Home /News /ahmedabad /Gujarat Corona Update: આજે સુરતમાં કોરોનાનાં સૌથી વધુ કેસ, જાણો રાજ્યમાં કયા કેટલા કેસ નોંધાયા
Gujarat Corona Update: આજે સુરતમાં કોરોનાનાં સૌથી વધુ કેસ, જાણો રાજ્યમાં કયા કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં હાલમાં કોરોનાનાં 1377 એક્ટીવ કેસ છે.
Gujarat covid-19 case latest update: ગુજરાતમાં કોરોના વાયરસના નવા 203 કેસો નોંધાયા છે. જ્યારે 190 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી (covid-19) સાજા થવાનો દર 99.03 ટકા નોંધાયો છે.
Gujarat corona update: ગુજરાતમાં કોરોનાવાયરસના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જે એક રાહતભર્યા સમાચાર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 203 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યાં જ કોરોનાથી આજે 190 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 99.03 ટકાએ પહોંચી ગયો છે.
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 9 સપ્ટેમ્બર 2022 શુક્રવારના રોજ રાજ્યમાં નવા 203 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 46 નોંધાઇ છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 11,018 પર પહોંચી ગયો છે. આજે રાજ્યમાં કોરાનાથી એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી.
રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો સુરત કોર્પોરેશન 54, અમદાવાદ કોર્પોરેશન 46, વડોદરા કોર્પોરેશન 16, રાજકોટ 9, રાજકોટ કોર્પોરેશન 8, સુરત 8, વલસાડ 8, બનાસકાંઠા 7, વડોદરા 7, ભરૂચ 6, પોરબંદર 6, નવસારી 5, ગાંધીનગર કોર્પોરેશન 3, મહેસાણા 3, અમદાવાદ 2, આણંદ 2, દેવભૂમિ દ્વારકા 2, ખેડા 2, કચ્છ 2, પંચમહાલ 2, ભાવનગર 1, ગીર સોમનાથ 1, જામનગર 1, જામનગર કોર્પોરેશન 1, તાપી 1 કેસ નોંધાયો છે.
રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 1377 એક્ટીવ કેસ છે જે પૈકી 5 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 1372 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,59,591 પર પહોંચી ગયો છે. ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 11,018 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,90,669 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 12,47,95,887 લોકોનું રસીકરણ થયું છે.