Parth Patel, Ahmedabad: છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ત્યારે થોડા સમયથી સોના-ચાંદીના ભાવમાં ક્યારેક ઘટાડો તો ક્યારેક વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ આજે બુધવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની લગડીનો 3% જીએસટી સાથેનો ભાવ 60,400 રૂપિયાની સપાટીએ સ્થિર થયો છે. જ્યારે ચાંદીનો 3% જીએસટી સહિતનો આજનો લગડીનો ભાવ 69,937 રૂપિયા છે.
જાણો આજના સોનાના ભાવ
અમદાવાદમાં 24 કેરેટ સોનાની લગડીનો 3% જીએસટી સાથેનો ભાવ 60,400 રૂપિયાની સપાટીએ સ્થિર થયો છે. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 55,372 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 48,350 રૂપિયા છે. જ્યારે ચાંદીનો 3% જીએસટી સહિતનો આજનો લગડીનો ભાવ 69,937 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે.
ગઈકાલનો સોના-ચાંદીનો ભાવ
જ્યારે ગઈકાલની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ સોનાની લગડીનો 3% જીએસટી સાથેનો ભાવ 61,350 રૂપિયા હતો. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 56,250 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 49,050 રૂપિયા હતી. જ્યારે ચાંદીનો 3% જીએસટી સહિતનો લગડીનો ભાવ 70,350 રૂપિયા હતો. જેમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
સોનાના ભાવમાં વધ-ઘટ પાછળ શેર માર્કેટની ઉથલ-પાથલ, સટ્ટાખોરી, ફુગાવો અને મંદી જવાબદાર છે
આજે 22 માર્ચે સોના-ચાંદીનું માર્કેટ ખુલતા જ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સાથો સાથ સોનાના ભાવ રાતોરાત વધવા-ઘટવા પાછળ વૈશ્વિક કારણો પણ જવાબદાર છે. તદુપરાંત શેર માર્કેટની ઉથલ-પાથલ, સટ્ટાખોરી, ફુગાવો, મંદી સહિત વૈશ્વિક સ્તરે અવિશ્વાસ અસ્થિરતાનો માહોલ બરકરાર હોવાનું જાણકારોએ જણાવ્યું છે.