Home /News /ahmedabad /ગુજરાતમાં કોરોના વાયરસના નવા 301 કેસ, એક્ટિવ કેસ 1800થી વધુ; આજે એકપણ મોત નહીં
ગુજરાતમાં કોરોના વાયરસના નવા 301 કેસ, એક્ટિવ કેસ 1800થી વધુ; આજે એકપણ મોત નહીં
ફાઇલ તસવીર
Gujarat Coronavirus Update: ગુજરાતમાં કોરોનાના કેસના આંકડા સતત વધી રહ્યા છે. ત્યારે આજે કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 5 દિવસમાં 5 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના નવા 301 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 114 કેસ નોંધાયા છે. જ્યારે 149 દર્દીઓને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આજે એકપણ દર્દીનું મોત થયું નથી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 6 દિવસમાં 6 દર્દીના કોરોનાને કારણે મોત નીપજ્યા છે. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જો કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ.
ક્યાં કેટલા કેસ નોંધાયા?
અમદાવાદ કોર્પોરેશન - 114
મોરબી - 27
સુરત કોર્પોરેશન - 27
વડોદરા - 26
રાજકોટ કોર્પોરેશન - 19
ગાંધીનગર - 18
વડોદરા કોર્પોરેશન - 16
અમરેલી - 12
બનાસકાંઠા - 6
ભરૂચ - 6
રાજકોટ - 6
ગાંધીનગર કોર્પોરેશન - 4
મહેસાણા - 4
સુરત - 4
સુરેન્દ્રનગર - 3
કચ્છ - 2
પોરબંદર - 2
અમદાવાદ - 1
આણંદ - 1
ભાવનગર - 1
સાબરકાંઠા - 1
વલસાડ - 1
149 દર્દીઓને ડિસ્ચાર્જ કર્યા
આમ, સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના 301 કુલ કેસ નોંધાયા છે. તો બીજી તરફ, 149 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 1849 એક્ટિવ કેસ છે. આ ઉપરાંત 8 જેટલા દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 1841 દર્દીની તબિયત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11053 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
ફરીથી કોરોનાના કેસમાં ઉછાળો
ઉલ્લેખનીય છે કે, ગત 11મી માર્ચે પણ કોરોના વાયરસના 51 કેસ નોંધાયા હતા. 14મી માર્ચે 58 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 15મી માર્ચે 91 કેસ નોંધાયા હતા. 16મી માર્ચે 119 કેસ અને 17મી માર્ચે 121 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 18મી માર્ચે 179 કેસ તો 19મી માર્ચે 133 કેસ નોંધાયા હતા. 20મી માર્ચે 118 નવા કેસ નોંધાયા હતા અને 21મી માર્ચે 176 કેસ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, 22મી માર્ચે કોરોનાના કેસે બેવડી સદી ફટકારી હતી અને ગુજરાતમાં 247 કેસ નોંધાયા હતા.