અમદાવાદ : એક તરફ વરસાદ વિરામ લેવાનું નામ નથી લેતો અને બીજી તરફ ગૃહિણીઓનાં બજેટ પર ફરી એકવાર માર પડ્યો છે. ગુજરાતમાં શાકભાજીના પાક પર મોટી અસરનું પરિણામ એ આવ્યું છે કે શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો નોંધાયો છે. એક સમયે જે શાકભાજી 20-30 રૂપિયે કિલો વેચાતા હતા તેનાં ભાવ ત્રણ ગણા વધીને 150સુધી પહોંચી ગયા છે.
જન્માષ્ટમી પૂરી થયા બાદ આજે ઘણાં સમય બાદ અમદાવાદની બજારમાં ખરીદી કરવા માટે નીકળેલા લોકોને આજે આંચકો લાગ્યો હતો. સામાન્ય રીતે કોરોનાને કાળમાં લોકો એકસાથે અઠવાડિયાની શાકભાજીની ખરીતી કરતા હોય છે. અમદાવાદના ગૃહિણી મેઘલ શાહનું માનીએ તો તેઓ માર્કેટમાં10 દિવસ પહેલાં ખરીદી કરવા આવ્યા હતા.
આજે જ્યારે તેઓ માર્કેટમાં ગયા ત્યારે ટામેટાંના ભાવ 80 રૂપિયા કિલો સાંભળીને ચોંકી ગયા હતા. આવો આંચકો ફક્ત મેઘલબેનને જ નહીં પરંતુ તમામ ગૃહિણીઓને લાગ્યો હતો. તમામ ગૃહિણીએ શાકભાજીના વધેલા ભાવથી તોબા પોકારી ગયા છે. જોએએ હાલ બજારમાં શાકભાજીના શું ભાવ છે.
વીડિયો જુઓ : ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે રાહત કમિશનરની પ્રેસ કૉન્ફરન્સ ભાવ વધવાનું મુખ્ય કારણ વરસાદને કારણે શાકભાજીના પાક ધોવાયો હોવાનું છે. આ કારણે શાકભાજીની આવક ઘટી છે જેથી ભાવ વધ્યો છે. બીજી તરફ જથ્થાબંધ ભાવમાં થોડો વધારો થતાં જ છૂટક બજારમાં વેપારીઓ લૂંટ ચલાવે છે. આ કારણે અંત ગ્રાહક પર બોજ પડે છે.