Home /News /amreli /Amreli:મનોદિવ્યાંગ મહિલા અહીં થઇ સ્વસ્થ, BSFના જવાનોની મદદથી પરિવાર મળ્યો

Amreli:મનોદિવ્યાંગ મહિલા અહીં થઇ સ્વસ્થ, BSFના જવાનોની મદદથી પરિવાર મળ્યો

X
 માનવ

 માનવ મંદિર ખાતે ભક્તિરામ બાપુ દ્વારા કરવામાં આવે છે મનો દિવ્યાંગ વ્યક્તિની સેવા

લાઠી પાસથી આઠ માસ પહેલા મનોદિવ્યાંગ મહિલા મળી આવી હતી. આ મહિલાને માનવ મંદિર આશ્રમમાં રાખવામાં આવી હતી. આ મહિલા સ્વસ્થ થતા મધ્યપ્રેદશની હોવાની જાણ થઇ હતી. બીએસએફના જવાનોની મદદથી પરિવાર સાથે મિલન થયું હતું.

Abhishek Gondaliya. Amreli: સાવરકુંડલા પાસે માનવ મંદિર આશ્રમ આવેલું છે.આ માનવ મંદિરમાં માનવીઓની સેવા કરવામાં આવે છે. માનવ મંદિર આશ્રમના મહંત ભક્તિરામ બાપુની નિશ્રામાં અહીં મોટી સંખ્યામાં દિવ્યાંગ મહિલાઓ અને પુરુષો સેવા કરવામાં આવે છે. અહીં તમામ પ્રકારની સુવિધાઓ તેમજ ડોક્ટરો સારવાર કરે છે. ભક્તિ રામ બાપુએ દિવ્યાંગ વ્યક્તિઓ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. ભક્તિરામ બાપુ મનોદિવ્યાંગ વ્યક્તિઓની સેવા કરે છે અને સાજા થયેલા મહિલા અને પુરુષને તેના પરિવાર સાથે મિલન કરાવે છે.અહીં સાજા થયેલા બહેનોને ભક્તિરામ બાપુ લગ્ન કરાવે છે.

લાઠીથી મળેલી મહિલા સ્વસ્થ થઇ



લાઠી પાસે મનોદિવ્યાગ મહિલા રખડતી ભટકતી હતી અને પોલીસ કર્મચારીઓના ધ્યાને મહિલા આવી હતી. મહિલાને માનવ મંદિર ખાતે ભક્તિરામ બાપુના આશ્રમમાં મૂકવામાં આવી હતી. અહીં શારીરિક,માનસિક અને આધ્યાત્મિક રીતે મનોદેવ્યાંગ મહિલાની સારવાર કરવામાં આવી હતી અને મહિલા 90 ટકા સ્વસ્થ થઈ હતી.


મહિલા મધ્યપ્રદેશના હોવાનું જાણવા મળ્યું હતું



સાવરકુંડલા નજીક આવેલ આશ્રમ માનવ મંદિરે આજથી આઠ માસ પહેલા લાઠી પોલીસ એક મનોરોગી મહિલાને દાખલ કરી ગઈ હતી .જેનું નામ પ્રેમવતી હતું .સમય જતા દવા અને દુવાથી મહિલા સ્વસ્થ થયા હતા.મહિલા મધ્યપ્રદેશના હોવાનું જાણવા મળ્યું હતું. થોડા દિવસો પહેલા જ મનોરોગી આશ્રમે ચૂંટણી કામમાં રોકાયેલા બીએસએફના જવાનો માનવ મંદિરે મુલાકાતે આવ્યા હતા. ત્યારે ભક્તિ બાપુએ તેમને આ મહિલા મધ્યપ્રદેશની છે તેમ કહ્યું હતું અને તેમની પરિવારની ભાળ મેળવવા મદદ કરવા જણાવ્યું હતું.


જવાનોએ મધ્યપ્રદેશમાં વિડીયો અને માહિતી મોકલી


BSFના જવાનોએ મધ્યપ્રદેશમાં વિડીયો અને માહિતી મોકલી હતી. તેમજ ત્યાંના લોકલ મીડિયામાં આ ન્યૂઝ આવતા તેમનો પરિવાર ગ્વાલિયર નજીકના ગામથી મળી આવ્યો હતો. ભક્તિ બાપુનો મોબાઇલ નંબર વાયરલ કરતા અનેક ટેલિફોનિક સંપર્કો થયો હતો. મહિલાના પરિવાર તેમની માતા તેમના બે ભાઈ અને તેમના પતિ આજે સાવરકુંડલા મનોરોગ્ય આશ્રમ માનવ મંદિર આવ્યા હતા. આ મહિલાને પોતાના વતન લઈ જવા માટે રજુઆત કરી હતી.સાવરકુંડલા પોલીસની મદદથી તેમને ડોક્યુમેન્ટ તપાસી ભક્તિ બાપુની ઉપસ્થિતિમાં સોંપવામાં આવી હતી.પરિવાર દ્વારા ગુજરાત પોલીસ અને ભક્તિ બાપુનો આભાર માન્યો હતો.અહીંથી 109માં બહેન સાજા થઇ ઘરે ગયા હતા.

First published:

Tags: Amreli News, BSF, Local 18, Women મહિલા

विज्ञापन