Home /News /ahmedabad /ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર, નવા 58 કેસ નોંધાયા; સૌથી વધુ અમદાવાદમાં

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર, નવા 58 કેસ નોંધાયા; સૌથી વધુ અમદાવાદમાં

ફાઇલ તસવીર

કોરોના વાયરસે ફરી એકવાર માથું ઉંચક્યું છે. ઘણાં દિવસો બાદ કોરોનાએ અડધી સદી ફટકારી છે. આજે ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 50થી વધુ કેસ નોંધાયા છે.

અમદાવાદઃ કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે ફરી એકવાર કોરોનાના આંકડાએ અડઘી સદી વટાવી છે. આજે ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 58 નવા કેસ નોંધાયા છે. ત્યારે ગુજરાતીઓએ સાવધાન રહેવાની જરૂર છે. કોઈપણ તકલીફ હોય તો ઝડપથી તેની સારવાર કરાવવી જોઈએ.

કોરોના કેસની વિગતવાર માહિતી



  • અમદાવાદ કોર્પોરેશન - 30

  • રાજકોટ કોર્પોરેશન - 4

  • ભાવનગર કોર્પોરેશન - 4

  • સુરત કોર્પોરેશન - 2

  • વડોદરા કોર્પોરેશન - 4

  • અમરેલી - 3

  • મહેસાણા - 2

  • સુરત - 2

  • અમદાવાદ -1

  • ભાવનગર - 1

  • ગાંધીનગર કોર્પોરેશન - 1

  • ગીર-સોમનાથ - 1

  • પોરબંદર - 1

  • રાજકોટ -1

  • સાબરકાંઠા - 1


આ પણ વાંચોઃ બોર્ડની પરીક્ષામાં માતૃભાષાના પેપરમાં જ છબરડો!

23 દર્દીઓને ડિસ્ચાર્જ કર્યા


આમ, સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 58 કેસ નોંધાયા છે. તો બીજી તરફ, 23 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 268 એક્ટિવ કેસ છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11,047 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.


11 માર્ચે પણ વધુ કેસ નોંધાયા હતા


ઉલ્લેખનીય છે કે, ગત 11મી માર્ચે પણ કોરોના વાયરસના 51 કેસ નોંધાયા હતા. ત્યારે અમદાવાદમાં 30થી વધુ કેસ નોંધાયા હતા.
First published:

Tags: Coronavirus cases in Gujarat, Coronavirus in Gujarat