અમદાવાદઃ કોરોના વાયરસે ફરી એકવાર માથું ઉંચક્યું છે. ઘણાં દિવસો બાદ કોરોનાએ અડધી સદી ફટકારી છે. આજે ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 51 કેસ નોંધાયા છે. ત્યારે ફરી એકવાર ગુજરાતવાસીઓએ સાવચેતી રાખવાની જરૂર છે.
કોરોના કેસની વિગતવાર માહિતી
અમદાવાદ કોર્પોરેશન - 32
રાજકોટ - 6
ભાવનગર કોર્પોરેશન - 3
સુરત કોર્પોરેશન - 3
સાબરકાંઠા - 2
ગીર-સોમનાથ - 1
પોરબંદર - 1
સુરત - 1
સુરેન્દ્રનગર - 1
વડોદરા કોર્પોરેશન - 1
21 દર્દીઓને ડિસ્ચાર્જ કર્યા
આમ, સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 51 કેસ નોંધાયા છે. તો બીજી તરફ, 21 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 181 એક્ટિવ કેસ છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11,047 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.