Home /News /ahmedabad /નર્મદા પરિક્રમા કરવી છે? જાણો કઇ રીતે અને કેટલા દિવસમાં પુરી થશે યાત્રા

નર્મદા પરિક્રમા કરવી છે? જાણો કઇ રીતે અને કેટલા દિવસમાં પુરી થશે યાત્રા

જબલપુરથી – યાત્રાની શરૂઆત થાય છે.

મધ્યપ્રદેશના અમરકંટકમાં ઉદ્દભવતી, નર્મદા ગુજરાતના ભરૂચથી 30 કિમી પશ્ચિમમાં ખંભાતના અખાતમાંથી અરબી સમુદ્રમાં વહેતા પહેલા 1,312 કિમી સુધી પશ્ચિમ તરફ વહે છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ : મધ્યપ્રદેશ ટૂરિઝમ વિભાગ દ્વારા આધ્યાત્મિક પ્રવાસ અંતર્ગત શુક્રવારે જબલપુરથી નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશની જીવાદોરી ગણાતી માતા નર્મદા નદીની પરિક્રમા સર્વસુવિધાયુક્ત વાહનો દ્વારા કરાવવામાં આવશે. 15 દિવસ અને 14 રાતનું આ ટૂર પેકેજની સુવિધા જબલપુર, ઈન્દોર અને ભોપાલથી મેળવી શકાય છે. એમપી સ્ટેટ ટુરીઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના પ્રમુખ વિનોદ ગોંટિયા દ્વારા આદરણીય સંતો અને માનનીય જનપ્રતિનિધિઓની વિશેષ ઉપસ્થિતિમાં સુસજ્જ વાહનો સાથે નર્મદા પરિક્રમા સુવિધાનું ઉદ્ધાટન એમપીટી કલચુરી રેસીડેન્સી, જબલપુર ખાતે શુક્રવારે સવારે કરવામાં આવ્યું હતું. નિગમના મેનેજિંગ ડિરેક્ટર એમ. વિશ્વનાથને જણાવ્યું હતું કે, “યાત્રામાં ભાગ લેવા માંગતા યાત્રાળુઓ પ્રાદેશિક કાર્યાલયમાંથી પરિક્રમા અંગેની માહિતી મેળવી શકે છે. એમપી ટૂરિઝમની તમામ પ્રાદેશિક કચેરીઓ અને માર્કેટિંગ ઓફિસમાંથી પણ બુકિંગ કરાવી શકાય છે.

પ્રવાસની વિગતો


જબલપુરથી – યાત્રાની શરૂઆત અમરકંટક, મંડલા, કારેલી, હોશંગાબાદ, હાંડિયા, ઓમકારેશ્વર, બરવાની, રાજપીપળા, કાઠપોર, મીઠી તલાઈ, વડોદરા, ઝાબુઆ, મહેશ્વર, ઉજ્જૈન, સલ્કાનપુર, બડની, જબલપુર થઈને અમરકંટક ખાતે સમાપ્ત થશે.ઈન્દોર/ભોપાલથી – યાત્રાની શરૂઆત ઉજ્જૈન, ઓમકારેશ્વર, બરવાની, રાજપીપળા, કાઠપોર, મીઠી તલાઈ, ઝાબુઆ, માંડુ, મહેશ્વર, સાલ્કનપુર, ઝાબુઆ, અમરકંટક, મંડલા, કારેલી, હોશંગાબાદ, ઓમકારેશ્વર થઈને ઈન્દોર/ભોપાલ ખાતે સમાપ્ત થશે.

આ પણ વાંચો: દીકરીને મારનાર પિતા અને કાકાનો કેસ તલાલાનો કોઇ વકીલ નહીં લડે

મધ્યપ્રદેશના અમરકંટકમાં ઉદ્દભવતી, નર્મદા ગુજરાતના ભરૂચથી 30 કિમી પશ્ચિમમાં ખંભાતના અખાતમાંથી અરબી સમુદ્રમાં વહેતા પહેલા 1,312 કિમી સુધી પશ્ચિમ તરફ વહે છે.

યાત્રા માર્ગ પરના કેટલાક લોકપ્રિય હોલ્ટ્સમાં ઉજ્જૈન, મહેશ્વર, ઓમકારેશ્વર અને ત્રિવેણી સંગમના મંદિરોનો સમાવેશ થાય છે; ખરગોનનું નવગ્રહ મંદિર; શાહદા ખાતે દક્ષિણ કાશી; ભરૂચમાં અંકલેશ્વર તીર્થ, મીઠી તલાઈ અને નારેશ્વર ધામ; ભોપાલમાં લક્ષ્મી નારાયણ મંદિર; અને જબલપુરમાં શંકરાચાર્ય, ત્રિપુરા સુંદરી, ગ્વારી ઘાટ અને ભેડા ઘાટના મંદિરો; અમરકંટકમાં પ્રખ્યાત નર્મદાકુંડ અને માઈ કી બગીયા (51 શક્તિપીઠોમાંથી એક); અને લાખનાદોનમાં જ્યોતેશ્વર મહાદેવ મંદિર.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત