17મી ઓગસ્ટ: આ દિવસે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં અતિભારે વરસાદની આગાહી છે. દેવભૂમિ દ્વારકા, મોરબી, રાજકોટ, જૂનાગઢ, મહેસાણ, ભરૂચ અને સુરત વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમરેલી, સાબરકાંઠા, આણંદ, વડોદરા, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.
ગાંધીનગર: ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે (Meteorological department) આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન બનાસકાંઠા, કચ્છ અને પાટણ જિલ્લાના અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ (Extremely heavy rain forecast) પડી શકે છે. અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતી (Dr Manorama Mohanty)ના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં બે દિવસ વરસાદ રહેશે. ગુજરાત રિઝનમાં આવતીકાલ એટલે કે 18મી ઓગસ્ટથી વરસાદનું જોર ઘડી જશે. સૌરાષ્ટ્રમાં 19મી ઓગસ્ટથી વરસાદનું જોર ઘટશે. આગામી 24 કલાકમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.
17મી ઓગસ્ટ: આ દિવસે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં અતિભારે વરસાદની આગાહી છે. દેવભૂમિ દ્વારકા, મોરબી, રાજકોટ, જૂનાગઢ, મહેસાણ, ભરૂચ અને સુરત વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમરેલી, સાબરકાંઠા, આણંદ, વડોદરા, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.
18મી ઓગસ્ટ: આ તારીખથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે. આ દિવસ કચ્છમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. 18મી ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે.
ગુજરાતમાં પડેલો વરસાદ
ગુજરાતમાં અત્યારસુધી પડેલા વરસાદની વિગત જોઈએ તો સરેરાશ 93.32 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં 143.22 ટકા, ઉત્તર ગુજરાતમાં 90.49 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 77.78 ટકા, સૌરાષ્ટ્રમાં 84.44 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 104.42 ટકા વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વિગત જોઈએ તો 246 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં પોણા આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 27 તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 81 તાલુકા એવા છે જ્યાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 134 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.
ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું
મહેસાણાના ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પણી છોડાયું છે. જેના પગલે અમદાવાદ શહેર અને ધોળકા તાલુકાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના જમાલપુર, રાયખડ, કોચરબ, સુભાષ બ્રિજના વિસ્તારને એલર્ટ કરાયા છે.
રાજ્યના કુલ 207 જળાશયો 76 ટકાથી વધુ જળસંગ્રહ
રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના કુલ 207 જળાશયોમાં તા. 17 ઓગસ્ટ, 2022 સુધીમાં 76.69 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૮૬,૦૫૯ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૫.૬૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલા અહેવાલો મુજબ સરદાર સરોવર (Sardar Sarovar) સિવાય રાજ્યના 206 જળાશયોમાં ૩,૯૮,૨૪૭ એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના ૭૧.૩૫ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
આ ઉપરાંત રાજ્યમાં ૪૯ જળાશયોમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે સરદાર સરોવર સહીત 63 જળાશયોમાં ૭૦થી ૧૦૦ ટકા, ૨૭ જળાશયોમાં ૫૦થી ૭૦ ટકા, ૩૬ જળાશયોમાં ૨૫થી ૫૦ ટકા અને ૩૧ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો, મધ્ય ગુજરાતના ૧૭, દક્ષિણ ગુજરાતના ૧૩, કચ્છના ૨૦ અને સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.
કેટલા જળાશયોમાં કેટલું પાણી
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ૪૮ જળાશયો ૧૦૦ ટકાથી વધુ જ્યારે ૩૦ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. ૧૬ જળાશયો ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ પર તથા ૧૭ જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.