અમદાવાદ : શહેરના વાડજ પોલીસ (Vadaj Police Station) સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર જે.એ.રાઠવા (J A Rathva)ની વિશેષ શાખામાં બદલી થતાં પોલીસ કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે સોશિયલ મીડિયા (Social Media)માં એક લેટર પણ વાયરલ થયો છે. PIની બદલીને લઈને કટાક્ષ કરતો આ લેટર ડી.વી સ્વામી મહારાજ કલોલ ગાંધીનગરને સંબોધીને લખવામાં આવ્યો છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, "અમે એલ. આર. જે તે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવીએ છીએ. અમારું નિવાસ્થાન નોકરીના સ્થળેથી ઘણું દૂર થાય છે. આ કારણે આવવા અને જવામાં તકલીફ પડે છે. નોકરીમાં સમયસર પહોંચતા ન હોય અમોની બદલી અમારા રહેણાકના નજીકના પોલીસ સ્ટેશન ખાતે કરી આપવા માટે આપ સ્વામીને વિનંતી."
પત્રમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, "આપ સ્વામીશ્રીની ગાડી રોકતા તાત્કાલિક બદલી કરાવી આપો છો. આથી જ આપ હવે ક્યાંથી પસાર થવાના હોય અમને જણાવશો. આપની ગાડી અમે રોકીએ એટલે અમારી બદલી થઈ શકે."
સાથે આ લેટરમાં છેલ્લે છેલ્લે નોંધ સાથે ડિસિપ્લિનમાં બંધાયેલ એલ.આર. તેવો પણ ઉલ્લેખ છે. બીજી તરફ અમદાવાદમાં મોટાભાગના પોલીસકર્મીએ પોતાના વોટ્સએપ ડીપીમાં પીઆઇનો ફોટો રાખી તેમને સમર્થન જાહેર કર્યું છે.
વીડિયોમાં જુઓ : વાવના ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા
" isDesktop="true" id="996848" >
પીઆઈ રાઠવાએ શું કર્યું હતું?
વાડજ પીઆઈ જે.એ.રાઠવાએ કર્ફ્યૂ સમયમાં પસાર થતી સંતની ગાડી રોકી અને કાર્યવાહી કરી હતી. જોકે, ધારાસભ્યોના ફોન આવતાં જે તે લોકોને ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી દંડ લઈ જવા દેવામાં આવ્યા હતા. આ મામલો પૂરો થયા બાદ તેઓની સ્પેશ્યિલ બ્રાન્ચમાં બદલી કરી દેવામાં આવી હતી.