Home /News /ahmedabad /corona Update: કોરોનાની વિદાયવેળાએ 61 નવા કેસ, 21 જિલ્લા-3 મનપામાં નવા કેસ શૂન્ય
corona Update: કોરોનાની વિદાયવેળાએ 61 નવા કેસ, 21 જિલ્લા-3 મનપામાં નવા કેસ શૂન્ય
Gujarat Corona Update: વિશ્વના અનેક દેશો કોરોનાવાયરસની ચોથી લહેરનો સામનો કરી રહ્યા છે (Fourth Wave of Coronavirus) ત્યારે ભારતમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં વેક્સિનેશનની તેજ રફતારના કારણે ત્રીજી લહેર સમાપ્ત થઈ ગઈ છે. જોકે, હજુ ક્યાંક ક્યાંક છૂટાછવાયા નવા કેસો નોંધાતા રહે છે. દરમિયાન આજે 26મી એપ્રિલની સંધ્યાએ રાજ્યમાં કોરોનાવાયરસના 19 (Gujarat corona Cases) નવા કેસ નોંધાયા છે. આ નવા કેસમાં રાજ્યના મહાનગરોમાં જ એકલ દોકલ કેસ નોંધાઈ રહ્યા છે. 18મી એપ્રિલ કરતા કોરોનાના કેસમાં હળવો વધારો છે છતાં એકંદરે સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે.
Gujarat corona Update: ગુજરાતમાં 5 માર્ચ 2022ના રોજ કોરોના વાયરસના નવા કેસની સંખ્યામાં બે આંકડામાં, ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો પણ 1,000ની નીયે
Gujarat corona Update: રાજ્યમાંથી કોરોનાવાયરસની ત્રીજી લહેર વિદાય લઈ રહી છે (Third Wave of Coronavirus). રાજ્યમાં આજે એક માર્ચના રોજ કોરોનાવાયરસના નવા 61 કેસ નોધાયા છે, જેની સામે રાજ્યમાં આજે 186 ર્દીઓ સાજા થયા છે. સતત ઘટતા જતા કેસ વચ્ચે આજે એક પણ દર્દીનું મોત થયું નથી. (Gujarat Corona deaths) રાજ્યમાંથી કોરોના વાયરસની વિદાય થઈ રહી છે અને ગણતરીના દિવસોમાં જ ત્રીજી લહેરનું સમાપન થઈ શકે છે. આજે રાજ્યના 21 જિલ્લા અને 3 મહાનગરોમાં કોરોનાનો શૂન્ય કેસ નોંધાયો છે.
ફ્કત અમદાવાદમાં ડબલ ડિજીટમાં નવા કેસ : આજે નવા કેસમાં અમદાવાદ શહેરમાં જ બે આંકડામાં નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 25, વડોદરા શહેરમાં 09, ડાંગમાં 06, વડોદરા જિલ્લામાં 05, બનાસકાંઠામાં 03, ગાંધીનગર શહેરમાં 02, રાજકોટમાં 02 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લો, આણંદ, અરવલ્લી, ગાંધીનગર, નવસારી, રાજકોટ શહેર, સુરત, સુરત કોર્પોરેશન, તાપી વગેરેમાં 1-1 નવો કેસ નોંધાયો છે. આજે 186 દર્દી સાજા થયા છે.
રાજ્યમાં આજે કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો 984 પર પહોંચી ગયો છે. નવા કેસ 1,000ની નીચે આવી ગયા છે જ્યારે કે 08 દર્દી વેન્ટિલેટર પર છે. આ પૈકીના કુલ 976 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં ડિસ્ચાર્જ થયેલા કુલ દર્દીની સંખ્યા 12,11,273 છે જ્યારે કે મૃત્યુ પામનાર દર્દીની સંખ્યા 10,934 છે.
" isDesktop="true" id="1186006" >
આજનું રસીકરણ
રાજ્યમાં આજે 96289 દર્દીઓને રસી આપવામાં આવી છે જે પૈકીની સૌથી વધુ રસી11,394 વ્યક્તિઓને અમદાવાદ શહેરમાં આપવામાં આવી છે. જ્યારે આણંદમાં 7882 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે જ્યારે કે રાજકોટ શહેરમાં 3026, સુરત શહેરમાં 2545, ખેડામાં 55087,. કચ્છમાં 3087, મોરબીમાં 8016 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે.
રાજ્યમાં કોરનાથી સાજા થયેલા દર્દીઓનો રિકવરી રેટ 99.03 ટકા થયો છે જ્યારે આજે 186 દર્દી સાજા થયા છે આ પૈકીના 98 દર્દીઓ અમદાવાદ,. 13, વડોદરા શહેરમાં રાજકોટ શહેરમાં 10 દર્દીઓ સાજા થયા છે. જ્યારે મહેસાણામાં 07, અને પાટણમાં 5 દર્દી સાજા થયા છે.