Home /News /ahmedabad /Gujarat Corona Update: ગુજરાતમાં કોરોના વાયરસના નવા 372 કેસ નોંધાયા, 9 દર્દી વેન્ટિલેટર પર
Gujarat Corona Update: ગુજરાતમાં કોરોના વાયરસના નવા 372 કેસ નોંધાયા, 9 દર્દી વેન્ટિલેટર પર
ફાઇલ તસવીર
Gujarat Coronavirus Update: ગુજરાતમાં કોરોનાના કેસના આંકડા સતત વધી રહ્યા છે. ત્યારે આજે કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 7 દિવસમાં 6 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.
અમદાવાદઃ 1લી એપ્રિલે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 372 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 128 કેસ નોંધાયા છે. જ્યારે 388 દર્દીઓને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એકપણ દર્દીનું મોત થયું નથી. છેલ્લા અઠવાડિયે દર્દીના કોરોનાને કારણે સાત દર્દીના મોત નીપજ્યાં છે. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જો કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ.
ક્યાં કેટલા કેસ નોંધાયા?
અમદાવાદ - 3
અમદાવાદ કોર્પોરેશન - 125
અમરેલી - 8
આણંદ - 7
બનાસકાંઠા - 14
ભરૂચ - 14
ભાવનગર કોર્પોરેશન - 6
બોટાદ - 1
ગાંધીનગર - 5
ગાંધીનગર કોર્પોરેશન - 3
જામનગર કોર્પોરેશન - 5
ખેડા - 2
કચ્છ - 8
મહેસાણા - 27
મોરબી - 29
નર્મદા - 1
નવસારી - 1
પંચમહાલ - 1
પાટણ - 5
પોરબંદર - 2
રાજકોટ - 9
રાજકોટ કોર્પોરેશન - 10
સાબરકાંઠા - 6
સુરત - 5
સુરત કોર્પોરેશન - 30
સુરેન્દ્રનગર - 6
વડોદરા - 11
વડોદરા કોર્પોરેશન - 23
વલસાડ - 5
388 દર્દીઓને ડિસ્ચાર્જ કર્યા
આમ, સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 372 કેસ નોંધાયા છે. તો બીજી તરફ, 388 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 2294 એક્ટિવ કેસ છે. આ ઉપરાંત જેટલા 9 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 2285 દર્દીની તબિયત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11055 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
ફરીથી કોરોનાના કેસમાં ઉછાળો
ઉલ્લેખનીય છે કે, ગત 11મી માર્ચે પણ કોરોના વાયરસના 51 કેસ નોંધાયા હતા. 14મી માર્ચે 58 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 15મી માર્ચે 91 કેસ નોંધાયા હતા. 16મી માર્ચે 119 કેસ અને 17મી માર્ચે 121 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 18મી માર્ચે 179 કેસ તો 19મી માર્ચે 133 કેસ નોંધાયા હતા. 20મી માર્ચે 118 નવા કેસ નોંધાયા હતા અને 21મી માર્ચે 176 કેસ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, 22મી માર્ચે કોરોનાના કેસે બેવડી સદી ફટકારી હતી અને ગુજરાતમાં 247 કેસ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે 401 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત છેલ્લા 2 દિવસથી 300થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.