દીપિકા ખુમાણ, અમદાવાદ : ભારત અંતરિક્ષમાં ઈતિહાસ રચવાની નજીક હતું ત્યારે ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમી ઉપર ચંદ્રયાનનો ઈસરો સાથે સંપર્ક તૂટી ગયો હતો. ચંદ્રયાન માટે ઇસરોના વૈજ્ઞાનિકો આજકાલથી નહીં છેલ્લાં 11 વર્ષથી ચંદ્ર પરના અસ્તિત્વને સમજવા અને જાણવા માટે મહેનત કરી રહ્યા હતા. અમે તમને જણાવી રહ્યા છીએ કે ક્યારે શું ઘટના બની હતી.
18 સપ્ટેમ્બર 2008 તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતાવાળી કેબિનેટે ચંદ્રયાન-2 મિશનની મંજૂરી આપી હતી. જે પછીના વર્ષનું મિશન પ્લાનિંગ અને તેની તૈયારીમાં નીકળી લાગ્યા હતા. મિશનમાં દેશી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
15 જુલાઈ 2019 આશરે 11 વર્ષના અંતરાલ પછી ચંદ્રયાન-2 આ દિવસે લોન્ચિંગ માટે તૈયાર થયું હતું. સમગ્ર દેશની નજરો કાઉનડાઉન પર હતી. જોકે અંતમાં ટેકનિકલ ખામીના કારણે ચંદ્રયાન-2 મિશનને ટાળવું પડ્યું.
22 ઓગસ્ટ 2019 ઈસરોએ ચંદ્રયાન-2થી લેવાયેલી તસવીરોને રીલિઝ કરી.
3 સપ્ટેમ્બર 2019 માત્ર ચાર જ સેકન્ડમાં ચંદ્રયાન-2 ચંદ્રની પહેલી કક્ષાને પાર કરી ગયું.
4 સપ્ટેમ્બર 2019 સેકન્ડમાં ચંદ્રયાન-2 ચંદ્રની બીજી કક્ષાને પાર કરી ગયું.
7 સપ્ટેમ્બર 2019 સાત સપ્ટેમ્બર એ જ તારીખ હતી. જેની સમગ્ર દેશ રાહ જોઈ રહ્યું હતું. મોડી રાતે આશરે 1.30થી 2.30 વચ્ચે ચંદ્રયાન ચંદ્રની સપાટી સુધી પહોંચવા માટે માત્ર 2 કિલોમીટર દૂર હતું તે સમયે અચાનક સંપર્ક તૂટી ગયો હતો.