Home /News /ahmedabad /Gujarat election 2022: ભાજપના ગઢ ધંધુકા બેઠક પર કોંગ્રેસ પાડશે ગાબડું કે ફરી ખીલશે કમળ? જાણો બેઠકની વિગતવાર સ્થિતિ
Gujarat election 2022: ભાજપના ગઢ ધંધુકા બેઠક પર કોંગ્રેસ પાડશે ગાબડું કે ફરી ખીલશે કમળ? જાણો બેઠકની વિગતવાર સ્થિતિ
Dhandhuka assembly constituency: ધંધુકાનું નામ ધાન અથવા સોનંગ મેહડના તેર દીકરાઓમાંના બીજા દીકરા પરથી પડ્યું છે, જે સિંધમાંથી ગુજરાતમાં આવ્યો હતો. 12મી સદીમાં ધંધુકા હેમચંદ્રાચાર્યના જન્મ સ્થળ તરીકે પ્રખ્યાત બન્યું. કુમારપાળે તેમના જન્મસ્થાને મંદિર બનાવ્યું હતું.
Dhandhuka assembly constituency: ધંધુકાનું નામ ધાન અથવા સોનંગ મેહડના તેર દીકરાઓમાંના બીજા દીકરા પરથી પડ્યું છે, જે સિંધમાંથી ગુજરાતમાં આવ્યો હતો. 12મી સદીમાં ધંધુકા હેમચંદ્રાચાર્યના જન્મ સ્થળ તરીકે પ્રખ્યાત બન્યું. કુમારપાળે તેમના જન્મસ્થાને મંદિર બનાવ્યું હતું.
વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે ગુજરાતમાં ખરાખરીનો જંગ જામ્યો છે. આ દરમ્યાન અમે ખાસ આપની માટે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની પરિસ્થિતિ અને તેના રોચક સમીકરણો વિશે માહિતી લઈને આવીએ છીએ. આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે.
એક-એક બેઠક જીતવી બંને માટે મહત્વની બની રહેવાની છે. તે જોતાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે કાંટાની ટક્કર થશે તે નક્કી છે. કોઈપણ પક્ષ જંગી બહુમતી જીતી જશે એવું કોઈ છાતી ઠોકીને કહી શકે તેમ નથી, એવો ટ્રેન્ડ પણ દેખાતો નથી. આ ઉપરાંત આ વખતે મુખ્ય બે પક્ષો ભાજપ કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી અને AIMIM પણ ગુજરાતના ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે, જેના કારણે જાતિગત મતોનું વધુ વિભાજન થાય તેવી શક્યતા છે. એવામાં કોંગ્રેસ અને ભાજપ સામે પોતાની બેઠકો જાળવવાનો મોટો પડકાર જોવા મળે છે. ચૂંટણીના આવા રસાકસીભર્યા માહોલમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યાં છીએ અમદાવાદની ધંધુકા (Dhandhuka assembly constituency) બેઠક વિશે.
ધંધુકા વિધાનસભા બેઠક
આ ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના મહત્વના ધંધુકા(Dhandhuka assembly Seat) તાલુકાનું મુખ્ય મથક છે. સાથે જ ગુજરાતની 182 વિધાનસભા સીટ પૈકી એક સીટ પણ છે. ધંધુકા વિધાનસભા બેઠક એટલે અમદાવાદની ગ્રામ્ય વિસ્તારની બેઠક. આ સાથે જ ધંધુકા બેઠકનો સમાવેશ સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં પણ થાય છે. આ વિધાનસભા બેઠકમાં ધંધુકા તાલુકો, બરવાળા તાલુકો અને રાણપુર તાલુકાનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે મુંબઈથી ગુજરાત રાજ્ય અલગ થયા બાદ વર્ષ 1980માં આ બેઠક અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક પર કુલ 269640 મતદારો છે, જેમાં 142126 પુરુષ મતદારો અને 126000 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. સાથે જ અહીં 288 બૂથ પર મતદાન થાય છે.
ધંધુકા બેઠકનો ઈતિહાસ અને ખાસિયત (History of Dhandhuka seat)
ધંધુકાનું નામ ધાન અથવા સોનંગ મેહડના તેર દીકરાઓમાંના બીજા દીકરા પરથી પડ્યું છે, જે સિંધમાંથી ગુજરાતમાં આવ્યો હતો. 12મી સદીમાં ધંધુકા હેમચંદ્રાચાર્યના જન્મ સ્થળ તરીકે પ્રખ્યાત બન્યું. કુમારપાળે તેમના જન્મસ્થાને મંદિર બનાવ્યું હતું. મુસ્લિમ તેમજ મરાઠા શાસન દરમિયાન ધંધુકા એક નગર બની રહ્યું અને ધોળકા સાથે જોડાયેલ રહ્યું. ઇ.સ. 1802માં ધોળકાની સાથે ધંધુકા બ્રિટિશ શાસન હેઠળ આવ્યું. આમ ધંધુકા હેમચંદ્રાચાર્યની જન્મભૂમિ અને ગુજરાતી ઝવેરચંદ મેધાણીની કર્મભૂમિ હોવાને લઈને ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવે છે.
આ બેઠક પર જોવા લાયક સ્થળોમાં સાળંગપુર હનુમાન મંદિર, બીએપીએસ અક્ષરનિવાસ સ્વામીનારાયણ મંદિર, કુંડળ સ્વામિનારાયણ મંદિર, ભીમનાથ મહાદેવ, મહાપ્રભુજીની બેઠક, બૂટભવાની મંદિર, પીર મહેમૂદશાહ બુખારીની દરગાહ વગેરેનો સમાવેશ થાય છે.
ધંધુકા બેઠકનો રાજકીય રિપોર્ટ (Political report of Dhandhuka Seat)
ધંધુકા વિધાનસભા બેઠકમાં બરવાળા નગરપાલિકા અને ધંધુકા નગરપાલિકાનો સમાવેશ થાય છે. સાથે જ અહીં 4 તાલુકા પંચાયતનો પણ સમાવેશ થાય છે. જેમાં બરવાળા રાણપુર અને ધોલેરા તાલુકા પંચાયતમાં ભાજપનુ શાસન છે. સાથે જ પાલિકા પણ ભાજપના કબ્જામાં છે.
ધંધુકા બેઠકના જાતિગત સમીકરણો (Gendered Equations of the Dhandhuka Seat)
ધંધુકા વિધાનસભા બેઠક પર કોળી પટેલોનુ પ્રભુત્વ જોવા મળે છે. આ બેઠક પર તળપદા કોળી 60000, ચૂંવાળીયા કોળી ઠાકોરની 25000, ક્ષત્રિય દરબારોની 50000, મુસ્લિમ ખોજા વોરા 28000, દલિત 30000, માલધારી 12000, અન્ય સવર્ણ સમાજની 45000 વસ્તી છે.
ધંધુકા બેઠકના હાર-જીતના સમીકરણો (Win-loss equations of Dhandhuka Seat)
વર્ષ
વિજેતા ઉમેદવારનુ નામ
પક્ષ
2017
ગોહિલ રાજેશકુમાર
INC
2012
કોળીપટેલ લાલજીભાઈ
BJP
2007
મેર રણછોડદાસ
IND
2002
પંડ્યા ભરતભાઈ
BJP
1998
ભરત પંડ્યા
BJP
1995
દિલીપભાઈ પરીખ
BJP
1990
દિલીપભાઈ પરીખ
BJP
1985
શાહ નટવરલાલ
INC
1980
શાહ નટવરલાલ
INC
1975
શાહ નટવરલાલ
NCO
1972
મોદી ઉજમસીભાઈ
INC
1967
વી બી કોટડાવાલા
SWA
1962
શાહ બાબુલાલ
INC
ગુજરાતની ધંધુકા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ગોહિલ રાજેશકુમાર હરજીભાઈને 67477 મત મળ્યા હતા. તેમણે ભાજપના ડાભી કાળુભાઈ રૂપાભાઈને 5920 મતોથી હરાવ્યા હતા. જનતાએ ભાજપના ઉમેદવારને 61557 મત આપ્યા. તમને જણાવી દઈએ કે, ધંધુકાથી 8 અપક્ષ સહિત 16 ઉમેદવારો ઉભા હતા.
ભારતીય જનતા પાર્ટી ધંધુકા વિધાનસભા બેઠક પરથી 5 વખત જીતી ચુકી છે, 2012માં પણ તે અહીંથી જીતવામાં સફળ રહી હતી. લાલજીભાઈ ચતુરભાઈ કોળી પટેલે 75,242 મતો મેળવીને INCના એમ એમ શાહને 18,845 મતોથી હરાવ્યા હતા.
જણાવી દઈએ કે 1990થી 2012 સુધી અહીં ભાજપનો સતત વિજય થયો હતો. ભાજપ અહીંથી કુલ 5 વખત જીત્યું છે. જો કે, 2007ની ચૂંટણીમાં તેઓ અપક્ષ ઉમેદવારથી હાર્યા હતા.
પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરિખ 2 વખત અહીંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
ધંધુકા બેઠકની સમસ્યાઓ (Dhandhuka Seat Problems)
આ બેઠકની મુખ્ય સમસ્યાઓમાં બિસ્માર રસ્તાઓ સૌથી મોટી સમસ્યા છે. સિવાય અન્ય સમસ્યાઓની વાત કરવામાં આવે તો કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની તાતી સમસ્યા જોવા મળી છે. અહીં પાણીની સમસ્યા એટલી વિકરાળ છે કે ધંધુકા શહેરમાં 5 દિવસે એકવાર પાણી આપવામાં આવે છે, જ્યારે ગામડાઓમાં લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. જેના કારણે ખેડૂતોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડે છે.
આ સાથે જ આ વિસ્તારમાં લોકો મુખ્યત્વે ખેતીના વ્યવસા સાથે સંકળાયેલા છે અને અહીં ઉદ્યોગોની કમીને કારણે બેરોજગારીની સમસ્યા સર્જાય છે, જેના કારણે યુવાનોનુ સ્થળાંતર વધી રહ્યું છે. રોજગારી સિવાય એક માત્ર કોલેજ હોવાથી એડમિશનની પણ સમસ્યા સર્જાય છે. જેના કારણે વિદ્યાર્થાઓને બહાર ભણવા જવું પડે છે. શહેરમાં પણ માર્ગો સાંકળા અને બિસ્માર હાલતમાં હોવાને કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે અને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવાનો વારો આવે છે.
આ સાથે જ રેલવે ક્રોસિંગનુ ફાટક પણ ખૂબ સાંકળું છે અને છેલ્લા 5 વર્ષથી અહીં ઓવરબ્રિજની કામગીરી પણ પૂર્ણ કરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે જ છેલ્લા 6 વર્ષથી બ્રોડગેજ લાઈન આવી હોવા છતા આજદીન સુધી પેસેન્જર ટ્રેનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી.
5 વર્ષમાં થયેલા મોટા કામ
ધારાસભ્યના કહ્યાં અનુસાર પાણીની તંગી ધરાવતા વિસ્તારોમાં પીવાના પાણીને લઈને 14 કરોડના કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. આ સાથે જ અન્ય સમસ્યાઓને લઈને ધારાસભ્યનુ કહેવું છે કે જે પણ સમસ્યાઓ તેમની નજરે ચડે છે તો મતવિસ્તારની દરેક સમસ્યાઓ સરકારી સુધી પહોંચાડી તેનું નિરાકરણ લાવવાના પગલા તેમના દ્વારા ભરવામાં આવ્યા છે.
આ સાથે જ બિસ્માર રોડ અંગે રજૂઆત કરતા સરકારે રૂપિયા 2 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી, જે અનુસંધાને ધારાસભ્યોએ ધંધુકા માર્ગ અને મકાન વિભાગના અધિકારીને સાથે રાખી આ રોડનું ખાતમુહૂર્ત કરી તેવર રોડનું કામ શરૂ કરાવ્યું છે. આ રોડ પરના ગામડાઓ જેવા કે, તગડી, પીપળ, ઊંચડી, ચંદરવા તથા સુંદરિયાના રાહદારીઓ તેમજ વાહન ચાલકોને સંપૂર્ણ રાહત થશે.
બેઠક પર વિવાદ
ધંધુકામાં ફાયરિંગ કરીને જાહેરમાં કિશન ભરવાડની હત્યા કરી દેવામાં આવી હતી. ફેસબુક પર પોસ્ટને કારણે કિશન ભરવાડની હત્યા કરવામાં આવી છે. મૌલવીએ ચોક્કસ પ્લાન ઘડીને હત્યા કરવામાં આવી હતી. કિશન હજુ માંડ 27 વર્ષનો હતો. હત્યાના સમયે તેના ઘેર 2 મહિનાની દિકરી હતી. તેને પોસ્ટ ડિલીટ કરવા અને માફી માંગવા કહ્યુ હતુ. પોસ્ટ ડિલીટ કરી હોવા છતાંય તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ બાબતને લઈને ઘણી રાજકીય વિવાદો પણ સામે આવ્યા હતા. જો કે હત્યા કરનારા મૌલાના અને તેના સાગરિતોની ધરપકડ એટીએસ દ્વારા કરવામાં આવી હતી.