Home /News /ahmedabad /લોકોનો ભરોસો જળવાય તેવી વધુ એક મદદરૂપ કામગીરી, અમદાવાદ પોલીસે 16 મોબાઇલ શોધી આપ્યા
લોકોનો ભરોસો જળવાય તેવી વધુ એક મદદરૂપ કામગીરી, અમદાવાદ પોલીસે 16 મોબાઇલ શોધી આપ્યા
અમદાવાદ પોલીસની સરાહનીય કામગીરી
Ahmedabad Police Actions: અમદાવાદ પોલીસે ચોરાયેલા કે ગુમ થયેલા 16થી વધુ ફોન શોધી પરત કર્યા છે. અમદાવાદ પોલીસે આવી કામગીરી કરીને લોકોના વિશ્વાસને જાળવી રાખ્યો છે. આ સાથે સાથે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ મોબાઈલ લોકોને પરત કરવામાં આવ્યા હતા.
અમદાવાદઃ જો તમે બજારમાં ખરીદી માટે ગયા હોવ અથવા તો કોઈ જગ્યાએ મુસાફરી કરી રહ્યા હોય તે સમયે તમારો મોબાઈલ ફોન ખોવાઈ જાય અથવા તો ચોરાઈ જાય તો પોલીસ પર ભરોસો રાખજો, કેમકે પોલીસે આવો જ વિશ્વાસ ઉભો થાય એવી કામગીરી કરી છે. ચોરાયેલા કે ગુમ થયેલા 16થી વધુ ફોન પોલીસે શોધી પરત કર્યા છે. અમદાવાદ પોલીસે આવી કામગીરી કરીને લોકોના વિશ્વાસને જાળવી રાખ્યો છે. આ સાથે સાથે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ મોબાઈલ લોકોને પરત કરવામાં આવ્યા હતા.
16થી વધુ ફોન પોલીસે શોધી પરત કર્યા
ફોન ચોરી કે ફોન ચોરી થયા બાદ ફોન પરત મેળવવા માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અથવા તો ઘરે બેઠા e-FIR, FIR કરવાની જરૂર પડતી હોય છે. જે બાદ પણ પોલીસ સ્ટેશન ધક્કા ખાવાની ફરજ પડતી હોય છે, તેવામાં જો મોબાઈલ ખોવાયાની અથવા તો ચોરાયાની માત્ર અરજીના આધારે જ તમારો ખોવાયેલો મોબાઈલ પરત મળી જાય તો? આવું જ કંઈક દરિયાપુર પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં મોબાઈલ ખોવાઈ જવા અંગે અલગ અલગ અરજદારો દ્વારા અરજીઓ કરવામાં આવી હતી. જેના આધારે દરિયાપુર પોલીસે 16 જેટલા અરજદારના મોબાઈલ ફોન ઉપરથી ટ્રેસ કરીને મેળવી લીધા હતા અને તે મોબાઈલ ફોન મૂળ માલિકને માત્ર અરજીઓના આધારે પરત કરવામાં આવ્યા છે. જેથી કરીને મોબાઈલના માલિકને પોલીસ સ્ટેશનના ધક્કા અને હેરાનગતિ થતી અટકી હોવાનું એફ ડીવીઝનના એસીપી પી પી પીરોજીયાએ જણાવ્યું છે.
મહત્વનું છે કે, ભીડભાળવાળી જગ્યા ઉપર જેમકે શાક માર્કેટ અને ધાર્મિક સ્થળો અને બજારમાં શહેરીજનો જાય ત્યારે નજર ચૂકવીને અથવા તો યેનકેન પ્રકારે મોબાઈલ ફોનની ચોરીની અનેક ઘટનાઓ અત્યાર સુધી સામે આવી છે. ત્યારે દરિયાપુર પોલીસના આ પ્રયાસથી અરજદારોને ઘણી રાહત મળી છે અને મોબાઈલ ફોનના માલિકોએ પોલીસનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. અમદાવાદમાં કાલુપુર ચોખા બજાર તેમજ કાલુપુર શાકમાર્કેટ સહિતના ખરીદી બજારમાં મોટી સંખ્યામાં ભીડ રહેતી હોય છે. ત્યારે ભીડભાડ વાળી જગ્યા ઉપર મોબાઈલ ચોરી જેવી ઘટનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ પોઇન્ટ મૂકીને બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તેવું દરિયાપુર પોલીસસ્ટેશનના પી.આઇ જે.એચ ચૌધરીએ જણાવ્યું છે.
પોલીસે સતર્ક રહેવા સુચના આપી
ચોર ત્યારે જ ચોરી કરી શકે છે જ્યારે લોકોની બેદરકારી કે ભુલ હોય છે. પોલીસનું એવું પણ કહેવું છે કે લોકોની બેદરકારી ના લીધે આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે. ચોર સામે પોલીસની નજર રહેલી હોય છે પણ લોકોએ પણ ખૂબ સતર્ક રહેવું જરૂરી બન્યું છે. ખરીદી કે કામમાં વ્યસ્ત રહેતા લોકોએ પોતાની સાથે રહેલી કિમતી વસ્તુ કે મોબાઇલ ફોન ખાસ સાચવવા જરૂરી બન્યા છે. લોકો સજાગ રહેશે તો જ આ પ્રકારની ઘટનાઓ અટકશે.