Home /News /ahmedabad /Gujarat Corona Updates: રાજ્યમાં આજે 31 જિલ્લા-4 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 5.24 લાખનું થયું રસીકરણ
Gujarat Corona Updates: રાજ્યમાં આજે 31 જિલ્લા-4 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 5.24 લાખનું થયું રસીકરણ
રાજ્યમાં નવા કેસની વાત કરવામાં આવે તો આજે અમદાવાદ જિલ્લો,અમરેલી, અરવલ્લી, ભરૂચ, ભાવનગર બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, બોટાજ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જામનગર શહેર, જૂનાગઢ, જૂનાગઢ શહેર, ખેડા, કચ્છ, મહીસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ શહેર જિલ્લો, સાબરકાંઠ, સુરત શહેર જિલ્લો, તાપી, વલસાડમાં કોરોનાનો શૂન્ય કેસ નોંધાયો છે.
Gujarat Covid19 Updates : રાજયમાં આજે ક્યા જિલ્લામાં કેટલા લોકોને રસી મળી, કેટલા નવા કેસ જાણો આજનું કોરોના બૂલેટિન
અમદાવાદ : રાજ્યમાં (Gujarat Coronavirus updates)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 17 કેસ નોંધાયા છે. જેની સામે 20 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. (રાજ્યમાં ફક્ત 145 એક્ટિવ કેસના કારણે કોવિડ હૉસ્પિટલો ખાલીખમ- પ્રતિકાત્મક તસવીર)
રાજયમાં 24મી સપ્ટેમ્બર 2021ની સાંજે રાજ્યના 31 જિલ્લા અને 4 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા કેસ ફક્ત 2 જિલ્લા અને 4 શહેરમાં નોંધાયા છે, જેમાંથી સુરત શહેરમાં 7 કેસ, અમદાવાદ શહેરમાં 4, વસાડમાં 3, કચ્છમાં 1 , રાજકોટ અને વડોદરા શહેરમાં 1-1 કેસ નોંધાયા છે. બાકીના તમામ શહેર અને જિલ્લામાં આજે કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી.
માયલન ફાર્માએ ભારતના અધ્ય રાજ્યમાં 24મી સપ્ટેમ્બરે સાંજના કોરોના બૂલેટિન મુજબ ફક્ત 145 એક્ટિવ કેસ છે આ પૈકીના 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 141 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 8,15,587 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 10082 દર્દીનાં મૃત્યુનો આંક યથાવત છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં એક પણ મોત થયું નથી.
રાજ્યમાં 24મી સપ્ટેમ્બરે સાંજના કોરોના બૂલેટિન મુજબ ફક્ત 145 એક્ટિવ કેસ છે આ પૈકીના 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 141 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 8,15,587 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 10082 દર્દીનાં મૃત્યુનો આંક યથાવત છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં એક પણ મોત થયું નથી.
રાજ્યના હેલ્થવર્ક અને ફ્રન્ટલાઇન વર્કર્સમાં 17,69,320 વ્યક્તિને રીસના બંને ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે 45 વર્ષથી વધુ ઉંરના 99,42,128 લોકોને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત 18-45 વર્ષની ઉંમરના 61,82,058 વ્યક્તિને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે.