Home /News /ahmedabad /અમદાવાદ : 'અમારી સોસાયટીમાં કોરોના પોઝિટિવ હોવા છતાં પાનમાવા વેચાય છે', 1.26 લાખનો માલ ઝડપાયો

અમદાવાદ : 'અમારી સોસાયટીમાં કોરોના પોઝિટિવ હોવા છતાં પાનમાવા વેચાય છે', 1.26 લાખનો માલ ઝડપાયો

પ્રતિકાત્મક તસવીર

પાનમાવાના અપલખણાં બંધાણીઓ અને વેપારીઓ સુધરવાનું નામ નથી લેતા, અમદાવાદમાં પ્રોવિઝનની દુકાનમાં પોલીસના દરોડા

અમદાવાદ : લોકડાઉનમાં જો સૌથી વધુ તકલીફ થઈ રહી હોય તો તે પાન મસાલા અને સિગારેટના બંધાણીઓને થઈ રહી છે. પાન મસાલા મેળવવા માટે તેઓ નતનવી યુક્તિ પ્રયુક્તિ અપનાવી રહ્યા છે તેમ છતાં કેટલાક લોકો પોલીસ ના હાથે ઝડપાઈ જાય છે. તો બીજી તરફ કેટલાક વેપારી ઓ છે કે જે ગરજ નો લાભ ઉઠાવી ને બમણા ભાવ વસૂલી રહ્યા છે. ગઇકાલે જીવરાજ પાર્ક માં એક વ્યક્તિ પ્રોહિજન સ્ટોર ની આડ માં પણ મસાલા નું વેચાણ કરી રહ્યો હોવાની જાણ થતાં જ વેજલપુર પોલીસ એ ત્રણ આરોપી ઓને પકડી 1 લાખ 26 હાજર નો મુદ્દામાલ ઝડપી પાડયો છે.

પોલીસ કંટ્રોલ રૂમ માં એક જાગૃત નાગરિકે  ફોન કરી ને જાણ કરી હતી કે તેમની સોસાયટી માં કોરોના પોઝિટિવ કેસ હોવા છતાં પાન મસાલા નું વેચાણ થઈ રહ્યું છે. જેથી પોલીસ એ મોરારજી પાર્ક નજીક આવેલ આશિષ પ્રોવિઝન સ્ટોર માં તપાસ કરી હતી.

આ પણ વાંચો :   Remdesivir દવાએ કોરોનાના ભુક્કા બોલાવ્યા, વૈજ્ઞાનિકોના મતે Covid-19માં અસરકારક

જેમાં પોલીસ ને પાન મસાલા અને સિગારેટ નો 1 લાખ 26 હાજર નો મુદ્દામાલ મળી આવ્યો હતો. અનિલ પટેલ નામનો વ્યક્તિ પ્રોવિઝન સ્ટોર ની આગળ પાન મસાલા નું વેચાણ કરતો હતો. જોકે પોલીસે આ સાથે અન્ય બે વ્યક્તિ ઓને પણ ઝડપી લીધા છે. પોલીસ એ આરોપી ઓ વિરુદ્ધ માં જાહેરનામા નો ભંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઍક્ટ મુજબ કાર્યવાહી કરી છે.


" isDesktop="true" id="978618" >
First published:

Tags: Lockdown, Tobacco, અમદાવાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો