Parth Patel, Ahmedabad: સોનાના ભાવમાં છેલ્લા ઘણા સમયથી ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. થોડા સમયથી સોના અને ચાંદીના ભાવમાં ક્યારેક ઘટાડો તો ક્યારેક વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ છેલ્લા 2 દિવસથી જ સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. પરંતુ આજે ગુરુવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની લગડીનો 3% જીએસટી સાથેનો ભાવ 61,080 રૂપિયા અને ચાંદીનો 3% જીએસટી સહિતનો લગડીનો ભાવ 71,070 રૂપિયા નોંધાયો છે.
જાણો આજના સોના-ચાંદીના ભાવ
આજે અમદાવાદમાં 24 કેરેટ સોનાની લગડીનો 3% જીએસટી સાથેનો ભાવ 61,080 રૂપિયાની સપાટીએ સ્થિર થયો છે. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 55,990 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 48,863 રૂપિયા છે. જ્યારે ચાંદીનો 3% જીએસટી સહિતનો આજનો લગડીનો ભાવ 71,070 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે.
ગઈકાલનો સોના-ચાંદીનો ભાવ
જ્યારે ગઈકાલની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ સોનાની લગડીનો 3% જીએસટી સાથેનો ભાવ 60,400 રૂપિયાની સપાટીએ સ્થિર થયો હતો. તથા 22 કેરેટ સોનાના ઘરેણાંની કિંમત 55,372 રૂપિયા અને 18 કેરેટ સોનાના ઘરેણાની કિંમત 48,350 રૂપિયા હતી. જ્યારે ચાંદીનો 3% જીએસટી સહિતનો લગડીનો ભાવ 69,937 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો હતો. આજે સોના-ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે.
આગામી સમયમાં વ્યાજના દરની ગતિ ધીમી થતા જ સોનાની કિંમત સ્થિર થઈ શકે છે
આજે 23 માર્ચે સોના-ચાંદીનું માર્કેટ ખુલતાની સાથે જ સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આમ અત્યારે સોનાનો ભાવ 61,080 રૂપિયા પર પહોંચી ગયો છે. વાત કરવામાં આવે ચાંદીની તો ચાંદીના ભાવમાં પણ બહોળો ઉછાળો જોવા મળી રહ્યો છે. જેમાં અત્યારે ચાંદીનો ભાવ 71,070 રૂપિયા પર પહોંચી ગયો છે. આમ સોના અને ચાંદીનું માર્કેટ હાલ નરમ-ગરમ જોવા મળી રહ્યું છે.
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર યુએસ ફેડરલ રિઝર્વના અધિકારીઓએ સંકેત આપ્યો છે કે તેઓ આગામી સમયમાં વ્યાજના દરમાં વધારો કરવાની ગતિ ધીમી કરવાના છે. જેના પરિણામે સોનાની કિંમત સ્થિર થઈ શકે છે. સોનાના ભાવ વધતા રોકાણકારો ફરી પાછા મુંજવણમાં મુકાઈ ગયા છે.