Home /News /ahmedabad /Gujarat weather forecast: ગુજરાતમાં આ તારીખથી વરસાદનું જોર ઘટશે, બે દિવસ આ વિસ્તારોમાં પડશે સામાન્ય વરસાદ
Gujarat weather forecast: ગુજરાતમાં આ તારીખથી વરસાદનું જોર ઘટશે, બે દિવસ આ વિસ્તારોમાં પડશે સામાન્ય વરસાદ
અમદાવાદમાં પણ ત્રણ દિવસ છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતા છે.
Gujarat Rain Update: હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 25 જુલાઈના રોજ 9 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા તથા મધ્ય ગુજરાતના ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લા સામેલ છે
અમદાવાદ : રાજ્યમાં હાલ વરસાદી (Gujarat monsoon 2022) માહોલ છવાયો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી (Gujarat weather forecast) પ્રમાણે, રાજ્યમાં ત્રણ દિવસ અનેક જિલ્લાઓમાં હળવોથી સામાન્ય વરસાદ વરસશે. જે બાદ વરસાદનું પ્રમાણ ઘટી શકે છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ વરસી શકે
વરસાદ અંગે હવામાન વિભાગના ડો. મનોરમા મોહન્તીએ વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં હળવોથી સામાન્ય વરસાદ પડશે અને એક બે જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે એકાદ જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે. જે બાદ આ વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ વરસાની શક્યતા છે. આ સાથે અમદાવાદમાં પણ ત્રણ દિવસ છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યું કે, 27મી જુલાઇ પછી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટશે.
અમદાવાદમાં કેવો રહેશે વરસાદ?
અમદાવાદમાં વરસાદ અંગે ડો. મનોરમા મોહન્તીએ જણાવ્યુ કે, અમદાવાદમાં 25થી 27 તારીખ સુધી હળવોથી સામાન્ય વરસાદ વરસશે. 27મી જુલાઇ બાદ વરસાદનું પ્રમાણ ઓછું થશે. ગુજરાતમાં અત્યારસુધીમાં 509 મિલિમીટર વરસાદ થયો છે. રાજ્યમાં 62 ટકા વરસાદ થયો છે.
હવામાન વિભાગની આગાહીના પગલે કાંકરેજ મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી દ્વારા એક પરીપત્ર જાહેર કરવામા આવ્યો છે, જે અનુસાર, 23 જુલાઇથી 28 જુલાઇ દરમિયાન લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે ત્યાં જ નદીના પટમાં તથા પાણીના ચાલુ પ્રવાહમાં પ્રવેશવાનું સાહસ ન કરવા સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 25 જુલાઈના રોજ 9 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા તથા મધ્ય ગુજરાતના ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લા સામેલ છે. વરસાદ આજે 25 જુલાઈએ સૌરાષ્ટ્રના દરિયાકિનારે 40થી લઈને 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની સંભાવના છે. આથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે.