Home /News /ahmedabad /‘મેરા પતિ અપની ઔરત કો પૈર કી જુતી સમજતા હૈ’ સાસરિયાના ભયાનક ત્રાસથી પરિણીતાએ વખ ઘોળ્યું

‘મેરા પતિ અપની ઔરત કો પૈર કી જુતી સમજતા હૈ’ સાસરિયાના ભયાનક ત્રાસથી પરિણીતાએ વખ ઘોળ્યું

પરિણીતાએ કરી આત્મહત્યા

Ahmedabad Suicide case: શહેરના રામોલ વિસ્તારમાં એક પરિણીતાએ સ્યુસાઇડ નોટ લખીને આત્મ હત્યા કરી લીધી છે. પરિણીતાનો આરોપ છે કે, તેના પતિ અને સાસુ સસરા દહેજ માટે તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતાં. જ્યારે તેનો પતિ તેની સાથે મારઝુડ પણ કરતો હતો. પોલીસએ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.

વધુ જુઓ ...
અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં એક પરિણીતાએ સ્યુસાઇડ નોટ લખીને આત્મ હત્યા કરી લીધી છે. પરિણીતાનો આરોપ છે કે, તેના પતિ અને સાસુ સસરા દહેજ માટે તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતાં. જ્યારે તેનો પતિ તેની સાથે મારઝુડ પણ કરતો હતો. પરિણીતાએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા પોલીસએ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ શહેરમાં દિવસે દિવસે આત્મહત્યાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચો: માની મમતા મરી પરવારી? બીમાર બાળકીને હોસ્પિટલના ત્રીજા માળેથી નીચે ફેંકી દીધી

સાસરિયાની ત્રાસથી મહિલાએ જીવન ટૂંકાવ્યું


મૂળ ઉત્તરપ્રદેશની યુવતીએ રામોલ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, તેની બહેનના લગ્ન કાનપુર ખાતે રહેતા એક યુવક સાથે થયા હતાં. લગ્નના એકાદ મહિના બાદ તેની બહેન પતિ અને સાસરિયા સાથે અમદાવાદના વસ્ત્રાલ ખાતે રહેવા માટે આવ્યા હતાં. લગ્નના ચારેક મહિના બાદ એટલે કે એપ્રિલ 2021માં ફરિયાદીની બહેનએ તેને ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, તેનો પતિ અને સાસુ સસરા નાની નાની બાબતોમાં તેની સાથે બોલાચાલી કરીને ઝઘડો કરે છે, અને તારા ભાઇએ તને દહેજમાં કાંઇ આપ્યું નથી તેમ કહીને મેણા ટોણા મારી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપે છે. તે બીમાર પડે તો તેના સાસરિયા તેની સારવાર પણ કરાવતા નથી.

આ પણ વાંચો: ઇન્કમટેક્ષની બોગસ નોટીશો અને ચલણો દ્વારા છેતરપિંડી આચતો એકાઉન્ટન્ટ ઝડપાયો

પરિણીતાએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા


ઉલ્લેખનીય છે કે, ગઇકાલે સવારે ફરિયાદી ઘરે હાજર હતાં ત્યારે સવારે સાતેક વાગ્યાની આસપાસ તેના બનેવીનો તેના પર ફોન આવ્યો હતો. તેરી બહન મર ગઇ હૈ તેમ કહીને ફોન કટ કરી દીધો હતો. જે બાબતની જાણ ફરિયાદીએ તેના પરિવારજનોને કરતાં તેઓ તાત્કાલિક અમદાવાદ ખાતે આવી પહોચ્યા હતાં. જ્યાં તેના બનેવી તેને કહ્યું હતું કે રાતના સાડા દશેક વાગ્યાની આસપાસ તેઓ ઉપરના માળે બેડરૂમમાં સુઇ ગયા હતાં. જો કે સવારે છ વાગ્યાની આસપાસ તે જાગી જતાં જોયું તો બેડરૂમમાં તેના પત્ની જોવા મળ્યા ના હતાં. જેથી આસપાસમાં તપાસ કરતાં બાજુના બેડરૂમમાં તે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા સમગ્ર ઘટનાની જાણ 108ને કરવામાં આવી હતી. આ બાદ 108ના સ્ટાફે પરિણીતાને મૃત જાહેર કરતાં સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ‘લોભીનું ધન ધુતારા ખાય’ કહેવતને સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો

આપઘાપ પહેલા પરિણીતાએ સ્યુસાઈડ નોટ લખી હતી


મૃતક પરિણીતાના ઘરમાંથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં લખવામાં આવ્યું હતું કે, ‘મે અપની જીંદગી સે પરેશાન હોકર આત્મહત્યા કરને જા રહી હું, મેરે પતિને મુઝે મારા થા ઔર આજ હી નહીં દો સાલમે તીન સે ચાર બાર માર ચુકા હૈ, લેકીન મેરી મજબુરીથી ઇનકે સાથે રહના, ક્યોંકી મે ઔર કહા જાતી. ઇનકે ઘરમે બહું કી ઇજ્જત નહીં હોતી. ઇન લોગો કો બહું નહીં નોકરાની ચાહીયે થી, જો સારા દિન કામ કરે. બસ કિસી સે કુછ ના બોલે, ન પતિસે, ન સાસે ઔર ન ઇનકી લડકી સે. મેરા પતિ અપની ઔરત કો પૈરો કી જુત સમજતા હૈ. ઔર ઇનકા પુરા ઘર સમજતા હૈ. ચાહે બુખાર હો યા ઔર કોઇ તકલીફ હો ઇન લોગો કો કોઇ ફરક નહીં પડતાં. બસ ઘર કા સારા કામ હોના ચાહિએ. ઔર એ લોગ દહેજ કે લીયે ભી મુઝે બોલતે થે. કહેતે થે કે તેરે ઘર વાલોને કુછ નહી દીયા. ઇનકી પહલી બીબી જો થી ઉસકા ભી વહી હાલ થા. લેકીન વો જીતી રહી ક્યોંકી ઉસકી લડકી થી. ઉસકે જાને કા સહારા વો બિચારી સહતી રહી, લેકીન ભગવાન સે નહીં સહા ગયા તો ઉન્હોને ઉસે અપને પાસ બુલા લીયા લેકીન મેરે પાસ જીને કા સહારા ભી નહીં હૈ. ઇન લોગો સે મીલને કે બાદ જીસકો ભી યહ લેટર મીલે વો પોલીસ કો જરૂર દે દેના યા મેરે ઘર વાલા કો દે દેના. મેરે ભાઇઓ મુઝે માફ કર દેના મે આપ કી ઇજ્જત નહીં રખ પાઇ. મે જેવર લેકે આઇથી જો ઇન લોકો કે પાસ હૈ, વો ઇન લોકો સે લેકર મેરી અમ્મા કો દે દિયા જાઇ.’

આ પણ વાંચો: નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર

પોલીસે આ મામલે તપાસ હાથ ધરી


ઉલ્લેખનીય છે કે, પરિણીતાના ભાઈઓને આ સ્યુસાઈડ નોટ મળી હતી. સ્યુસાઇડ નોટના આધારે મૃતક પરિણીતાની બહેને પોલીસ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આ સમગ્ર મામલે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, નવા વર્ષની શરૂઆતમાં જ આત્મહત્યાની બનાવો સામે આવી રહ્યા છે. ઘરેલું હિંસાની કારણે પરિણીતાઓ પોતાની જિંદગી ટૂંકાવી રહી છે. આ મામલે પોલીસ પણ પોતાની કામગીરી કરી રહી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Domestic Violance, Suicide case, Woman suicide

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો