Home /News /ahmedabad /કોરોના વાયરસના નવા 247 કેસ નોંધાયા, અમદાવાદમાં 100થી વધુ કેસ; 24 કલાકમાં 140 ટકા કેસ વધ્યાં
કોરોના વાયરસના નવા 247 કેસ નોંધાયા, અમદાવાદમાં 100થી વધુ કેસ; 24 કલાકમાં 140 ટકા કેસ વધ્યાં
ફાઇલ તસવીર
Gujarat Coronavirus Update: ગુજરાતમાં કોરોનાના કેસના આંકડા સતત વધી રહ્યા છે. આજે કોરોનાના કેસ 200ને પાર પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં જ કોરોના વાયરસના 140 ટકા નવા કેસ વધ્યાં છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના નવા 247 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 124 કેસ નોંધાયા છે. જ્યારે 98 દર્દીઓને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મહેસાણામાં એક દર્દીનું મોત નીપજ્યું છે. ગઈકાલે ભરૂચના એક દર્દીનું કોરોનાને કારણે મોત નીપજ્યું હતું. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જો કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ.
આમ, સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 247 કેસ નોંધાયા છે. તો બીજી તરફ, 98 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 1064 એક્ટિવ કેસ છે. જ્યારે એક દર્દીનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત 6 જેટલા દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 1058 દર્દીની તબિયત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11,047 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
ફરીથી કોરોનાના કેસમાં ઉછાળો
ઉલ્લેખનીય છે કે, ગત 11મી માર્ચે પણ કોરોના વાયરસના 51 કેસ નોંધાયા હતા. 14મી માર્ચે 58 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 15મી માર્ચે 91 કેસ નોંધાયા હતા. 16મી માર્ચે 119 કેસ અને 17મી માર્ચે 121 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 18મી માર્ચે 179 કેસ તો 19મી માર્ચે 133 કેસ નોંધાયા હતા. 20મી માર્ચે 118 નવા કેસ નોંધાયા હતા અને 21મી માર્ચે 176 કેસ નોંધાયા હતા.