Home /News /ahmedabad /Gujarat Weather Update: રાજ્યમાં હાલ પ્રી-મોન્સૂન એક્ટિવિટી નહીં, 1 જૂનથી તાપમાનમાં સામાન્ય વધારો નોંધાશે

Gujarat Weather Update: રાજ્યમાં હાલ પ્રી-મોન્સૂન એક્ટિવિટી નહીં, 1 જૂનથી તાપમાનમાં સામાન્ય વધારો નોંધાશે

Gujarat Weather Update: દક્ષિણ પશ્ચિમ ચોમાસા મામલે હવામાન વિભાગે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, "કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. ચોમાસાને કેરળથી કર્ણાટક પહોંચતા ચાર દિવસ લાગશે. કર્ણાટક બાદ ચોમાસું મહારાષ્ટ્ર પહોંચે ત્યારબાદ ગુજરાતમાં પ્રવેશ અંગે ચોક્કસ માહિતી આપી શકાશે."

Gujarat Weather Update: દક્ષિણ પશ્ચિમ ચોમાસા મામલે હવામાન વિભાગે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, "કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. ચોમાસાને કેરળથી કર્ણાટક પહોંચતા ચાર દિવસ લાગશે. કર્ણાટક બાદ ચોમાસું મહારાષ્ટ્ર પહોંચે ત્યારબાદ ગુજરાતમાં પ્રવેશ અંગે ચોક્કસ માહિતી આપી શકાશે."

વધુ જુઓ ...
ગાંધીનગર: કેરળમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન (Kerala monsoon 2022) થઈ ગયું છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસાના આગમન (Monsoon 2022) બાદ ચાર દિવસ પછી કર્ણાટકમાં ચોમાસાનું આગમન થતું હોય છે. ત્યારબાદ મહારાષ્ટ્ર (Maharashtra Monsoon) અને ત્યાંથી ચોમાસું આગળ વધીને ગુજરાતમાં પ્રવેશ કરતું હોય છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. આગામી બે દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફરક નહીં જોવા મળે. આ ઉપરાંત પહેલી જૂનથી તાપસમાનમાં સામાન્ય વધારો થઈ શકે છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસા મામલે હવામાન વિભાગે (Meteorological Department) સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, "કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. ચોમાસાને કેરળથી કર્ણાટક પહોંચતા ચાર દિવસ લાગશે. કર્ણાટક બાદ ચોમાસું મહારાષ્ટ્ર પહોંચે ત્યારબાદ ગુજરાતમાં પ્રવેશ અંગે ચોક્કસ માહિતી આપી શકાશે. હાલ રાજ્યમાં પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. હાલ રાજ્ય પર કોઈ પણ પ્રકારની વરસાદી સિસ્ટમ સક્રિય નથી. આ ઉપરાંત રાજ્યમાં હાલ પ્રી-મોન્સૂન એક્ટિવિટી પણ નહીં જોવા મળે."

ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે?


કેરળમાં આ વર્ષે 29મી મેના રોજ નૈઋત્યના ચોમાસા (Monsoon 2022)નું આગમન થઈ ગયું છે. સામાન્ય રીતે કેરળમાં વરસાદ (Kerla Rain) બાદ મુંબઈ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાત (South Gujarat)માં વરસાદનું આગમન થતું હોય છે. આ વખતે હવામાન વિભાગે (Meteorological department) દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની આશા વ્યક્ત કરી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને આગાહી કરી છે. તેમના કહેવા પ્રમાણે ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે તે રોહિણી નક્ષત્ર (Rohini Nakshatra) પરથી ખબર પડશે.

આ પણ વાંચો: જમીન અને પ્રાણીઓને બચાવવાં જરૂરી: સદ્‌ગુરુ જગ્ગી વાસુદેવ

અંબાલાલ પટેલની આગાહી


અંબાલાલ પટેલે (Ambalal Patel on monsoon 2022) આગાહી કરી છે કે, "આ વર્ષે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડશે. મુંબઈમાં 10મી જૂન સુધી ચોમાસાનું આગમન થઈ જશે. બીજી તરફ 15 જૂન સુધીમાં સુરતની આસપાસ ચોમાસાનું આગમન થઈ જશે. 20મી જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. સામાન્ય રીતે રોહિણી નક્ષત્ર વરસાદ અંગે સૂચન કરતું હોય છે. આ વર્ષે ચોમાસું કેવું રહેશે તે રોહિણી નક્ષત્ર પરથી ખબર પડશે."


ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં પડેલો વરસાદ


ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષના વરસાદના ડેટા તપાસીએ તો પાંચમાંથી ત્રણ વર્ષ દરમિયાન રાજ્યમાં સરેરાશથી વધારે વરસાદ પડ્યો છે. જ્યારે બે વર્ષ સરેરાશથી ઓછો વરસાદ પડ્યો છે.
વર્ષ  વર્ષ   સરેરાશ વરસાદ
201735.77112.18%
201825.176.73%
201946.95146.17%
202044.77136.85%
202132.5698.48%
First published:

Tags: IMD, Monsoon 2022, ગુજરાત, ચોમાસુ, વરસાદ