Home /News /ahmedabad /અમિત શાહે 'સ્વામિનારાયણ નગર'નું કર્યું કળશ સ્થાપન, 7000 વૃક્ષો અને દસ લાખથી વધુ કૂલ-છોડ રોપાયા
અમિત શાહે 'સ્વામિનારાયણ નગર'નું કર્યું કળશ સ્થાપન, 7000 વૃક્ષો અને દસ લાખથી વધુ કૂલ-છોડ રોપાયા
ગૃહમંત્રી અમિત શાહે વિધિપૂર્વક કળશ - સ્થાપન કરીને મહોત્સવ સ્થળના નિર્માણનું એક મહત્ત્વનું સોપાન આરંભ્યું હતુ.
Swaminarayan Nagar Ahmedabad: મહોત્સવનું વિશાળ પ્રતિકચિહ્ન સ્થાપિત થવાનું છે એ સ્થળે વેદોક્ત વિધિપૂર્વક કળશ - સ્થાપન વિધિ કરવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહે વિધિપૂર્વક કળશ - સ્થાપન કરીને મહોત્સવ સ્થળના નિર્માણનું એક મહત્ત્વનું સોપાન આરંભ્યું હતુ.
અમદાવાદ : પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ (Pramukh Swami Shatabdi Mahotsav) સ્થળે ગૃહમંત્રી અમિત શાહના (Amit shah) હસ્તે કળશ - સ્થાપન કરવામાં આવ્યું છે. દસ લાખથી વધુ ફૂલ - છોડ અને વૃક્ષોના વાવેતર વચ્ચે ગ્રીન - ક્લીન મહોત્સવ સ્થળે ૫૦,૦૦૦ થી વધુ સ્વયંસેવકો સેવા કરશે. સંત પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અગામી ડિસેમ્બર - જાન્યુઆરીમાં અમદાવાદ ખાતે લાખોની જનમેદની વચ્ચે ભક્તિભાવથી ઉજવાનાર છે. આ મહોત્સવ માટે અમદાવાદની પશ્ચિમે સાયન્સ સીટી - ઓગણજ સર્કલ વચ્ચે સરદાર પટેલ રીંગ રોડના કિનારે એક વિશાળ મહોત્સવ - સ્થળ સ્વામિનારાયણ નગર ' (Swaminarayan Nagar) આકાર લઇ રહ્યું છે .
સ્થાનિક ખેડૂતો, બિલ્ડરો અને વેપારીઓએ મહોત્સવ માટે સેવામાં આપેલ કુલ ૬૦૦ એકર ગ્રીન એન્ડ ક્લીન ' મહોત્સવ ભૂમિમાં મહોત્સવ - સ્થળ ‘ સ્વામિનારાયણ નગર ' આકાર લઇ રહ્યું છે. સ્થળ તરીકે વિકસી રહેલા આ સ્વામિનારાયણ નગરમાં ૭૦૦૦ વૃક્ષો અને દસ લાખથી વધુ કૂલ - છોડ રોપવામાં આવ્યા છે .જે શોભામાં અભિવૃદ્ધિ તો કરશે પરંતુ પર્યાવરણની જાગૃતિનો સંદેશ પણ આપશે .
જ્યાં લાખો લોકો ઉમટશે એ મહોત્સવ સ્થળ " સ્વામિનારાયણ નગર " એક એવી નગરી હશે - જ્યાં વિશાળ કલાત્મક પ્રવેશ દ્વારો હશે. કલામંડિત મંદિર અને ભક્તિમંડપો હશે, જીવનને અલંકૃત કરે તેવી વિવિધ પ્રેરણાઓ આપતા પ્રદર્શનો હશે . સાંસ્કૃતિક સંદેશ આપતા અનેકવિધ રચનાત્મક સ્પોટ્સ હશે, વ્યાખ્યાન - ગીત - સંગીત - નૃત્ય વગેરે કાર્યક્રમોથી ગૂંજતા સભામંડપો અને કોન્ફરન્સ સ્થળ હશે. જેમાં દેશ - વિદેશના વિવિધ ક્ષેત્રોના ધુરંધરો અને ભારતના મહાન સંત - મહાત્માઓના પ્રેરક વક્તવ્યોનો લાભ મળશે.
બાળકોને શિક્ષણ,સંસ્કાર, સ્વાસ્થ્યની પ્રેરણા આપતી અનોખી બાળનગરી હશે, ખાણી - પીણીની વ્યવસ્થાઓ હશે અને હજારો સ્વયંસેવકો માટે આવાસ મંડપો હશે. દેશ વિદેશના અનેક પ્રસિદ્ધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં અહીં લાખો લોકો વિવિધ પ્રેરણાત્મક કાર્યક્રમોમાં ભાગ લઈને ધન્યતા અનુભવશે.
" isDesktop="true" id="1231901" >
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ માટે આકાર લઇ રહેલા સ્વામિનારાયણ નગરમાં હાલ ૨૦૦૦ થી વધુ સમર્પિત સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે , અને મહોત્સવ દરમ્યાન ૫૦,૦૦૦ થી વધુ સંખ્યામાં સેવા આપશે . આ મહોત્સવ - સ્થળના વિશાળ મુખ્ય પ્રવેશદ્વારે જ્યાં મહોત્સવનું વિશાળ પ્રતિકચિહ્ન સ્થાપિત થવાનું છે એ સ્થળે વેદોક્ત વિધિપૂર્વક કળશ - સ્થાપન વિધિ કરવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહે વિધિપૂર્વક કળશ - સ્થાપન કરીને મહોત્સવ સ્થળના નિર્માણનું એક મહત્ત્વનું સોપાન આરંભ્યું હતુ.