Home /News /ahmedabad /'સાબરમતી નદી ચોમાસાની નદી છે, તે એક પ્રકારનું તળાવ બની જાય છે: રાઇઝિંગ ઇન્ડિયામાં કેશવ વર્મા

'સાબરમતી નદી ચોમાસાની નદી છે, તે એક પ્રકારનું તળાવ બની જાય છે: રાઇઝિંગ ઇન્ડિયામાં કેશવ વર્મા

રાઇઝિંગ ઇન્ડિયા સમિટ 2023

Rising India Summit 2023: નેટવર્ક18ના બે-દિવસીય લીડરશિપ કોન્ક્લેવ રાઇઝિંગ ઇન્ડિયા સમિટ 2023નો આજે બીજો દિવસ છે. આ ક્રમમાં, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધ્યક્ષ કેશવ વર્માએ કહ્યું, 'ભારતમાં સારા વ્યૂહરચનાકારોની કોઈ કમી નથી. પરંતુ સમસ્યા એ રાજકીય ક્ષમતાની છે જેની તમને સતત અને લાંબા સમય સુધી જરૂર છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: નેટવર્ક18ના બે દિવસીય લીડરશિપ કોન્ક્લેવ રાઇઝિંગ ઇન્ડિયા સમિટ 2023નો આજે બીજો દિવસ છે. જેમાં દેશની તમામ મોટી હસ્તીઓ ભાગ લઈ રહી છે. આ ક્રમમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન કેશવ વર્મા અને મેનેજિંગ પ્રિન્સિપાલ આર્કિટેક્ટ દિક્ષુ સી. કુકરેજાએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ભારતીય શહેરોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારા વિશે વાત કરી હતી.

રાઈઝિંગ ઈન્ડિયા સમિટ 2023ના મંચ પર અયોધ્યામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે વાત કરતા દિક્ષુ સી. કુકરેજાએ કહ્યું કે, 'આજનો દિવસ અયોધ્યા વિશે વાત કરવા માટે ખાસ છે. તે આપણા બધાનો સંયુક્ત પ્રયાસ હતો. અયોધ્યાનું માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં વિશેષ મહત્વ છે. જે પણ વિકાસ થઈ રહ્યો છે તે અયોધ્યાની ઓળખ, સંસ્કૃતિ અને ઐતિહાસિક પાસાને જાળવીને કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: રાઈઝિંગ ઈન્ડિયા સમિટ 2023માં હરદીપ સિંહ પુરી, કોંગ્રેસ પર કર્યા પ્રહાર

સ્ટેજ પર હાજર સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન કેશવ વર્માએ જણાવ્યું હતું કે, 'સાબરમતી નદી ચોમાસાની નદી છે. તે અટકી જાય છે અને તે એક પ્રકારનું તળાવ બની જાય છે. અત્યારે એવી કોઈ સ્થિતિ નથી કે, કોઈ તેમાં જઈને તરી શકે, પરંતુ અમારા પ્રયાસોને કારણે નદીમાં ઓક્સિજનની હાજરી વધીને 8 ટકા થઈ ગઈ છે. તમે સાંભળીને ચોંકી જશો કે, લગભગ 100 થી 120 પક્ષીઓ અને પ્રજાતિઓ પરત ફર્યા છે.

નદીઓને રાજકીય સીમાઓ દેખાતી નથી

દેશની નદીઓ વિશે વાત કરતાં દિક્ષુ કુકરેજાએ કહ્યું કે, 'નદીઓ રાજકીય સીમાઓ જોતી નથી. આપણા દેશમાં ઘણી નદીઓ દેશની સીમાઓ ઓળંગે છે અને ઘણી રાજ્યોની સીમાઓ ઓળંગે છે. તેમની સ્થિતિ સુધારવા માટે સંયુક્ત પ્રયાસની જરૂર છે. એક જગ્યાએ તમે નદીની સંભાળ રાખો છો અને એક જગ્યાએ તમે નદીમાં ગંદકી નાખો છો તો તે સ્વચ્છ રહી શકતી નથી. પરંતુ હવે નદીને લઈને પણ નીતિઓ બનાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: નેટવર્ક18ના કાર્યક્રમ 'રાઇઝિંગ ઇન્ડિયા સમિટ 2023'માં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ

ભારતમાં સારા રણનીતિકારોની કમી નથી

નીતિઓ પર વાત કરતા કેશવ વર્માએ કહ્યું કે, 'ભારતમાં સારા રણનીતિકારોની કોઈ કમી નથી, પરંતુ સમસ્યા એ રાજકીય ક્ષમતાની છે જેની તમને સતત અને લાંબા સમય સુધી જરૂર છે. વાસ્તવમાં શું થાય છે કે, જ્યારે સરકાર આવે છે, ત્યારે તે પ્રોજેક્ટ શરૂ કરે છે. ઉદાહરણ તરીકે જ્યારે બીજી સરકાર આવે છે, ત્યારે તે તે પ્રોજેક્ટની તપાસ શરૂ કરે છે.
First published:

Tags: #News18RisingIndia, Bollywood News in Gujarati, News18 Rising India Summit, Sabarmati river