Home /News /ahmedabad /Gujarat Election 2022: 'આપ'ની અમદાવાદ ઓફિસ પર સર્ચ ઓપરેશનનો આક્ષેપ, અરવિંદ કેજરીવાલે કહ્યુ, 'ગુજરાતમાં આપની આંધી'

Gujarat Election 2022: 'આપ'ની અમદાવાદ ઓફિસ પર સર્ચ ઓપરેશનનો આક્ષેપ, અરવિંદ કેજરીવાલે કહ્યુ, 'ગુજરાતમાં આપની આંધી'

ફાઇલ તસવીર

Arvind Kejrival in Gujarat : અરવિંદ કેજરીવાલે પણ લખ્યુ છે કે, ' ગુજરાતની જનતા પાસેથી મળી રહેલા અપાર સમર્થનથી ભાજપ ડઘાઇ ગયું છે. આપના પક્ષમાં ગુજરાતમાં આંધી ચાલી રહી છે. દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ દરોડા પાડવાનું શરૂ કર્યુ છે.'

વધુ જુઓ ...
અમદાવાદ: રાજ્યમાં હવે ચૂંટણીને થોડો જ સમય બાકી છે ત્યારે પક્ષ-વિપક્ષ એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવાના શરૂ કરી દીધા છે. આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવીને ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, અરવિંદ કેજરીવાલ અમદાવાદ પહોંચતા જ આમ આદમી પાર્ટીની અમદાવાદ ઓફિસ પર ગુજરાત પોલીસે દરોડા પાડ્યા છે. બે કલાક તપાસ કરીને પોલીસ જતા રહ્યા છે. તેમને કાંઇ મળ્યું નથી. જોકે, આ આરોપ સામે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ મીડિયાને જણાવ્યુ છે કે, શહેરની એક પણ પોલીસની ટીમે આમ આદમી પાર્ટીની ઓફિસામાં દરોડા કે સર્ચ ઓપરેશન કર્યુ નથી. આ અંગેની શહેર પોલીસને જાણ નથી.

આપના ઇસુદાન ગઢવીએ રવિવારે મોડી રાતે ટ્વિટ કર્યું હતુ. જેમાં તેમણે લખ્યુ હતુ કે, 'કેજરીવાલ જીના અમદાવાદ પહોંચતા જ આમ આદમી પાર્ટીની અમદાવાદ ઓફિસ પર ગુજરાત પોલીસના દરોડા. બે કલાક તપાસ કરીને ચાલ્યા ગયા છે. કાંઇ મળ્યુ નથી. કહ્યુ છે, ફરી આવશે.'

જેને રિટ્વિટ કરીને અરવિંદ કેજરીવાલે પણ લખ્યુ છે કે, ' ગુજરાતની જનતા પાસેથી મળી રહેલા અપાર સમર્થનથી ભાજપ ડઘાઇ ગયું છે. આપના પક્ષમાં ગુજરાતમાં આંધી ચાલી રહી છે. દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ દરોડા પાડવાનું શરૂ કર્યુ છે. દિલ્હીમાં કાંઇ મળ્યું નથી અને ગુજરાતમાં પણ કાંઇ મળ્યું નથી. અમે કટ્ટર ઇમાનદાર અને દેશભક્ત લોકો છીએ.'



આજે, 12 સપ્ટેમ્બરના રોજ અરવિંદ કેજરીવાલ સવારે 10 વાગ્યે અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલા ઓટો ડ્રાઈવર માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે.

ગુજરાતમાં છેલ્લા 18 કલાકમાં 168 તાલુકામાં મેઘરાજાની આવી સવારી

ત્યારબાદ બપોરે 12 વાગ્યે અમદાવાદ ખાતે ટ્રેડર્સ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે અને સાંજે 4 વાગ્યે અમદાવાદ ખાતે જ એડવોકેટ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.



અરવિંદ કેજરીવાલ 13 સપ્ટેમ્બરના સવારે નેતાઓ અને કાર્યકરો સાથે ચર્ચા કરશે અને કેટલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે. બપોરે 12 વાગે અમદાવાદ ખાતે વધુ એક ગેરંટીની ઘોષણા કરશે. ગેરંટી ઘોષણા બાદ અરવિંદ કેજરીવાલ સાંજે 4 વાગે સફાઈ કર્મચારીઓ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે. ટાઉનહોલ કાર્યક્રમના સમાપન બાદ અરવિંદ કેજરીવાલ સાંજે દિલ્હી જવા રવાના થશે.
First published:

Tags: Gujarat Elections, Gujarat Politics, અમદાવાદ, અરવિંદ કેજરીવાલ, આપ, ગુજરાત