Parth Patel, Ahmedabad: જો તમે સોનુ સસ્તુ ખરીદવા માંગો છો તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક મહિનાથી ચડ-ઉતર જોવા મળી રહ્યો છે. પરંતુ આજે સોનાના ભાવમાં એકાએક વધારો આવ્યો છે. આજે સોમવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની લગડીનો 3% જીએસટી સાથેનો ભાવ 60,667 રૂપિયા અને ચાંદીનો 3% જીએસટી સહિતનો લગડીનો ભાવ 71,379 રૂપિયા નોંધાયો છે.
જાણો આજના સોના-ચાંદીના ભાવ
આજે 28 માર્ચે સોના-ચાંદીનું માર્કેટ ખુલતા જ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં કોઈ તફાવત જોવા મળ્યો નથી. જેમાં અમદાવાદમાં 24 કેરેટ સોનાની લગડીનો 3% જીએસટી સાથેનો ભાવ 60,667 રૂપિયાની સપાટીએ સ્થિર થયો છે. જેમાં 22 કેરેટ ઘરેણાંની કિંમત 55,609 રૂપિયા અને 18 કેરેટ ઘરેણાની કિંમત 48,534 રૂપિયા છે. જ્યારે ચાંદીનો 3% જીએસટી સહિતનો આજનો લગડીનો ભાવ 71,379 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે.
જ્યારે ગઈકાલની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ સોનાની લગડીનો 3% જીએસટી સાથેનો ભાવ 61,079 રૂપિયાની સપાટીએ સ્થિર થયો હતો. તથા 22 કેરેટ સોનાના ઘરેણાંની કિંમત 56,000 રૂપિયા અને 18 કેરેટ સોનાના ઘરેણાની કિંમત 48,863 રૂપિયા હતો. જ્યારે ચાંદીનો 3% જીએસટી સહિતનો લગડીનો ભાવ 71,379 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો હતો.
જ્યારથી સોનાનો ભાવ વધ્યો છે ત્યારથી લોકો 10 તોલાને બદલે 8 તોલા સોનું ખરીદવા લાગ્યા છે
હવે સોનાના ભાવ વધતાં રોકાણકારો ફરીથી મુંજાયા છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આગામી સમયમાં વ્યાજના દર ઘટતા સોનાની કિંમત સ્થિર થઈ શકે છે. સાથો સાથ લગ્ન પ્રસંગની સિઝનમાં પણ સોનાના ભાવ હંગામી ધોરણે વધ્યા હોવાથી જે તે પરિવારો 10 તોલાને બદલે હવે 8 તોલા સોનું ખરીદતા હોવાનું જાણકારોએ જણાવ્યું છે.