Gujarat Night Curfew : ગુજરાતમાં કોરોના વાયરસ (Gujarat coronavirus Cases) હજી પણ જોઈએ એવો હળવો થયો નથી માટે કોરોના વાયરસને કાબુમાં લેવા માટે રાજ્ય સરકારે હજી પણ રાત્રિ કર્ફ્યૂનો અમલ (Gujarat Night Curfew guideline) યથાવત રાખ્યો છે. ગઈ વખતે જાહેર કરાયેલી ગાઈડલાઈન આ વખતે પણ યથાવત રાખવામાં આવી છે. મુખ્યમંત્રીના (CM home) આવાસ સ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં નિર્ણય કરાયો છે કે આગામી 4 ફેબ્રુઆરી સુધી કોરોના ગાઈડલાઈન (covid-19 Guideline) અમલમાં રહેશે. રાજ્યમાં જ્યના 8 મહાનગરો (Gujarat Night Curfew guideline) અને બે શહેરો ઉપરાંત વધુ 17 નગરોમાં રાત્રિ કરફયુનો અમલ કરાશે. હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં છે.
નગરપાલિકાઓમાં કર્ફ્યૂ, આ 19 નગરોમાં લાગશે નિયમ
મુખ્યમંત્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં 19 નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ 29 જાન્યુઆરી 2022થી દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.
4 ફેબ્રુઆરી સુધી નવા નિયમો લંબાવવામાં આવ્યા
રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.4-2-2022ના સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તે વધુ 7 દિવસો માટે લંબાવીને તા 4 ફેબ્રુઆરી 2022 સુધીની કરવામાં આવી છે.
હોટલ-રેસ્ટોરન્સ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી હવે 24 કલાક ચાલુ રાખી શકાશે.
રાજ્યમાં નવા નિર્ણયો મુજબ હોટલ અને રેસ્ટોરન્ટ્સને આગામી દિવસોમાં 24 કલાક સુધી હોમ ડિલિવરી કરવાની છૂટ છે કારણ કે કોરોનાની સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે નવા નિયંત્રણો લાદવામાં આવ્યા છે.રાજ્યમાં લગ્ન પ્રસંગ સહિતના પ્રસંગો માટે નવી ગાઇડલાઇન અમલમાં મૂકવામાં આવી છે. આ ગાઇડલાઇન મુજબ લગ્ન
મુખ્યમંત્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં 17 નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ 22 જાન્યુઆરી 2022થી દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યમાં કોરોના અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી.રાત્રિ કરફ્યૂનો અમલ 4 ફેબ્રુઆરી સુધી યથાવત રાખવમાં આવ્યો. 8 મનપા સહિત 27 શહેરોમાં અમલ યથાવત રહેશે.રાત્રિ કરફ્યૂ રાત્રિના 10 વાગ્યાથી 6સુધી યથાવત રાખવામાં આવ્યો. હોટલ, રેસ્ટોરાંની હોમ ડિલિવરી સેવા 24 કલાક ચાલુ રાખવા છૂટ આપવામાં આવી pic.twitter.com/4azR0vRLRj
રાજ્યમાં નવા નિર્ણયો મુજબ હોટલ અને રેસ્ટોરન્ટ્સને આગામી દિવસોમાં 24 કલાક સુધી હોમ ડિલિવરી કરવાની છૂટ છે કારણ કે કોરોનાની સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે નવા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10.00 વાગ્યા સુધી બેઠક ક્ષમતાના 75 ટકા સાથે ચાલુ રાખી શકાશે. રાજ્યમાં તમામ રપ્રકારના સામાજિક, રાજકીય, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો સમારંભ ખુલ્લામાં મહત્ત્મ 150 વ્યક્તિઓ તો બંધ સ્થળોએ જગ્યાના 50 ટકા ક્ષમતા સાથે (મહત્તમ 150ની કેપેસિટી)માં યોજી શકાશે.
લગ્ન પ્રસંગોમાં મહત્તમ 150 વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50% મહત્તમ 150 વ્યક્તિઓની મર્યાદામાં એકઠા થઈ શકશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અંતિમ ક્રિયા દફન વિધિ મહત્તમ 100 વ્યક્તિઓની મંજૂરી સાથે યોજી શકાશે.