Home /News /ahmedabad /Gujarat Corona Update: ગુજરાતમાં આજે કોરોના ત્રણ લોકોને ભરખી ગયો, જાણો કયા કેટલા કેસ નોંધાયા

Gujarat Corona Update: ગુજરાતમાં આજે કોરોના ત્રણ લોકોને ભરખી ગયો, જાણો કયા કેટલા કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.93 ટકા નોંધાયો છે.

Gujarat covid-19 case latest update: ગુજરાતમાં કોરોના વાયરસના નવા 258 કેસો નોંધાયા છે. જ્યારે 637 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી (covid-19) સાજા થવાનો દર 98.93 ટકા નોંધાયો છે.

Gujarat corona update: ગુજરાતમાં કોરોના વાયરસના કેસ (coronavirus)માં સતત ઉતારચઢાવ જોવા મળી રહ્યો છે. આજે 20 ઓગસ્ટની સાંજે કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 258 કોરોના કેસ (Gujarat Corona Case) નોંધાયા છે. બીજી તરફ 637 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.93 ટકા નોંધાયો છે. ત્યાં જ આજે કોરોનાથી ત્રણ દર્દીના મોત નિપજ્યા છે.

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 20 ઓગસ્ટ 2022 શનિવારના રોજ રાજ્યમાં નવા 258 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 100ની અંદર આવી ગઇ છે છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10999 પર પહોંચી ગયો છે. આજે રાજ્યમાં કોરાનાથી કુલ ત્રણ દર્દીના મોત નિપજ્યા છે. જેમા અમદાવાદ શહેરમાં 2 અને રાજકોટ શહેરમાં એક દર્દીનું મોત નિપજ્યું છે.

આ પણ વાંચો- ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્વ CM વિજય રૂપાણીનું મહત્ત્વનું નિવેદન

રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 81, વડોદરા કોર્પોરેશન 46, રાજકોટ કોર્પોરેશન 16, સુરત 13, સુરત કોર્પોરેશન 11, ગાંધીનગર કોર્પોરેશન 10, મહેસાણા 10, સાબરકાંઠા 8, ભરૂચ 6, જામનગર કોર્પોરેશન 6, વલસાડ 6, અરવલ્લી 5, નવસારી 5, આણંદ 4, ગાંધીનગર 4, કચ્છ 4, રાજકોટ 3, અમદાવાદ 2, બનાસકાંઠા 2, ભાવનગર કોર્પોરેશન 2, દેવભૂમિ દ્વારકા 2, જૂનાગઢ 2, મોરબી 2, પંચમહાલ 2, વડોદરા 2, અમરેલી 1, દાહોદ 1, ખેડા 1, મહીસાગર 1 કેસ નોંધાયો છે.

આ પણ વાંચો- VIDEO: વડોદરામાં ઢોર બાદ હવે કપીરાજનો આતંક, મંદિરમાં ઘૂસી પૂજારીને ભર્યું બચકું

રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 2553 એક્ટીવ કેસ છે જે પૈકી 25 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 2528 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,53,998 પર પહોંચી ગયો છે. ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 10999 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2,07,422 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 12,09,14,865 લોકોનું રસીકરણ થયું છે.
First published:

Tags: Gujarat corona cases, Gujarat Corona cases Updates, Gujarat Corona Numbers, Gujarat Corona Vaccination