભ થયો હતો

શ્રીસંતરામ મંદિરમાં 100 વર્ષ પૂર્વે બોર ઉછાળવાની પ્રથા શરૂ થઈ હતી. દર વર્ષે 1 લાખથી વધુ ભક્તો પોષી પૂનમના દિવસે શ્રીસંતરામ મહારાજની અખંડ જ્યોતના દર્શન અને બાધા-માનતા પૂર્ણ કરવા માટે શ્રીસંતરામ મંદિર આવતા હોય છે.



પૂના, નાસિક, સૌરાષ્ટ્રની વાડીમાંથી બોર આવે છે

પોષી પૂનમ માટે મહિના પહેલા પૂના, નાસિક, સૌરાષ્ટ્ર, ખેડા, આણંદ જિલ્લાની વાડીઓમાં બુકિંગ કરાવાય છે. નડિયાદ ના વેપારી કરણ એચ.ધરમાણીએ જણાવ્યું હતું કે 4 તારીખ રાત સુધીમાં બોર આવી જશે અને પોષી પૂનમે વેચાઈ પણ જશે.
First published:

Tags: Local 18, Nadiad, Temple