Home /News /ahmedabad /જીતુ વાઘાણી સહિત આ જૂના જોગીઓના પત્તાં કપાયા, જાણો કોનો કરવામાં આવ્યો સમાવેશ

જીતુ વાઘાણી સહિત આ જૂના જોગીઓના પત્તાં કપાયા, જાણો કોનો કરવામાં આવ્યો સમાવેશ

11 કેબિનેટ મંત્રી પાસેથી ખાતું છીનવાયું

ગુજરાતની 15મી વિધાનસભામાં એકવાર ફરી ભૂપેન્દ્ર પટેલની સરકાર બની છે. જેમાં, અનેક કેબિનેટ મંત્રીઓના પત્તા કપાયા છે, આ સાથે જ, અમુક નેતાઓને રિપીટ પણ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, 7ને કેબિનેટ મંત્રીને રિપીટ કરાયા છે તો 11ના પત્તા કપાયા છે.

વધુ જુઓ ...
અમદાવાદ: ગુજરાતની 15મી વિધાનસભાના કેબિનેટ મંત્રીઓની જાહેરાત કરવામાં આવી છે. જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદી સહિતના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં આજે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં, ભપેન્દ્ર પટેલ સરકાર 2માં 17 મંત્રીઓની નિમણૂંક કરવામાં આવી છે. જોકે , ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ગઇ વખતે કુલ 24 મંત્રીઓને સ્થાન અપાયું હતું. ત્યારે ભુપેન્દ્ર પટેલની પ્રથમ કેબિનેટમાં કેટલા મંત્રીઓ હતા અને નવા મંત્રી મંડળમાં કોના પત્તા કપાયા છે તે જણાવીશું.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો સાથે જંગી બહુમતી મળી છે. જેને લઈને ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરી લીધા હતા. જણાવી દઈએ કે, ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0માં 8 ધારાસભ્યોએ કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા તો 8 ધારાસભ્યોએ રાજ્યકક્ષાના મંત્રી પદના શપથ લીધા છે.

Cabinet ministry taken away from 11 Cabinet Ministers
11 કેબિનેટ મેંત્રી પાસેથી ખાતું છીનવાયું


ચાર પાટીદાર નેતાઓનો સમાવેશ

ટીમ ભૂપેન્દ્ર પટેલમાં સૌથી યુવાન મંત્રી હર્ષ સંઘવી છે અને માત્ર એક જ મહિલા મંત્રીને સ્થાન મળ્યું છે. જ્યારે ટીમ ભૂપેન્દ્રમાં સૌથી ઉંમરલાયક મંત્રી કનુભાઈ દેસાઈ છે. કેબિનેટ મંત્રીઓમાં સૌથી વધુ રાજકોટના બે મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જોવામાં આવે તો, મંત્રી મંડળના 17 સભ્યો પૈકી ચાર પાટીદાર મંત્રીઓ છે.

સાત OBC,બે ST મંત્રીઓનો સમાવેશ

આ સાથે ટીમનું જાતિગત વિશ્લેષણ કરવામાં આવે તો, ત્રણ કડવા પાટીદાર, એક લેઉઆ પાટીદાર મંત્રી, સાત OBC,બે ST,એક SC મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે મંત્રીમંડળમાં એક ક્ષત્રિય, એક જૈન, એક અનાવિલ બ્રાહ્મણને સ્થાન આપવામાં આવ્યું છે. મંત્રીમંડળમાં ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રના પાંચ MLAનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મંત્રીમંડળમાં મધ્ય ગુજરાતના બે MLAનો સમાવેશ થયો છે.

મંત્રીઓને ખાતા ફાળવણી



ક્રમનામહોદ્દોવિષય ફાળવણી
1 ભૂપેન્દ્ર પટેલમુખ્યમંત્રીસામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌધોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીઓને ન ફાળવેલ વિષયો
કેબિનેટ કક્ષાના મંત્રીઓ
2 કનુભાઇ મોહનભાઇ દેસાઇમંત્રીનાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ
3 ઋષિકેશભાઇ પટેલમંત્રીઆરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો
4 રાઘવજીભાઇ પટેલમંત્રીકૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ,
5 બળવંતસિંહ રાજપુતમંત્રીઉદ્યોગ, લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન, શ્રમ અને રોજગાર
6 કુંવરજીભાઇ બાવળીયામંત્રીજળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો
7 મુળુભાઇ બેરામંત્રીપ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ
8ડો. કુબેરભાઇ ડીંડોરમંત્રીઆદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
9મતી ભાનુબેન બાબરીયામંત્રીસામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ
રાજ્યકક્ષાના મંત્રીઓ
10 હર્ષ સંઘવીરા. ક. મંત્રીરમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહનવ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો),  ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા)
11 જગદીશ વિશ્વકર્મા (પંચાલ)રા. ક. મંત્રીસહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, (તમામ સ્વંતત્ર હવાલો),   લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન (રાજ્ય કક્ષા)
12 પરષોત્તમ સોલંકીરા. ક. મંત્રીમત્સ્યોદ્યોગ અને પશુપાલન
13 બચુભાઇ મગનભાઇ ખાબડરા. ક. મંત્રીપંચાયત, કૃષિ
14 મુકેશભાઇ જે. પટેલરા. ક. મંત્રીવન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા
15 પ્રફુલ્લભાઇ પાનસેરીયારા. ક. મંત્રીસંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ
16 ભીખુસિંહ ચતુરસિંહ પરમારરા. ક. મંત્રીઅન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા
17 કુંવરજીભાઇ હળપતીરા. ક. મંત્રીઆદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ

સૌથી વધુ સુરતનાં ચાર એમએલએ

જિલ્લા પ્રમાણેની વાત કરીએ તો, મંત્રીમંડળમાં સૌથી વધુ સુરતના જિલ્લાના ચાર MLA, અમદાવાદ, રાજકોટ જિલ્લાના 2-2 MLAનો સમાવેશ થયો છે. આપને જણાવીએ કે, જૂની સરકારના મંત્રીમંડળમાં 25 મંત્રીઓ હતા.
First published:

Tags: Bhupendra patel cabinet, Gujarat Assembly Election 2022, Gujarat assembly election results, Gujarat CM Bhupendra Patel, Gujarat Elections

विज्ञापन