Home /News /ahmedabad /Organ Donation: અન્ય દેશના બ્રેઇનડેડ દર્દીનું ગુજરાતમાં અંગદાન થયું હોવાની પ્રથમ ઘટના
Organ Donation: અન્ય દેશના બ્રેઇનડેડ દર્દીનું ગુજરાતમાં અંગદાન થયું હોવાની પ્રથમ ઘટના
અંગદાનમાં મળેલા હ્યદયને ગ્રીનકોરિડોર મારફતે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે.
અંગદાન બાદ ગુજરાતમાં અંગદાનની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા અંગદાન સેવા ટ્રસ્ટ દ્વારા પાર્થિવ દેહને મોટરમાર્ગે નેપાળ પહોંચાડવાની સમગ્ર વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. મૂળ નેપાળના અને અમદાવાદમાં 8 વર્ષથી સ્થાયી થયેલ મંગેતા પરિવારના 25 વર્ષીય યુવક લક્ષ્મણભાઇને 10 જૂનના રોજ માર્ગ અકસ્માત સાંપડ્યો હતો.
ગુજરાત (Organ donation in Gujarat) સરકારે આદરેલા અંગદાન (Organ donation)ના સેવાયજ્ઞ અને સેવાકીય કાર્યોની મ્હેક 1301 કિ.મી. દૂર નેપાળ (Nepal) સુધી પ્રસરી છે. આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital)માં સારવાર દરમિયાન બ્રેઇનડેડ (Brain Dead People Organ donation) થયેલ 25 વર્ષના નેપાળી યુવક લક્ષ્મણભાઇ મંગેતાના પરિજનોએ અંગદાનનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં અન્ય દેશના દર્દીએ અંગદાન કર્યું હોય તેવી સમગ્ર ગુજરાતમાં અને સંભવત: દેશમાં પ્રથમ ઘટના છે.
અંગદાન બાદ ગુજરાતમાં અંગદાનની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા અંગદાન સેવા ટ્રસ્ટ દ્વારા પાર્થિવ દેહને મોટરમાર્ગે નેપાળ પહોંચાડવાની સમગ્ર વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. મૂળ નેપાળના અને અમદાવાદમાં 8 વર્ષથી સ્થાયી થયેલ મંગેતા પરિવારના 25 વર્ષીય યુવક લક્ષ્મણભાઇને 10 જૂનના રોજ માર્ગ અકસ્માત સાંપડ્યો હતો. માર્ગ અકસ્માત દરમિયાન માથાના ભાગમાં ગંભીર પ્રકારન ઇજા થતા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા.
ટ્રોમા સેન્ટરના તબીબોએ જરૂરિ તમામ રીપોર્ટસ કરાવ્યા બાદ સ્થિતિ ગંભીર જણાઇ આવતા આઇ.સી.યુ.માં દાખલ કર્યા હતા. રીપોર્ટમાં હેમ્રેજ થયું હોવાનું નિદાન થયું હતુ. ચાર દિવસની અથાગ મહેનત બાદ પણ 14 જૂને લક્ષ્મણભાઇને તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. લક્ષ્મણભાઇના બ્રેઇનડેડ થયાના સમાચાર સાંભળીને પરિવારજનો ગમગીન બન્યા હતા. પરંતુ આ ક્ષણે પરોપરકારન ભાવ કેળવીને પોતાના અનમોલ રત્નને અમરત્વ પ્રદાન કરવા અંગદાનનો નિર્ણય કર્યો હતો.
બ્રેઇનડેડ લક્ષ્મણભાઇના અંગદાનમાં હ્યદય, બે કિડની, લીવર અને સ્વાદુપિંડનું દાન મળી જવા પામ્યું છે. અંગદાનમાં મળેલા હ્યદયને ગ્રીનકોરિડોર મારફતે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે. જ્યારે લીવર અને સ્વાદુપિંડને મુંબઇ સ્થિત ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ માટે પહોંચાડવામાં આવ્યા છે. કિડનીને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં મોકલાયું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી જણાવે છે કે, મૂળ નેપાળમાં અને વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયેલા મંગેતા પરિવારના લક્ષ્મણભાઇના પાર્થિવદેહને સ્વમાનભેર નેપાળ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથો સાથો સિવિલ હોસ્પિટલના ખર્ચે તેમના પરિવારજનો માટે અન્ય મેડિકલ વ્યવસ્થા કરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલમાં કુલ 70 અંગદાન થયા છે. જેમાં 221 અંગો મળ્યા જેના થકી 198 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. સિવિલ હોસ્પિટલમાં થયેલ 68 અને 69 માં અંગદાનમાં ક્રમશ: જયાબેન વિંજુડા અને કિરણભાઇ પણ સિવિલ હોસ્પિટલમા સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા બંને કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી હતી. લક્ષ્મણભાઇને માર્ગ અકસ્માત બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે જન્મદિવસના દિવસે જ તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. બીજા દિવસે તેમના અંગોને રીટ્રાઇવ કરવામાં આવ્યા હતા. આમ લક્ષ્મણભાઇ મૃત થઇને પણ જીવી ગયા અને તેમનો પુર્નજન્મ થયો છે.