Home /News /ahmedabad /Ahmedabad: અમદાવાદમાં યોજાશે દ્રશ્ય કળા અને સ્થાપત્ય કળા રજૂ કરતું પ્રદર્શન

Ahmedabad: અમદાવાદમાં યોજાશે દ્રશ્ય કળા અને સ્થાપત્ય કળા રજૂ કરતું પ્રદર્શન

આ પ્રદર્શન દ્રશ્ય કળા અને સ્થાપત્ય કળા પર આધારિત છે

આ પ્રદર્શનમાં તૃપ્તિ દવે, કૌશિક ગજ્જર, મનીષ શર્મા, હેમાાંગ દવે, અભિષેક મંડલા, સમર્થ મિસ્ત્રી અને મિતુલ દેસાઈએ પોતાની કલાકૃતિઓ રજૂ કરી છે

    Parth Patel, Ahmedabad: અમદાવાદની ગુફા ખાતે એક આર્ટ એક્ઝિબિશન ગેલેરી આવેલી છે. જે કલાકારોને તેમની આર્ટ વર્ક (Art Work) પ્રદર્શિત કરવા માટે સ્થાન આપે છે. તે શહેરની સૌથી વધુ વખત મુલાકાત લેવાતી આર્ટ ગેલેરીઓમાંની એક છે. પ્રદર્શન ગેલેરીમાં (Gallery) સાપ્તાહિક દેશભરના કલાકારો તેમજ આંતરરાષ્ટ્રીય કલાકારોના કલા પ્રદર્શનો યોજાય છે.

    અમદાવાદની ગુફા ખાતે એક્ઝિબિશનનું આયોજન

    અમદાવાદમાં આવેલી અમદાવાદની ગુફા ખાતે દર મંગળવારે એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે. જેમાં કલાકારો દ્વારા રજૂ કરવામાં આવતા આર્ટવર્ક, કલા, ચિત્રોનું એક્ઝિબિશન યોજવામાં આવે છે. આ સપ્તાહમાં અમદાવાદ, વડોદરા અને સુરતના કુલ 7 કલાકારોને ભેગા કરીને એક વિશિષ્ટ કળા પ્રદર્શનનું આયોજન જાણીતા કળા સંયોજક ઓજસ દેસાઈએ કર્યું છે.

    આ પ્રદર્શનમાં તૃપ્તિ દવે, કૌશિક ગજ્જર, મનીષ શર્મા, હેમાાંગ દવે, અભિષેક મંડલા, સમર્થ મિસ્ત્રી અને મિતુલ દેસાઈએ પોતાની કલાકૃતિઓ રજૂ કરી છે. અમદાવાદની ગુફા (Amdavad ni Gufa) ખાતે એક આર્ટ એક્ઝિબિશન ગેલેરી આવેલી છે. જેમાં કલાકારોને તેમના આર્ટ વર્ક (Art Work) પ્રદર્શિત કરવા માટે સ્થાન આપવામાં આવે છે. તે શહેરની સૌથી વધુ વખત મુલાકાત લેવાતી આર્ટ ગેલેરીઓમાંની એક છે. પ્રદર્શન ગેલેરીમાં (Gallery) સાપ્તાહિક દેશભરના કલાકારો તેમજ આંતરરાષ્ટ્રીય કલાકારોના કલા પ્રદર્શનો યોજાય છે.

    આ પ્રદર્શન દ્રશ્ય કળા અને સ્થાપત્ય કળા પર આધારિત છે

    આ પ્રદર્શનનું વિષયવસ્તુ દ્રશ્ય કળા અને સ્થાપત્ય કળાના પરસ્પર આદાન-પ્રદાન અને તાદાત્મક પર આધારિત છે. વસ્તુત: અનંતકાળથી આ બંને વિષયો પરસ્પર અસર કરતાં આવ્યા છે. અનેક કલાકારોએ ઘર અને મકાનને એક લાગણીસભાર વિષયવસ્તુ તરીકે અનુભવીને કલાકૃતિઓ બનાવી છે.

    આ પણ વાંચો:   નિરમા યુનિ.ની ટીમ બની ઈન્ટરનેશનલ Roboconની સેકન્ડ રનર અપ

    પ્રદર્શનમાં કુલ 54 પેઈન્ટીંગ્સ, 8 ફોટોગ્રાફ્સ અને 3 શિલ્પ રજૂ કરાશે

    આ પ્રદર્શનમાં ભાગ લેનારા બધાં કલાકારોએ પણ આ જ વિષયથી આકર્ષિત અને પ્રેરિત થઈને પોતપોતાની કલાકૃતિઓનું સર્જન કર્યું છે. આ એક સુભગ સંયોગ છે કે આ બધાં પ્રતિભાવન્ત કલાકારોએ સ્વયંભૂ રીતે એક જ વિષયવસ્તુ પર કામ કર્યું અને આ પ્રદર્શન માટે બધાં અનાયાસે સંકળાયાં. આ પ્રદર્શનમાં કુલ 54 પેઈન્ટીંગ્સ, 8 ફોટોગ્રાફ્સ અને 3 શિલ્પ રજૂ કરવામાં આવ્યાં છે.

    સરનામું: અમદાવાદની ગુફા, કસ્તુરભાઈ લાલભાઈ કેમ્પસ, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની સામે, CEPT કેમ્પસ, નવરંગપુરા, અમદાવાદ. આ એક્ઝિબિશન ગેલેરી (Exhibition Gallery) સોમવાર અને જાહેર રજાના દિવસો સિવાય તમામ દિવસોમાં ખુલ્લી રહે છે. જેનો સમય સાંજે 4.00 વાગ્યાથી રાત્રે 8.00 વાગ્યા સુધીનો હોય છે.
    First published:

    Tags: Ahmedabad latest news, અમદાવાદ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો