Home /News /ahmedabad /ભારતી આશ્રમ વિવાદ વકર્યો : 1500 કરોડની આશ્રમની પ્રોપર્ટી માટે ખોટું વીલ બનાવ્યાનો ૠષિભારતી બાપુ સામે આક્ષેપ

ભારતી આશ્રમ વિવાદ વકર્યો : 1500 કરોડની આશ્રમની પ્રોપર્ટી માટે ખોટું વીલ બનાવ્યાનો ૠષિભારતી બાપુ સામે આક્ષેપ

આશ્રમ જમીન વિવાદ

Ahmedabad Crime News: હરિહરાનંદ સ્વામી (Hariharanand swami) તરફથી યદુ નંદન ભારતી સ્વામીએ સરખેજ પોલીસ સ્ટેશને (sarkhej police station) પહોંચી આશ્રમ પર કબ્જો કરવા માટે રૂષિભારતી બાપુએ બનાવટી એકાઉન્ટ અને દસ્તાવેજો બનાવ્યાનો આક્ષેપ કાર્યો છે.

વધુ જુઓ ...
અમદાવાદ: ભારતી બાપુના (bharti bapu) બ્રહ્મલીન થયા બાદ રાજ્યમાં અલગ કરોડોની આશ્રમની જમીનોને (ashram land dispute) લઈ વિવાદ સપાટી પર આવ્યો છે. કરોડોની જમીન પચાવી પાડવાના આક્ષેપ થઈ રહ્યા છે. તેવામાં હરિહરાનંદ સ્વામી (Hariharanand swami) તરફથી યદુ નંદન ભારતી સ્વામીએ સરખેજ પોલીસ સ્ટેશને (sarkhej police station) પહોંચી આશ્રમ પર કબ્જો કરવા માટે રૂષિભારતી બાપુએ બનાવટી એકાઉન્ટ અને દસ્તાવેજો બનાવ્યાનો આક્ષેપ કાર્યો છે. તો પોલીસે પણ આ મામલે રજુઆત સાંભળી ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન મેળવી કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે.

ભરાતી બાપુના બ્રહ્મલીન થયા બાદ આશ્રમની જમીન હડપવાનો વિવાદ સમવાનું નામ લેતો નથી. સરખેજ પોલીસ સ્ટેશને પહોંચેલા યદુનંદન મહારાજ મીડિયા સમક્ષ મોટો ઘટસ્ફોટ કર્યો છે. પોલીસને રજુઆત કરવા પહોંચેલા બાપુએ જણાવ્યું કે અમે ગયા મહિને પોસ્ટ દ્વારા પણ પોલીસને ફરિયાદ મોકલી હતી. જેના પર હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. હવે રૂબરૂ ફરિયાદ કરવા આવ્યા છીએ.

જે પણ લોકો આમાં ઇનવોલ હોય તેમની સામે કાર્યવાહી થાય.  આશ્રમ પર કબ્જો કરવા માટે રૂષિભારતી બાપુ એ બનાવટી એકાઉન્ટ અને દસ્તાવેજો બનાવ્યા નો આક્ષેપ કર્યોં છે. રાજકોટના વકિલ પાસે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. ભારતી બાપુના બ્રહ્મલિન થયાના એક મહિના પહેલા દસ્તાવેજો બનાવ્યા હોવાનું તેમને જણાવ્યું છે. સાથે તેઓએ બે લેગ અલગ વીલ રજૂ કર્યા છે.

આ પણ વાંચોઃ-વહૂ ઝગડો ના કરે તે માટે સાસરિયાંએ તાંત્રિક પાસે મોકલી દેવામાં આવી, તાંત્રિકે 79 દિવસ સુધી આચર્યુ દુષ્કર્મ

બંનેમાં ભારતી બાપુની અલગ અલગ સહી હોવાનો આરોપ લગાવ્યો છે. ગુજરાત ભરના આશ્રમોની કુલ 1500 કરોડની સંપતી પચાવી લેવા કારસો રચાયો છે. બીજીતરફ એમ ડિવિઝનના એસીપી એસ ડી પટેલ એ જણાવ્યું કે આશ્રમ વિવાદ મામલે રજુઆત મળી છે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન બાદ યોગ્ય પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચોઃ-Honey trap: મહિલા અને તેના પ્રેમીએ વેપારીને ફસાવ્યો હનીટ્રેપમાં, 50 લાખ જેટલી રકમ પડાવી લેતા વેપારીનો આપઘાત

મહત્વનુ છે કે ભારતી બાપુના બ્રહ્મલીન થયાની ઘટના બાદ રાજ્યના અલગ અલગ જગ્યાઓ પર આવેલ આશ્રમોની જમીનને લઈ જૂનાગઢ મહંત હરીહરાનંદજી મહારાજ અને ૠષિ ભારતી મહારાજ સામ સામે આવ્યા છે. અગાઉ હરિહરાનંદજી મહારાજે સરખેજ આશ્રમના વિવાદને કારણે ગુમ થયા હોવાનું પણ સામે આવ્યું હતું.
Published by:Ankit Patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો