Home /News /ahmedabad /કોરોના વાયરસના 402 નવા કેસ નોંધાયા, અમદાવાદ-કચ્છમાં બે દર્દીના મોત નીપજ્યાં
કોરોના વાયરસના 402 નવા કેસ નોંધાયા, અમદાવાદ-કચ્છમાં બે દર્દીના મોત નીપજ્યાં
ફાઇલ તસવીર
Gujarat Coronavirus Update: ગુજરાતમાં કોરોનાના કેસના આંકડા સતત વધી રહ્યા છે. ત્યારે આજે કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 4 દિવસમાં 3 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.
અમદાવાદઃ 25મી માર્ચે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 402 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 219 કેસ નોંધાયા છે. જ્યારે 162 દર્દીઓને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં એક દર્દી અને કચ્છમાં એક દર્દીનું મોત નીપજ્યું છે. છેલ્લા 4 દિવસમાં 3 દર્દીના કોરોનાને કારણે મોત નીપજ્યા છે. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જો કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ. મહત્ત્વનું છે કે, બે દિવસમાં જ 153 ટકા નવા કોરોનાના કેસમાં વધારો થયો છે.
ક્યાં કેટલા નવા કેસ નોંધાયા?
અમદાવાદ કોર્પોરેશન - 219
રાજકોટ - 28
સુરત કોર્પોરેશન - 25
મોરબી - 18
અમરેલી - 15
મહેસાણા - 12
રાજકોટ - 12
વડોદરા કોર્પોરેશન - 12
વડોદરા - 11
સાબરકાંઠા - 9
સુરત - 7
ગાંધીનગર કોર્પોરેશ - 6
વલસાડ - 5
ભરૂચ - 3
જામનગર કોર્પોરેશન - 3
નવસારી - 3
આણંદ - 2
ભાવનગર કોર્પોરેશન - 2
ગાંધીનગર - 2
અમદાવાદ - 1
બનાસકાંઠા - 1
ભાવનગર - 1
દાહોદ - 1
ગીર-સોમનાથ - 1
કચ્છ - 1
પંચમહાલ - 1
પોરબંદર - 1
બે દર્દીઓના મોત નીપજ્યાં
આમ, સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 402 કેસ નોંધાયા છે. તો બીજી તરફ, 162 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 1529 એક્ટિવ કેસ છે. જ્યારે બે દર્દીનાં મોત નીપજ્યા છે. આ ઉપરાંત 7 જેટલા દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 1522 દર્દીની તબિયત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11,052 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
ફરીથી કોરોનાના કેસમાં ઉછાળો
ઉલ્લેખનીય છે કે, ગત 11મી માર્ચે પણ કોરોના વાયરસના 51 કેસ નોંધાયા હતા. 14મી માર્ચે 58 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 15મી માર્ચે 91 કેસ નોંધાયા હતા. 16મી માર્ચે 119 કેસ અને 17મી માર્ચે 121 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 18મી માર્ચે 179 કેસ તો 19મી માર્ચે 133 કેસ નોંધાયા હતા. 20મી માર્ચે 118 નવા કેસ નોંધાયા હતા અને 21મી માર્ચે 176 કેસ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, 22મી માર્ચે કોરોનાના કેસે બેવડી સદી ફટકારી હતી અને ગુજરાતમાં 247 કેસ નોંધાયા હતા.