Home /News /ahmedabad /આાગામી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનું પ્રચાર અભિયાન, પાંચ અલગ-અલગ સ્થળેથી નીકળશે 'ગૌરવ યાત્રા'
આાગામી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનું પ્રચાર અભિયાન, પાંચ અલગ-અલગ સ્થળેથી નીકળશે 'ગૌરવ યાત્રા'
વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનું પ્રચાર અભિયાન
Gujarat Gaurav Yatra: ગુજરાતમાં આવતી આાગામી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનું પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે. રાજ્યના પાંચ અલગ-અલગ સ્થળેથી 'ગૌરવ યાત્રા' નીકળશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા બુધવારે આવી બે યાત્રાને લીલીઝંડી આપવાના છે.
Gujarat Gaurav Yatra: ભાજપ આગામી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર અભિયાનને વધુ મજબુત બનાવી રહ્યું છે, આ માટે થઈને રાજ્યના પાંચ અલગ-અલગ સ્થળેથી ગૌરવ યાત્રા શરુ કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા બુધવારે આવી બે યાત્રાને લીલીઝંડી આપવાના છે. ભાજપના સુત્રો પ્રમાણે બુધવારે આ જાણકારી આપવામાં આવી છે. માહિતી પ્રમાણે ગુજરાતના અલગ અલગ પાંચ ધાર્મીક સ્થળેથી આ યાત્રાનો પ્રારંભ થવાનો છે. વિગતો પ્રમાણે 10 દિવસ સુધી આ યાત્રા ગુજરાતના 182 વિધાનસભાની સીટોમાંથી 144 સીટોના સ્થળો સુધી જશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા લીલીઝંડી આપશે
પાર્ટીના નેતાઓ પ્રમાણે પહેલી બે યાત્રા મહેસાણા જિલ્લાના બહુચરાજીથી કચ્છ જિલ્લાના માતાના મઢ સુધી જશે. બહુચરાજીમાં વિશ્વ પ્રસિદ્ધ સૂર્ય મંદિર આવેલુ છે. બીજી યાત્રા દ્વારકાથી પોરબંદર સુધી જશે. આ બંને યાત્રાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા લીલીઝંડી આપી પ્રસ્તાન કરવાશે. ત્રીજી યાત્રા અમદાવાદ જિલ્લાના જંજરકાથી નીકળીને અમદાવાદના સોમનાથ સુધી જશે. જ્યારે ચોથી યાત્રા નવસારી જિલ્લાના ઉનાઈથી દક્ષિણ ગુજરાતના ખેડા જિલ્લા સુધી જશે. આ સાથે મળતી માહિતી પ્રમાણે પાંચમી યાત્રા ઉનાઈથી અંબાજી સુધી જશે.
પાર્ટીના એક નેતાએ કહ્યું કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આમાંથી કેટલીક મુલાકાતોને ફ્લેગ ઓફ કરી શકે છે, જ્યારે કેન્દ્રીય પ્રધાનો અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પીયૂષ ગોયલ, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા અને અન્ય ઘણા કેન્દ્રીય પ્રધાનો આ મુલાકાતોમાં સામેલ થશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ મુલાકાતોમાં હાજરી આપે તેવી શક્યતા છે. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરના ભૂતકાળમાં ઘણી વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને હજારો કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરી ચૂક્યા છે. પાર્ટી આ પ્રવાસ દરમિયાન 5,000 કિલોમીટરથી વધુનું અંતર કાપવાની યોજના ધરાવે છે.
ગુજરાતમાં 1995થી લાગાતાર ભાજપની સત્તા છે
આ યાત્રા ગુજરાતના જે પણ વિસ્તારોમાંથી જવાની છે, તેમાં મોટા ભાગના વિસ્તારો આદિવાસી વિસ્તાર છે. અને તેમાંથી ઘણા વિસ્તારોમાં કોંગ્રેસનું સારુ આવુ વર્ચસ્વ છે. ગુજરાતમાં 1995થી લાગાતાર ભાજપની સત્તા છે. મોદી રાજ્યના 22મા મુખ્યમંત્રી બન્યા અને સતત 13 વર્ષ સુધી આ પદ પર રહ્યા. સતત ત્રણ ટર્મ સુધી મુખ્યમંત્રી રહ્યા બાદ મોદી 2014માં દેશના વડાપ્રધાન બન્યા અને ત્યારબાદ આનંદીબેન પટેલ ગુજરાતમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ મોદીએ એકવાર ગુજરાત ગૌરવ યાત્રા કાઢી છે.