
શું તમને ખબર છે 1947માં દેશ જ્યારે આઝાદ થયો ત્યારે સોના-ચાંદીની કિંમત (Gold Silver rates in 1947) કેટલી હતી? આઝાદીના 74 વર્ષ પછી સોના-ચાંદીએ કેટલું વળતર (Gold Silver return) આપ્યું? હકીકતમાં સોના સાથે દરેક ભારતીય પરિવારનો ભાવાત્મક સંબંધ છે. ખરાબ સમયમાં પૈસાની જરૂરિયાતને પહોંચી વળવા માટે સોનાને સંભાળીને રાખવાની પરંપરા છે. આ જ કારણ છે કે ભારતમાં દરેક ઘરમાં થોડું કે વધારે સોનું મળી આવે છે. તો આવો જાણીએ આઝાદી બાદ અત્યારસુધી સોનાની સફર વિશે.